SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं પ્રદેશો આવે તેટલા અપર્યાપ્તા ચઉરિક્રિયાદિ છે, માટે જંગલના સંખ્યાતમા ભાગની અપેક્ષાએ બસો છપ્પન અંગુલ સંખ્યાતગુણા છે, તેથી જ્યોતિષ્ક દેવોની અપેક્ષાએ વિચાર કરતાં પર્યાપ્ત ચઉરિન્દ્રિયો પણ સંખ્યાતગુણા ઘટે છે તો પર્યાપ્ત ચઉરિન્દ્રિયથી સંખ્યામાં ભાગ પ્રમાણ ખેચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા હોય તેમાં શું કહેવું? (૪૩) તેથી સ્થલચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા છે. (૪૪) તેથી જલચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા છે. (૪૫) તેથી પર્યાપ્ત ચઉરિન્દ્રિયો સંખ્યાતગુણા છે. (૪૬) તેથી પર્યાપ્તા સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિયો વિશેષાધિક છે. (૪૭) તેથી પર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે. (૪૮) તેથી પર્યાપ્તા ઇન્દ્રિયો વિશેષાધિક છે. યદ્યપિ પર્યાપ્તા ચઉરિન્દ્રિયથી માંડી પર્યાપ્ત તે ઇન્દ્રિય સુધીના પ્રત્યેક એક પ્રતરમાં અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ સૂચિશ્રેણિના જેટલા ખંડો થાય તેટલા સામાન્ય રીતે બીજા સ્થળે કહેલા છે, તો પણ અંગુલના સંખ્યાતમા ભાગના સંખ્યાતા ભેદો હોવાથી ઉત્તરોત્તર વિશેષાધિક પણાનું કથન વિરુદ્ધ નથી. બીજા સ્થળે પણ આ પ્રમાણે અલ્પબદુત્વ કહ્યું છે “તત્તો નપુંસ ઉદય સંજ્ઞા થતયરનનયરનjક્ષ રવિ તમો પતિપન્નર ઉત્તિ મહિના'- તેથી નપુંસક ખેચર, નપુંસક સ્થલચર, નપુંસક જલચર અને પર્યાપ્તા ચઉરિન્દ્રિય સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા પંચેન્દ્રિય, બેઇન્દ્રિય અને ઇન્દ્રિય કંઈક અધિક છે.” (૪૯) પર્યાપ્ત ઇન્દ્રિયોથી અપર્યાપ્ત પંચેન્દ્રિયો અસંખ્યાતગણા છે. કારણ કે તેઓ જંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિરૂપ ખંડો એક પ્રતરમાં જેટલા હોય તેટલા છે. (૫૦) તેથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે. (૫૧) તેથી પણ અપર્યાપ્તા તેઈન્દ્રિયો વિશેષાધિક છે. (૫૨) તેથી પણ અપર્યાપ્ત બેઇન્દ્રિયો વિશેષાધિક છે. યદ્યપિ અપર્યાપ્ત ચઉરિન્દ્રિયથી માંડી અપર્યાપ્ત બેઈન્દ્રિય સુધીના જીવો પ્રત્યેક એક પ્રતરમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સચિરૂ૫ ખંડો જેટલા હોય તેટલા બીજે સ્થળે સામાન્યપણે કહ્યા છે તો પણ અંગલના અસંખ્યાતમા ભાગના અનેક ભેદો હોવાથી આ પ્રમાણે વિશેષાધિકપણાનું કથન વિરુદ્ધ નથી. (૫૩) તે બેઈન્દ્રિય અપર્યાપ્તાથી પણ પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. યદ્યપિ અપર્યાપ્ત બેઇન્દ્રિયાદિની પેઠે પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિરૂપ ખંડો એક પ્રતરમાં જેટલા હોય તેટલા અન્ય સ્થળે કહ્યા છે, તો પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદો હોવાથી બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના પરિમાણના વિચારમાં અંગુલનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતગુણો ઓછો લેવો, તેથી કંઈ પણ વિરોધ નથી. (૫૪) તેથી પર્યાપ્તા અનન્તકાયિક જીવના શરીરરૂપ બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. (૫૫) તેથી બાદર પૃથિવીકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૫૬) તેથી પર્યાપ્ત બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે. યદ્યપિ પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક, પૃથિવીકાયિક અને અખાયિક પ્રત્યેક અંગુલના અસંખ્યામાં ભાગ પ્રમાણ સૂચિરૂપ ખંડો એક પ્રતરમાં જેટલા થાય તેટલા સામાન્યપણે અન્ય ગ્રન્થોમાં કહેલો છે, તો પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદો હોવાથી આ પ્રમાણે અસંખ્યાતગુણા કહેવામાં કોઈ પણ દોષ નથી. (૫૭) બાદર પર્યાપ્તા અપ્લાયિકથી પર્યાપ્યા બાદ વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ ઘનીકત લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા પ્રતરના આકાશપ્રદેશ પ્રમાણ છે. (૫૮) તેથી બાદર તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ અસંખ્યાતા લોકના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. (૫૯) તેથી પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૬૦) તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. (૬૧) તેથી બાદર પૃથિવીકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૬૨) તેથી બાદર અપ્લાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણા છે. (૬૩) તેથી બાદર વાયકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગ (૬૪) તેથી સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૬૫) તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે. (૬૬) તેથી સૂક્ષ્મ અપ્લાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે. (૬૭) તેથી સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે. (૬૮) તેથી સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષ્મ જીવોથી પર્યાપ્તા સૂક્ષ્મ જીવો સ્વભાવથી જ ઘણા છે. આ પ્રજ્ઞાપના સૂત્રના સંગ્રહણીકાર કહે છે કે “નીવાઈમપન્ન વદુતરા વીચી વિનેયા સુહુમાન ચ પન્ના મોહેન વ વસ્તી વિવિફા''- સામાન્યતઃ બાદર જીવોમાં અપર્યાપ્તા ઘણા છે અને સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્તા ઘણા છે એમ કેવલજ્ઞાની 230
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy