________________
पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १
હોવાથી ૯૯૦૦ નવ હજાર નવસો પર્યાય છે. તેને શત સંખ્યા રૂપ સર્વજીવોના અનન્ત વડે ભાગાકાર કરવાથી “સો' એ અનન્તમાં ભાગ થાય છે. માટે જેના સો ન્યૂન દસ હજાર કૃષ્ણવર્ણ પર્યાયો છે તે નારક પરિપૂર્ણ દસ હજાર કૃષ્ણવર્ણના પર્યાયવાળા નારકની અપેક્ષાએ અનન્તભાગ હીન છે. અને તેની અપેક્ષાએ પૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળો બીજો નારક અનન્ત ભાગ અધિક છે. કૃષ્ણવર્ણના પર્યાયનું પરિમાણ દસ હજાર છે તેને અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ કલ્પિત પચાસ વડે ભાગ આપીએ તો બસો આવે, તે અસંખ્યાતમો ભાગ છે. તેમાં એક નારકના કૃષ્ણવર્ણ પર્યાયો બસો ઓછા દસ હજાર (૯૮૦૦) છે, અને બીજાના પૂરા દસ હજાર છે. તેમાં બસો ઓછા દસ હજાર કૃષ્ણવર્ણપર્યાયવાળો નારક છે તે સંપૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાતભાગહીન અને પરિપૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળો તેની અપેક્ષાએ અસંખ્યાતભાગ અધિક છે. દસ હજાર કૃષ્ણવર્ણ પર્યાયના રાશિને ઉત્કૃષ્ટ સંખ્યાતા રૂપ કલ્પિત દસ વડે ભાગીએ એટલે હજાર સંખ્યા આવે તે સંખ્યાતમો ભાગ છે. તેમાં એક નારકનું કૃષ્ણવર્ણના પર્યાયનું પરિમાણ નવ હજાર છે અને બીજાનું દસ હજાર છે. નવ હજાર એ દશ હજારથી એક હજાર ઓછા છે, અને તેનો હજાર સંખ્યાતમો ભાગ છેમાટે નવ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળો નારક પૂર્ણ કૃષ્ણવર્ણ પર્યાયવાળા નારકના કરતાં સંખ્યાતભાગ હીન છે, તેની અપેક્ષાએ બીજો સંખ્યાતભાગ અધિક છે. એક નારકનું કૃષ્ણવર્ણના પર્યાયનું પરિમાણ હજાર છે અને બીજાનું દસ હજાર છે. તેમાં હજારને ઉત્કૃષ્ટ સંખ્યાતા જેવા દસ વડે ગુણતાં દસ હજાર થાય છે. માટે હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળો નારક દસ હજાર કૃષ્ણવર્ણપર્યાયવાળા નારકની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન છે. અને તેની અપેક્ષાએ પરિપૂર્ણકૃષ્ણવર્ણપર્યાયવાળો નારક સંખ્યાતગુણ અધિક છે. એક નારકના કૃષ્ણવર્ણપર્યાય બસો છે, અને બીજાના પૂરા દશ હજાર પર્યાયો છે. બસોને અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ કલ્પિત પચાસ વડે ગુણવાથી દસ હજાર થાય છે. તેથી બસો કૃષ્ણવર્ણપર્યાયવાળો નારક સંપૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન છે. તેની અપેક્ષાએ બીજો અસંખ્યાતગુણ અધિક છે. એક નારકના સો કૃષ્ણવર્ણપર્યાય છે અને બીજાના દસ હજાર છે સોને સર્વ જીવના અનન્ત પરિમાણરૂપ કલ્પિત સો વડે ગુણતાં દસ હજાર થાય છે, માટે સો કૃષ્ણવર્ણપર્યાયવાળો નારક પૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળા નારકની અપેક્ષાએ અનન્તગુણ હીન છે, અને બીજો તેની અપેક્ષાએ અનન્તગુણ અધિક છે. જેમ કૃષ્ણવર્ણ પર્યાયને આશ્રયી હાનિ અને વૃદ્ધિના છ સ્થાનકો કહ્યાં, તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શીને આશ્રયી પ્રત્યેકના છ સ્થાનકો જાણવા. એ. પ્રમાણે પુલવિપાકી નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવના ઔદયિક ભાવની અપેક્ષાએ છ સ્થાનકોનું સ્વરૂપ બતાવ્યું, હવે જીવવિપાકી જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમભાવને અપેક્ષી છ સ્થાનકો બતાવે છે–‘મfમળવોદિયાપનહિં' ઇત્યાદિ. અહીં પૂર્વની પેઠે પ્રત્યેક આભિનિબોધિકાદિ જ્ઞાનમાં છ સ્થાનકોનો વિચાર કરવો. અહીં દ્રવ્યથી તુલ્યપણું બતાવતા સૂત્રકારે “જેમાં ભેદ અને પ્રભેદનું બીજ તીરોહિત છે અને મયૂરના ઈડાના રસની પેઠે જેમાં દેશ અને કાળનો ક્રમ અવ્યક્ત છે એવું તથા વિશેષ ભેદના પરિણામને યોગ્ય દ્રવ્ય છે એટલે અભેદરૂપ, દેશ અને કાળના ક્રમ રહિત તથા વિશેષ અને ભેદના પરિણામને યોગ્ય દ્રવ્ય છે-એમ જણાવ્યું. અવગાહના વડે ચાર સ્થાનક બતાવતા સૂત્રકારે “ક્ષેત્રથી આત્મા સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળો છે, પણ દ્રવ્યના પ્રદેશની સંખ્યાનો સંકોચ અને વિસ્તાર થતો નથી અર્થાત્ દ્રવ્યના પ્રદેશની સંખ્યામાં હાનિ કે વૃદ્ધિ થતી નથી એમ બતાવ્યું છે. આ બાબત અન્ય સ્થળે પણ કહી છે- “વિસનસોવોર્નસ્તો દ્રવ્યપ્રવેશદ્મા : વૃદ્ધિની ત: ક્ષેત્રતતુ તાવાત્મનતાત્ III"-“તે માટે આત્માના વિકાસ અને સંકોચ થવામાં દ્રવ્યના પ્રદેશની સંખ્યાની વૃદ્ધિ કે હ્રાસ થતો નથી, પણ ક્ષેત્રને આશ્રયી વૃદ્ધિ અને હ્રાસ થાય છે.” સ્થિતિ વડે ચતુઃસ્થાનને જણાવતા સૂત્રકારે આયુષ્યકર્મની સ્થિતિબંધના કારણભૂત અધ્યવસાયસ્થાનોનો ઉત્કર્ષ અને અપકર્ષ બતાવ્યો છે. જો એમ ન હોય તો સ્થિતિમાં ચાર સ્થાનકો ન ઘટી શકે. અહીં આયુષ્યકર્મ ઉપલક્ષણ–સૂચક છે. તેથી સર્વ કર્મની સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોનો ઉત્કર્ષ અને અપકર્ષ જાણવો. કૃષ્ણાદિવર્ણ પર્યાયો વડે છ સ્થાન પ્રદર્શિત કરતા આચાર્યો ‘એક નારકના પણ અનન્ત પર્યાયો છે, તો બધા નારકોના હોય તેમાં શું કહેવું” એમ બતાવ્યું.
259