________________
तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ સનત્કુમાર કલ્પના દેવો અસંખ્યાતગુણા કહ્યા છે અને અહીં સૌધર્મ કલ્પમાં સંખ્યાતગુણા કહ્યા તેનું શું કારણ? (ઉ)–શાસ્ત્રના પ્રામાણ્યથી આ વાત માનવી જોઇએ. અહીં પાઠની ભ્રાન્તિ નથી, કારણ કે અન્ય સ્થળે પણ કહ્યું છે કે-‘‘સાળે સવ્વવિ બત્તીસ'મુળાઓ હાંતિ રેવીમો સંવિન્ગા સોહમે તો અસંવા મવળવાસી ।।''-‘ઈશાન કલ્પમાં બધે પણ બત્રીશગુણી દેવીઓ છે, તેથી સંખ્યાતગુણા સૌધર્મ દેવલોકમાં અને તેથી અસંખ્યાતગુણા ભવનવાસી છે.’ (૨૮) તેથી તેજ સૌધર્મ કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. કારણ કે તે દેવોથી બત્રીશગુણી છે. (૨૯) તે દેવીઓથી અસંખ્યાતગુણા ભવનવાસી દેવો છે, કેવી રીતે છે? આ પ્રમાણે છે–અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશરાશિના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણવાથી જેટલો પ્રદેશરાશિ થાય તેટલી ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા ભવનપતિ દેવ અને દેવીઓનો સમુદાય છે. તેનાથી કંઇક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા ભવનપતિ દેવો છે. માટે સૌધર્મ દેવીઓથી તેઓ અસંખ્યાતગુણા છે. (૩૦) તેથી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે કારણ કે તે બત્રીશગુણી છે. (૩૧) તેથી પણ આ રત્નપ્રભા પૃથિવીમાં ના૨કો અસંખ્યાતગુણા છે, કારણ કે અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળ વડે ગુણતાં જેટલા પ્રદેશો થાય તેટલી ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિ જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે. (૩૨) તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. (૩૩) તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે કારણ કે તે ત્રણગુણી છે. કારણ કે ‘તિર્યંચની સ્ત્રી ત્રણગુણી અને ત્રણ અધિક જાણવી–એવું શાસ્ત્રનું કથન છે.’ (૩૪) તેથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષો સંખ્યાતગુણા છે, કારણ કે તે પ્રતરના અતિશય મોટા અસંખ્યાતમા ભાગની અસંખ્યાત શ્રેણિના આકાશપ્રદેશના રાશિ જેટલા છે. (૩૫) તેથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કા૨ણ કે તે ત્રણગુણી છે. (૩૬) તેથી જલચર • પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષો સંખ્યાતગુણા છે. કારણ કે પ્રતરના અત્યંત ઘણા મોટા અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિના જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે. (૩૭) તેથી જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કારણ કે તે ત્રણગુણી છે. (૩૮) તેથી વ્યન્તર દેવો [પુરુષો] સંખ્યાતગુણા છે, કારણ તેઓ એક પ્રતરમાં સંખ્યાતા કોટાકોટી યોજનપ્રમાણ સૂચિશ્રેણિના જેટલા ખંડો થાય તેટલા સામાન્ય વ્યન્તરો છે. પરંતુ અહીં કેવળ પુરુષોની વિવક્ષા છે, તેથી બધા સમુદાયની અપેક્ષાએ કંઈક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા જાણવા, તેથી જલચર સ્ત્રી કરતાં સંખ્યાતગુણા ઘટે છે. (૩૯) તેથી વ્યન્તરીઓ બત્રીશગુણી હોવાથી સંખ્યાત ગુણી છે. (૪૦) તેથી જ્યોતિદેવો સંખ્યાતગુણા છે. કારણ કે તેઓ એક પ્રત૨માં બસો છપ્પન અંગુલપ્રમાણ સૂચિશ્રેણિના જેટલા ખંડો થાય તેટલા છે, પરંતુ અહીં પુરુષોની વિવક્ષા હોવાથી બધા સમુદાયની અપેક્ષાએ કંઈક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા છે, માટે વ્યન્તરદેવી ક૨તાં સંખ્યાતગુણા છે. (૪૧) તેથી જ્યોતિષ્ક દેવીઓ સંખ્યાતગુણી છે, કારણ કે તેઓ બત્રીશગુણી છે. (૪૨) તેથી ખેચ૨ પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે. ક્વચિત્ ‘અસંખેજ્જગુણા’ એવો પાઠ છે, પરંતુ તે યોગ્ય નથી. કારણ કે એ પછી આગળ પર્યાપ્તા ચઉરિન્દ્રિયો કહેવામાં આવશે તે પણ જ્યોતિષ્ક દેવોથી સંખ્યાતગુણા જ ઘટે છે, તે નહિ ઘટી શકે. તે આ પ્રમાણે–એક પ્રતરમાં બસો છપ્પન અંગુલપ્રમાણ સૂચિરૂપ ખંડો જેટલા હોય તેટલા જ્યોતિષ્ઠો છે. કહ્યું છે કે-‘‘છપ્પનવોસયંમુતસૂરૂપસેર્દિ માણ્યું પયરા. નોસિન્હેં દીક્ તિા''−‘બસો છપ્પન અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિના પ્રદેશો વડે પ્રતરને ભાગતાં જેટલી સંખ્યા આવે તેટલી જ્યોતિષ્ક દેવોથી અપહરાય છે.’ એક પ્રતરમાં અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિરૂપ ખંડ જેટલા થાય તેટલા ચરૅિન્દ્રિય જીવો છે. કહ્યું છે કેપુત્ત્તત્તાપન્તત્તનિતિષડરબનનો અવાંતિ અનસંહાસંવસમÄ પુઢો પય।।''−‘પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયો પ્રત્યેક અંગુલના સંખ્યાતમા અને અસંખ્યાતમા ભાગના પ્રદેશ વડે ભાગતાં પ્રતરનો અપહાર કરે છે.' એટલે અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિ પ્રદેશ વડે પ્રતરને ભાગતાં જેટલા આકાશ પ્રદેશો આવે તેટલા પર્યામા ચઉરિન્દ્રિયાદિ છે, અને અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિના પ્રદેશો વડે ભાગતાં જેટલા આકાશ
229