SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं देवाणं पज्जवा (મૂ૦) જઘન્યઆભિનિબોધિકશાનવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન! એમ શા હેતુથી કહો છો કે જઘન્યઆભિનિબોધિકશાનવાળા નરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળો નૈરયિક જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા નરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનાર્થરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પયોવડે છ સ્થાનપતિત છે. આભિનિબોધિકજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પર્યાયો અને ત્રણ દર્શન વડે છDાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકોને પણ જાણવું. અજઘન્ય-અનુત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નિરયિકોને પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ આભિનિબોધિક જ્ઞાન પર્યાયો વડે જ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની નરયિકોના સંબંધમાં જાણવું. પરન્ત જે નરયિકોને જ્ઞાન હોય છે તેને અજ્ઞાન હોતું નથી. જેમ જ્ઞાનના સંબંધમાં કહ્યું તેમ અજ્ઞાનના સંબંધમાં પણ કહેવું. પરન્તુ જેને અજ્ઞાન હોય છે તેને જ્ઞાન હોતું નથી. હે ભગવન્! જઘન્યચક્ષુદર્શનવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનંતા પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “જઘન્યચક્ષુ-દર્શનવાળા નરયિકોને અના પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્ય ચક્ષુદર્શનવાળો નૈરયિક જઘન્યચક્ષુદર્શનવાળા નરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનાશ્રયે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિવડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવડે છ સ્થાનપતિત છે. ચક્ષુદર્શનપર્યાય વડે તુલ્ય છે. અચક્ષુદર્શન પર્યાય અને અવધિદર્શન પર્યાય વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટચક્ષુદર્શનવાળા નરયિકો પણ જાણવા. અજઘન્યઅનુત્કૃષ્ટચક્ષુદર્શનવાળા પણ એમજ જાણવા. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ છ સ્થાનપતિત હોય છે. એમ અચસુદર્શનની અને અવધિદર્શની પણ સમજવા. 7/૧૫//ર૬oll (ટી.) “જહનગુણકાલગાણ ભંતે! હે ભગવન્! જઘન્યગુણ વાળા નરયિકોને કેટલા પર્યાયો હોય છે?—ઇત્યાદિ સૂત્રો સુપ્રસિદ્ધ છે, પરંતુ જેને જ્ઞાન હોય છે તેને અજ્ઞાનનો સંભવ નથી. કારણ કે સમ્યગ્દષ્ટિને જ્ઞાન અને મિથ્યાષ્ટિને અજ્ઞાન હોય છે. સમ્યગ્દષ્ટિપણું તો મિથ્યાદૃષ્ટિપણાના નાશથી થાય છે, મિથ્યાદૃષ્ટિપણે પણ સમ્યગ્દષ્ટિપણાના નાશથી થાય છે. માટે જ્યારે જ્ઞાન હોય છે ત્યારે અજ્ઞાનનો અભાવ હોય છે. એમ અજ્ઞાન હોય ત્યારે જ્ઞાનનો અભાવ હોય છે. તેથી કહ્યું છે કે નહીં નાપા તહાં સના વિ માળિયત્રા, નવરં ગમનાણા તસ નાળા ને સંડવંતિ' જેમ જ્ઞાનો કહ્યા તેમ અજ્ઞાનો પણ કહેવા. પરંતુ જેને અજ્ઞાનો હોય છે તેને જ્ઞાનો હોતાં નથી. બાકી બધું પાઠસિદ્ધ છે. ૧પોર૬૦માં || મોરાફિMID મત્તાવારીf Mવા || जहन्नोगाहणाणं भंते! असुरकुमाराणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'जहन्नोगाहगाणं असुरकुमाराणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नोगाहणए असुरकुमारे जहन्नोगाहणस्स असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले,ओगाहणट्ठयाए, तुल्ले ठिईए चउट्ठाणवडिए, वन्नाईहिं छट्ठाणवडिए, आभिणिबोहियनाणपज्जवेहिं सुयनाणपज्जवेहिं ओहिनाणपज्जवेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहि य.छट्ठाणवडिए। एवं उक्कोसोगाहणए वि। एवं अजहन्नमणुक्कोसोगाहणए वि, नवरं [सहाणे] उक्कोसोगाहणए वि असुरकुमारे ठिईए चउट्ठाणवडिए। एवं जाव थणियकुमारा ।।सू०-१६।।२६१।।। (મૂળ) હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. તે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો અસુરકુમાર જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને • 268.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy