________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો હીનસ્થિતિવાળો હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય કે અસંખ્યાત ગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક સ્થિતિવાળો હોય. કાળાવર્ણ પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો હીન હોય તો અનંતમો ભાગ હીન હોય, અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય, અસંખ્યાતગુણ હીન હોય કે અનંતગુણ હીન હોય. જો અધિક હોય તો અનંતમો ભાગ અધિક હોય, અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય, અસંખ્યાતગુણ અધિક હોય કે અનંતગુણ અધિક હોય. નીલવર્ણ પર્યાયની અપેક્ષાએ, રક્તવર્ણ પર્યાયની અપેક્ષાએ, હારિદ્રવર્ણ પર્યાયની અપેક્ષાએ અને શુક્લવર્ણ પર્યાયની અપેક્ષાએ છસ્થાનપતિત જાણવો. સુરભિગંધપર્યાય અને દુરભિગંધપર્યાયની અપેક્ષાએ છસ્થાનપતિત હોય. તિક્તરસ પર્યાય, કટુકરસ પર્યાય, કષાયરસ પર્યાય, અમ્લસ પર્યાય અને મધુ૨૨સ પર્યાયની અપેક્ષાએ પણ છસ્થાનપતિત હોય. કર્કશસ્પર્શ પર્યાય, મૃદુસ્પર્શ પર્યાય, ગુરુસ્પર્શ પર્યાય, લઘુસ્પર્શ પર્યાય, શીતસ્પર્શ પર્યાય, ઉષ્ણસ્પર્શ પર્યાય, સ્નિગ્ધસ્પર્શ પર્યાય અને રુક્ષસ્પર્શ પર્યાય વડે છસ્થાનપ્રાપ્ત હોય. આભિનિબોધિક જ્ઞાન પર્યાય, શ્રુતજ્ઞાન પર્યાય, અવધિજ્ઞાન પર્યાય, મતિઅજ્ઞાન પર્યાય, શ્રુતઅજ્ઞાન પર્યાય અને વિભગજ્ઞાન પર્યાય વડે તથા ચક્ષુદર્શન પર્યાય અચક્ષુદર્શન પર્યાય અને અવધિદર્શન પર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત હોય. તે કારણથી હે ગૌતમ! હું એમ કહું છું કે નારકોના સંખ્યાતા નહીં, અસંખ્યાતા નહીં, પણ અનંતા પર્યાય કહ્યા 9.1131128211
(ટી) એ પ્રમાણે ગૌતમે સામાન્યતઃ જીવ પર્યાયો પૂછ્યા અને ભગવાને પણ સામાન્ય રીતે ઉત્તર આપ્યો, હવે ગૌતમ વિશેષપણે પ્રશ્ન કરે છે—નેરઇયાણ ભંતે! કેવઇયા પજ્જવા પન્તત્તા’? હે ભગવન્! નારકોને કેટલા પર્યાયો કહ્યા છે? આ પ્રશ્ન ગૌતમે કયા અભિપ્રાયથી કર્યો છે? તેનો ઉત્તર એ છે કે પહેલાં સામાન્ય જીવના પ્રશ્નમાં પર્યાયવાળા જીવો અનંત હોવાથી અનંતા પર્યાયો કહ્યા, પરંતુ જ્યાં પર્યાયવાળા જીવો અનંતા નથી ત્યાં પર્યાયોનું અનંતપણું શી રીતે ઘટી શકે? એ અભિપ્રાયથી ગૌતમે પ્રશ્ન કર્યો છે. ત્યાં પણ ભગવાન્ એજ ઉત્તર આપે છે કે “નારકોને અનંત પર્યાયો છે.’' હવે અહીં સંશય થવાથી ગૌતમ સ્વામી પૂછે છે કે–‘સે જેદેળ અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે નારકોને એ પ્રમાણે અનંત પર્યાયો છે? ભગવાન્ ઉત્તર આપે છે—à ગૌતમ! એક નૈયિક બીજા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે-દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે ઇત્યાદિ. (પ્ર૦)–હવે અનન્ત પર્યાયો શી રીતે ઘટે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવન્તે અનન્ત પર્યાયો જે રીતે યુક્તિથી સિદ્ધ થાય તે રીતે કહેવું જોઈએ અર્થાત્ પર્યાયોનું અનંતપણું શા હેતુથી ઘટી શકે? એ કહેવું જોઇએ તો કયા અભિપ્રાયથી ભગવાન્ એક નારક જીવ બીજા ના૨ક જીવની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે’ એમ ઉત્તર આપે છે? (ઉ0)–‘કોઈપણ એક દ્રવ્ય અનન્ત પર્યાયવાળું છે.' એ ન્યાયને બતાવવા માટે એમ કહેવામાં આવ્યું છે. તેમાં આ નારક જીવ પણ દ્રવ્ય છે, તેથી એક નારક જીવ દ્રવ્ય બીજા નારક જીવની અપેક્ષાએ ‘દ્રવ્યાર્થતયા’ દ્રવ્યાર્થપણે-દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે–એમ દ્રવ્યસ્વરૂપે તુલ્યપણું કહ્યું. હવે પ્રદેશાર્થપણેપ્રદેશની અપેક્ષાએ તુલ્યપણું કહે છે–‘પલક્રયાપ્ તુપ્તે' પ્રદેશાર્થપણે તુલ્ય છે–એટલે નારક જીવ દ્રવ્યના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે, માટે પ્રદેશાર્થપણે એક નૈરયિક બીજા નૈરયિકોની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશાર્થપણે તુલ્ય કહેવાનું કારણ એટલું જ કે દ્રવ્યો પ્રદેશવાળા અને અપ્રદેશવાળા એ બે પ્રકારનાં છે એમ જણાવવા માટે છે. તેમાં પરમાણુ અપ્રદેશ-જેને કોઇ પ્રદેશ નથી એવું દ્રવ્ય છે, અને દ્વિપ્રદેશ, ત્રિપ્રદેશ આદિ દ્રવ્યો પ્રદેશવાળાં છે. આ બે પ્રકારનાં દ્રવ્યો પુદ્ગલાસ્તિકાયને વિષેજ હોય છે. બાકીના ધર્માસ્તિકાયાદિક દ્રવ્યો અવશ્ય પ્રદેશવાળાં છે. તથા ‘ઓહળદાર્ સિય હીને' ઇત્યાદિ. અવગાહનાની અપેક્ષાએ યાત્–કદાચિત્ હીન હોય–એટલે અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશવાળો નૈરયિક બીજા તુલ્યપ્રદેશવાળા નૈરિયકથી
256