SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं ओगाहणाइसु विगलिंदियाणं पज्जवा અને અવગાહનારૂપે તુલ્ય છે. પરન્તુ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયો વડે છસ્થાનપતિત છે. એમ ઉત્કૃષ્ટઅવગાહનાવાળા પૃથિવીકાયિક જાણવા. મધ્યમઅવગાહનાવાળા પૃથિવીકાયિકોના સંબંધમાં પણ એમજ જાણવું, પરન્તુ સ્વસ્થાનઅવગાહનાને અપેક્ષી ચતુઃસ્થાન પતિત જાણવા. જઘન્યસ્થિતિવાળા પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે-‘જયન્યસ્થિતિવાળા પૃથિવીકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે’? હે ગૌતમ! જધન્યસ્થિતિવાળો પૃથિવીકાયિક જઘન્યસ્થિતિવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળો પણ પૃથિવીકાયિક જાણવો. અજઘન્યઅનુભૃષ્ટ(મધ્યમ)સ્થિતિવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. હે ભગવન્! જઘન્યકાળાગુણવાળા પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે–‘જઘન્યકાળાગુણવાળા પૃથિવીકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્ય કાળાગુણવાળો પૃથિવીકાયિક જઘન્યકાળાગુણવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનાવડે ચાર સ્થાનને પ્રાપ્ત થયેલ છે, અને સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયો વડે છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાગુણવાળા પૃથિવીકાયિકના સંબંધમાં જાણવું. અજઘન્યઅનુભૃષ્ટ–(મધ્યમ) કાળાગુણવાળા માટે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનની (કાળાવર્ણની) અપેક્ષાએ છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના સંબંધમાં જાણવું. જધન્યમતિઅજ્ઞાનવાળા પૃથિવીકાયિકોના સંબંધમાં પૃચ્છા। હે ગૌતમ! તેઓને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે–‘જઘન્યમતિઅજ્ઞાની પૃથિવીકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે'? હે ગૌતમ! જધન્યમતિઅજ્ઞાની પૃથિવીકાયિક જધન્ય મતિઅજ્ઞાની પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચાર સ્થાનને પ્રાપ્ત થયેલ છે અને સ્થિતિવડે ત્રિસ્થાનને પ્રાપ્ત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થાય છે. મતિઅજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. શ્રુતઅજ્ઞાનપર્યાય અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થાય છે. એમ શ્રુતઅજ્ઞાની અને અચક્ષુદર્શની પણ જાણવા. એ પ્રમાણે યાવત્–વનસ્પતિકાયિકો સુધી જાણવું. ।।૧૭।।૨૬૫॥ || ओगाहणाइसु विगलिंदियाणं पज्जवा || जहन्नोगाहणगाणं भंते! बेइंदियाणं पुच्छा । गोयमा ! अनंता पज्जवा पन्नत्ता से केणट्टेणं भंते! एवं वुच्चइ'जहन्नोगाहणगाणं बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नोगाहणए बेईदिए जहन्नोगाहणस्स बें इंदियस्य दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए तुल्ले, ठिईए तिट्ठाणवडिए, वन्न - गंध-रसफासपज्जवेहिं दोहिं नाणेहिं दोहिं अन्नाणेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए । एवं उक्कोसोगाहणए वि, णवरं णाणा णत्थि । अजहन्नमणुक्कोसोगाहणए जहा जहन्नोगाहणए, णवरं सट्ठाणे ओगाहणाए चउट्ठाणवडिए । जहन्नठिईयाणं भंते! बेइंदियाणं पुच्छा। गोयमा ! अणंता पज्जवा पन्नत्ता से केणद्वेणं भंते! एवं वुच्चइ'जहन्नठिईयाणं बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा। जहन्नठिईए बेइंदिए जहन्नठिइयस्स बेइंदियस्स दव्वट्टयाए तुल्ले, पसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउडाणवडिए, ठितीए तुल्ले, वन्न -गंध-रस - फासपज्जवेहिं दोहिं अन्नाणेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए । एवं उक्कोसठिईए वि, नवरं दो णाणा अब्भहिया । 270
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy