SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा સાગરોપમ સ્થિતિ છે. તેમાં એક સાગરોપમ સ્થિતિવાળો નારક પરિપૂર્ણ સ્થિતિવાળા નારકની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન છે, કારણ કે એક સાગરોપમને તેત્રીશથી ગુણતાં પૂર્ણ સ્થિતિ થાય છે અને પૂર્ણ સ્થિતિવાળો નારક તેની અપેક્ષાએ સંખ્યાતગુણ અધિક છે, તથા એક નારકની દશ હજાર વર્ષની સ્થિતિ છે અને બીજાની તેત્રીશ સાગરોપમ છે. હવે દશ હજાર વર્ષને અસંખ્યાતાથી ગુણતાં તેત્રીશ સાગરોપમ થાય છે, તેથી દશ હજાર વર્ષની સ્થિતિવાળો તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન છે અને તેની અપેક્ષાએ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળો અસંખ્યાતગુણ અધિક છે. એ પ્રમાણે એક નારકને બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્યપણું હોવા છતાં પણ ક્ષેત્રને આશ્રયી અવગાહનાનું હીનાવિકપણું હોવાથી અને કાલને આશ્રયી પણ સ્થિતિનું હીનાવિકપણું હોવાથી ચતુઃસ્થાનની પ્રાપ્તિ કહી છે. હવે ભાવને આશ્રયી હીનાધિકપણું કહે છે-સર્વ જીવ દ્રવ્યો અને અજીવ દ્રવ્યોનો પરસ્પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વડે વિભાગ થાય છે. જેમકે ઘટ. દ્રવ્ય થકી એક ઘટ માટીનો, બીજો સુવર્ણ કે રુપા વગેરેનો હોય છે, ક્ષેત્રથી એક ઘટ અહિં બનેલો અને બીજો પાટલીપુત્રના બનેલો હોય છે, કાળથી એક આજનો અને બીજો આ વરસનો કે અતીત વરસનો હોય છે અને ભાવથી એક કાળો અને બીજો રક્તાદિ વર્ણનો હોય છે. એમ બીજા દ્રવ્યના સંબંધમાં પણ જાણવું. તેમાં પ્રથમ પુદ્ગલવિપાકી નામકર્મના ઉદય નિમિત્તે જીવના ઔદયિક ભાવને આશ્રયી હીનાધિકપણું કહે છે-“વાતવનપજ્ઞાિં સિય ટીળ, સિય તુજો, સિય નહિ.' એક નારક બીજા નારકની અપેક્ષાએ કાળાવર્ણપર્યાય વડે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. તેમાં હીનપણું અને અધિકપણું જે પ્રકારે છે તે પ્રકારે પ્રતિપાદન કરે છે–“ન હી' ઇત્યાદિ. અહીં ભાવની અપેક્ષાએ હીનયણા અને અધિકપણાના વિચારમાં હાનિ અને વૃદ્ધિ પ્રત્યેકના છ છ સ્થાનક પ્રાપ્ત થાય સ્થાનકમાં જે જેની અપેક્ષાએ અનન્તભાગ હીન હોય તેને સર્વ જીવપ્રમાણ અનન્ત સંખ્યા વડે ભાગવાથી જે પ્રાપ્ત થાય છે તે અનન્તમાં ભાગ વડે હીન હોય છે. જે જેની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન હોય છે તેને અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ રાશિવડે ભાગ આપવાથી જે પ્રાપ્ત થાય તેટલા ભાગ વડે ન્યૂન હોય છે. જે જેની અપેક્ષાએ સંખ્યાતભાગ હીન હોય તેને ઉત્કૃષ્ટ સંખ્યાતવડે ભાગવાથી જે પ્રાપ્ત થાય તેટલા વડે તે હીન હોય છે. ગુણવાની સંખ્યામાં જે જેનાથી સંખ્યાતગુણ હોય તેને ઉત્કૃષ્ટ સંખ્યાતાવડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલું સંખ્યાતગુણાનું પ્રમાણ જાણવું. જે જેનાથી અસંખ્યાતગુણ હોય તેને અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ રાશિ વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલું અસંખ્યાતગુણ સમજવું. જે જેનાથી અનન્ત ગુણ હોય તેને સર્વ જીવની અનન્ત સંખ્યાવડે ગુણતાં જેટલું આવે તેટલું અનન્તગુણાનું પ્રમાણ જાણવું. આજ પ્રમાણે કર્મપ્રકૃતિસંગ્રહણીમાં ષસ્થાનકની પ્રરૂપણાના અવસરે ભાગાકાર અને ગુણાકારનું સ્વરૂપ કહેલું છે– સર્વાનિયાનમાંહેનનો નાસ નેકસ્સા મા fસુ ગુણના વિસુ છાણમifહવયા નોn I૩૭ (કર્મપ્રકૃતિબંધનકરણ). “અનન્તભાગ, અસંખ્યાતભાગ અને સંખ્યાતભાગ એ પ્રથમની ત્રણ વૃદ્ધિમાં સર્વ જીવોની, અસંખ્યાત લોકાકાશ પ્રદેશોની, અને ઉત્કૃષ્ટ સંખ્યાતાની સંખ્યા વડે ભાગ કરવો અને પછીની સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનન્તગુણએ ત્રણ વૃદ્ધિમાં ગુણાકાર પણ તે વડેજ કરવો-એટલે અનન્તભાગ વૃદ્ધિમાં સર્વજીવપ્રમાણ અનન્ત વડે ભાગતા, જે આવે તેટલી વૃદ્ધિ કરવી, અસંખ્યાતભાગ વૃદ્ધિમાં અસંખ્યાતા લોકાકાશપ્રદેશપ્રમાણ અસંખ્યાત સંખ્યા વડે ભાગતા જે આવે તેટલી વૃદ્ધિ કરવી અને સંખ્યાતભાગ વૃદ્ધિમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા વડે ભાગતા જે આવે તેટલાની વૃદ્ધિ કરવી. એવી રીતે સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનન્તગુણ વૃદ્ધિમાં પણ ઉપર કહેલ ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અસંખ્યાતા અને સર્વજીવપ્રમાણ અનન્ત સંખ્યાવડે ગુણતાં જે આવે તેટલી સમજવી. હવે પ્રસ્તુત સૂત્રમાં કહેલા ષસ્થાનકનો વિચાર કરાય છે–તેમાં કૃષ્ણ વર્ણના પર્યાયનું પરિમાણ વાસ્તવિક રીતે અનન્ત છે, તો પણ અસત્કલ્પનાથી દસ હજાર ગણવું. તેને સર્વજીવના અનન્ત રાશિરૂપ કલ્પિત સો સંખ્યાવડે ભાગવા, એટલે સો સંખ્યા આવે, તેમાં એક નારકના કૃષ્ણવર્ણના પર્યાયનું પરિમાણ ૧૦૦૦૦ દસ હજાર છે, અને બીજાના સો પર્યાયો ઓછા 258
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy