________________
श्री प्रज्ञापमा सूत्र भाग १
पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा (મૂળ) જઘન્યસ્થિતિવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા • હેતુથી કહો છો કે-જઘન્યસ્થિતિવાળા નરયિકોને અનન્તપર્યાયો કહ્યા છે”? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો નૈરયિક
જઘન્ય સ્થિતિવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે ચઉસ્થાન પતિત હોય છે અને સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનો વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાને જાણવું અને અજઘન્યઅનુત્કૃષ્ટ સ્થિતિવાળા નરયિકોને તેમજ
જાણવું. પરન્તુ તેઓ સ્વસ્થાનની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત હોય છે. ll૧૩ર ૫૮. (ટી.) એ પ્રમાણે સામાન્યથી નૈરયિકાદિ પ્રત્યેકના અનન્ત પર્યાયો કહ્યા, હવે જઘન્યાદિ અવગાહના (શરીરની ઉંચાઈ) વગેરેને આશ્રયી તે પ્રત્યેકના પર્યાયોની સંખ્યા બતાવે છે–જહનોગાહણાણું ભંતે'! ઇત્યાદિ. હે ભગવન્! જઘન્યઅવગાહનાવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે-ઇત્યાદિ પાઠ સુગમ છે, પરન્ત સ્થિતિ વડે ચતઃસ્થાન પતિત છે. જેમકે દસ હજાર વરસની સ્થિતિવાળો જઘન્યઅવગાહનાવાળો નૈરયિક પ્રથમ રત્નપ્રભામાં હોય છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળો સાતમી નરકમૃથિવીમાં હોય છે. તેથી તેઓને સ્થિતિ વડે ચાર સ્થાનકો ઘટે છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે તેઓ ષટ્રસ્થાનપતિત છે. અહીં જ્યારે ગર્ભજ સંજ્ઞી પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે નારકાયુષ્યના વેદવાના પ્રથમ સમયે જ પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક શરીરનો ત્યાગ કરે છે. અને તેજ સમયે સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાષ્ટિને ત્રણ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછી વિગ્રહગતિથી કે અવિશ્રાંગતિથી ઉત્પત્તિસ્થાને જઈને વૈક્રિય શરીરનો સંઘાત કરે છે–વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. જે સંમૂર્ણિમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે તેને તે સમયે વિલંગ જ્ઞાન હોતું નથી, માટે જઘન્ય અવગાહનાવાળાને બે કે ત્રણ અજ્ઞાનો વિકલ્પ જાણવા. ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સૂત્રમાં ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નિરયિકને સ્થિતિ વડે હાનિ અને વૃદ્ધિના બળે સ્થાનો હોય છે. તે આ પ્રમાણે–૧ અસંખ્યાતભાગહાનિ અને ૨ સંખ્યાતભાગ હાનિ, તથા અસંખ્યાતભાગવૃદ્ધિ અને ૨ સંખ્યાતભાગવૃદ્ધિ, પરન્તુ સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ વૃદ્ધિ હાનિ હોતી નથી. કારણ કે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નારકો પાંચસો ધનુષ પ્રમાણવાળા હોય છે, અને તે સાતમી નરકમૃથિવીમાં છે. ત્યાં જઘન્ય સ્થિતિ બાવીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. માટે અસંખ્યાત અને સંખ્યાત ભાગ જ હાનિવૃદ્ધિ ઘટે છે. અસંખ્યાતગણ અને સંખ્યાતગણ હાનિવૃદ્ધિ ઘટતી નથી. તેઓને ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન અવશ્ય જાણવા, પરંત વિકલ્પ ન સમજવા. કારણ કે વિકલ્પના કારણભૂત સંમૂર્ણિમ અસંજ્ઞી પંચેન્દ્રિયની ઉત્પત્તિનો તેઓમાં અસંભવ છે. અજઘન્ય અનુત્કૃષ્ટ (મધ્યમ) અવગાહનાવાળા નૈરયિકના સૂત્રમાં અવગાહનાને આશ્રયી ચાર સ્થાનકો આ પ્રમાણે છે–અજઘન્ય અનુત્કૃષ્ટમધ્યમઅવગાહનાવાળો નૈરયિક સૌથી જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી કંઈક મોટા અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી અંગુલના અસંખ્યાતમા ભાગ ન્યૂન પાંચસો ધનુષ સુધીની અવગાહનાવાળો હોય છે, તેથી સામાન્ય નરયિક સૂત્રની પેઠે અહીં પણ અવગાહનાને આશ્રયી ચાર સ્થાનો ઘટી શકે છે અને સ્થિતિની અપેક્ષાએ ચાર સ્થાનકો તો સુપ્રસિદ્ધ છે. કારણ કે (સમયાધિક) દસ હજાર વર્ષથી માંડી (સમયગૂન) તેત્રીશ સાગરોપમ પ્રમાણ સ્થિતિમાં તે ઘટી શકે છે. જઘન્યસ્થિતિસૂત્રમાં અવગાહનાની અપેક્ષાએ ચાર સ્થાનકો હોય છે, કારણ કે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી ઉત્કર્ષથી સાત ધનુષની (પોણા આઠ ધનુષ અને છ આંગળની) અવગાહના હોય છે. અહીં પણ ત્રણ અજ્ઞાન કોઈકને કદાચિત્ હોય છે, કોઇકને કદાચિત નથી હોતાં. કારણ કે સંમઈિમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવી ઉત્પન્ન થયેલા નૈરયિકોને અપર્યાપ્તાવસ્થામાં વિભંગ જ્ઞાન હોતું નથી. તે સિવાય બીજાને હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિના વિચારમાં અવગાહનાની અપેક્ષાએ ચાર સ્થાનકો હોય છે, કારણ કે ઉત્કૃષ્ટસ્થિતિવાળાની અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી પાંચસો ધનુષ સુધી હોય છે. “ગરદનમyોટિફ લવ પર્વ વેવ' ઇત્યાદિ. અજઘન્ય–અનુત્કૃષ્ટસ્થિતિવાળાની અપેક્ષાએ એમજ જાણવું. અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિમાં પણ જેમ જઘન્ય સ્થિતિસૂત્રમાં અને ઉત્કૃષ્ટ સ્થિતિસૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. પરંતુ એટલી 266