________________
पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १ બધાં ચોવીશ દંડકના સૂત્રોનો પણ પૂર્વની પેઠે વિચાર કરવો. પરન્તુ જે વિશેષતા છે તે અહીં બતાવીએ છીએ-તેમાં જે પૃથિવીકાયિકાદિ જીવોની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, તો પણ તેમાં ચાર સ્થાનકો જાણવા. કારણ કે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણના અસંખ્યાતા ભેદો થાય છે. તેની સ્થિતિને આશ્રયી હીનપણા અને અધિકપણામાં ત્રણ સ્થાનકો છે, પણ ચાર સ્થાનકો નથી. કારણ કે તેમાં અસંખ્યાતગુણવૃદ્ધિ અને હાનિનો સંભવ નથી. શા કારણથી અસંભવ છે? તેનો ઉત્તર એ છે કે અહીં પૃથિવીકાયિકાદિનું સૌથી જઘન્ય આયુષ્ય ક્ષુલ્લક (સુદ્ર) ભવપ્રમાણ છે, અને ક્ષુલ્લક ભવનું પરિમાણ બસો છપ્પન આવલિકા છે. બે ઘડી પ્રમાણે એક મુહૂર્તમાં ક્ષુલ્લક ભવોની સર્વ સંખ્યા પાંસઠ હજાર, પાંચસો અને છત્રીસ થાય. છે. કહ્યું છે કે-“હોનિ સયા નિયમાં છપ્પનારું માળો હુંતિ બાવતિયપમાન ઉડી મવહળવાશા પસિસ્સારું પવેવ સારૂં તા છત્તીસા જુઠ્ઠાવાહ મવંતિ તે મુહુરૂM IIરા''-“આવલિકાના પ્રમાણ વડે બસો છપ્પન આવલિકા ક્ષુલ્લક ભવનું પ્રમાણ જાણવું. અને તે ક્ષુલ્લક ભવો મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસો અને છત્રીશ ભવો થાય છે.” પૃથિવીકાયિકની સ્થિતિ ઉત્કર્ષથી પણ સંખ્યાતા વરસ પ્રમાણ છે, માટે અસંખ્યાતગુણવૃદ્ધિ અને હાનિનો સંભવ નથી. બાકીની ત્રણ વૃદ્ધિ અને હાનિનો વિચાર આ પ્રમાણે છે-એક પૃથિવીકાયિક જીવની સ્થિતિ સંપૂર્ણ બાવીશ હજાર વરસની છે, અને બીજાની સમય ન્યૂન બાવીશ હજાર વરસની સ્થિતિ છે. તેથી સમયગૂન બાવીશ હજાર વરસની સ્થિતિવાળો પરિપૂર્ણ બાવીશ હજાર વરસની સ્થિતિવાળાની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ ન્યૂન છે અને બીજો અસંખ્યાતમો ભાગ અધિક છે. એક પૃથિવીકાયિકની પૂરા બાવીશ હજાર વર્ષની સ્થિતિ છે અને બીજાની અન્તર્મુહૂતદિ ન્યૂન તેટલીજ સ્થિતિ છે. અને બાવીશ હજાર વરસનો અન્તર્મુહૂતદિ સંખ્યામાં ભાગ થાય છે. માટે અન્તર્મુહૂતદિ ન્યૂન બાવીશ હજાર વરસની સ્થિતિવાળો પૂર્ણ બાવીશ હજાર વરસની સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાતમા ભાગ વડે ન્યૂન છે, અને તેની અપેક્ષાએ સંપૂર્ણ બાવીશ હજાર વર્ષની સ્થિતિવાળો સંખ્યાતમો ભાગ અધિક છે. એકની સ્થિતિ બાવીશ હજાર વર્ષની છે અને બીજાની સ્થિતિ અન્તર્મુહૂર્ત,. માસ, વરસ, કે હજાર વરસ છે, અન્તર્મુહૂતદિને અમુક પરિમાણવાળી સંખ્યાથી ગુણતાં બાવીશ હજાર વર્ષ થાય છે. તેથી અન્તર્મુહૂતદિપ્રમાણ સ્થિતિવાળો સંપૂર્ણ બાવીશ હજાર વરસની સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાતગુણ ન્યૂન છે, અને તેની અપેક્ષાએ પૂરા બાવીશ હજાર વરસની સ્થિતિવાળી સંખ્યાતગુણ અધિક છે. એ પ્રમાણે અપ્લાયિકથી આરંભી ચઉરિંદ્રિય પર્યાપ્તા સુધી પોતાપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને અનુસાર સ્થિતિવડે ત્રણ સ્થાનકોનો વિચાર કરવો. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને ચાર સ્થાનકો જાણવાં. કારણ કે તેઓની સ્થિતિ ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ છે, અને પલ્યોપમ અસંખ્યાતા વર્ષ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ વૃદ્ધિ અને હાનિનો સંભવ હોવાને લીધે ચાર સ્થાનકો ઘટી શકે છે. એમ બન્નરોને પણ જાણવું. કારણ કે તેની જઘન્યથી દસ હજાર વરસની અને ઉત્કર્ષથી પલ્યોપમની સ્થિતિ છે. જ્યોતિષિક અને વૈમાનિકોને સ્થિતિને આશ્રયી ત્રણ સ્થાનકો જાણવાં. કારણ કે જ્યોતિષિકોનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વરસ અધિક એક પલ્યોપમ છે. વૈમાનિકોનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ છે. દસ કોડા કોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. માટે તેઓને પણ અસંખ્યાતગુણ વૃદ્ધિ હાનિનો અસંભવ હોવાથી તેઓ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત છે. બાકીના સૂત્રનો વિચાર સુગમ હોવાથી સ્વતઃ જાણી લેવો. I/૧૨ll૨ ૫૭. जहन्नठिइयाणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणद्वेणं भंते! एवं वुच्चइ-'जहन्नठिइयाणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नठिइए नेरइए जहन्नठिइयस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वन्न-गंध-रसफासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए। एवं उक्कोसठिइएवि। अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, नवरं सहाणे चउट्ठाणवडिए ।। सू०-१३।।२५८।।।
– 265