SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं છે તેમ તેમ દેવો પણ ઘણા છે, તેથી એમ જણાય છે કે અનુત્તરોપપાતિક દેવોથી ક્ષેત્રપલ્યોપમના અત્યન્ત મોટા અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ ઉપરના ત્રણ ત્રૈવેયકના દેવો છે. એમ પછીના દેવો સંબંધી પણ આનત કલ્પ સુધી વિચાર ક૨વો. (૬) ઉ૫૨ના ત્રણ ત્રૈવેયકના દેવોથી મધ્યમ ત્રણ ત્રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે. (૭) તેથી નીચેના ત્રણ ત્રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે. (૮) તેથી અચ્યુત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૯) તેથી આરણ કલ્પના દેવો સંખ્યાતગુણા છે. જો કે આરણ અને અચ્યુત કલ્પ બન્ને સમશ્રેણીમાં અને તેમાં વિમાનોની સંખ્યા સરખી છે, તો પણ કૃષ્ણપાક્ષિક જીવો તથાસ્વભાવથી દક્ષિણ દિશામાં ઘણા ઉત્પન્ન થાય છે, ઉત્તરદિશામાં ઘણા થતા નથી અને કૃષ્ણપાક્ષિકો ઘણા હોય છે, શુક્લપાક્ષિકો થોડા છે તેથી અચ્યુત કલ્પના દેવોની અપેક્ષાએ આરણકલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૧૦) તેથી પણ પ્રાણત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૧૧) તેથી આનતકલ્પના દેવો સંખ્યાતગુણા છે. તેનો વિચાર આરણકલ્પની પેઠે ક૨વો. (૧૨) તેથી નીચેની સાતમી નરકપૃથિવીના નારકો અસંખ્યાતગુણા છે. કારણ કે તે શ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. (૧૩) તેથી છઠ્ઠી પૃથિવીના નારકો અસંખ્યાતગુણા છે. અને પૂર્વ દિશાની અપેક્ષાએ નૈરયિકોના અલ્પબહુત્વનો વિચાર કરતાં એનો વિચાર કર્યો છે. (૧૪) તેથી સહસ્રાર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે છઠ્ઠી પૃથિવીના નૈરયિકોના પ્રમાણના કારણભૂત શ્રેણિના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ સહસ્રારકલ્પના દેવોના પરિમાણનું કારણભૂત શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતગુણ છે. (૧૫) તેથી મહાશુક્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે અહીં ઘણા વિમાનો છે. છ હજાર વિમાનો સહસ્રાર કલ્પમાં અને ચાળીશ હજાર વિમાનો મહાશુક્ર કલ્પમાં છે. વળી નીચે નીચેના વિમાનમાં રહેનારા ઘણા, વધારે ઘણા દેવો છે અને થોડા, વધારે થોડા ઉપર ઉપરના વિમાનમાં દેવો છે, માટે સહસ્રાર દેવોથી મહાશુક્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. (૧૬) તેથી પણ પાંચમી ધૂમપ્રભા નામે નરકપૃથિવીમાં ના૨કો અસંખ્યાતગુણા છે. કારણ કે તે શ્રેણિના અત્યન્ત મોટા અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. (૧૭) તેથી પણ લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ શ્રેણિના અતિશય વધારે મોટા અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશરાશિપ્રમાણ છે. (૧૮) તેથી ચોથી પંકપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. અહીં યુક્તિ પૂર્વની પેઠે જાણવી. (૧૯) તેથી બ્રહ્મલોક કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે, કારણ પૂર્વની પેઠે જાણવું. (૨૦) તેથી ત્રીજી વાલુકાપ્રભાના નારકો અસંખ્યાતગુણા જાણવા. (૨૧) તેથી માહેન્દ્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. (૨૨) તેથી સનત્સુમા૨ કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. અહીં બધે પૂર્વે કહેલી યુક્તિઓનું અનુસરણ કરવું. (૨૩) તેથી બીજી શર્કરાપ્રભા નરકપૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. અહીં સાતમી નરકપૃથિવીના નારકોથી આરંભી બીજી નરકપૃથિવીના નારકો સુધી પ્રત્યેકનો સ્વસ્થાનની અપેક્ષાએ વિચાર કરતાં બધા ધંનીકૃત લોકની શ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ જાણવા, માત્ર શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાત પ્રકારનો હોય છે, માટે આ પ્રમાણે ઉત્તરોત્તર અસંખ્યાતગુણપણે કહેવાતા અલ્પબહુત્વમાં વિરોધ આવતો નથી. (૨૪) તે બીજી નરકપૃથિવીના નારકોથી સંમૂર્ણિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ અંશુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશરાશિના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળની સાથે ગુણતા જેટલા પ્રદેશો થાય તેટલા જાણવા. (૨૫) તેથી ઈશાન કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા પ્રમાણવાળા ઈશાન દેવલોકમાં દેવો અને દેવીઓનો સમુદાય । છે. તેનાથી કંઇક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા ઈશાન દેવો છે, માટે દેવો સંમૂર્ણિમ મનુષ્યો કરતાં અસંખ્યાતગુણા છે. (૨૬) તેથી ઈશાન કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. કારણ કે તે બત્રીશગુણી છે. ‘બત્રીશગુણી અને બત્રીશ અધિક દેવીઓ છે.’ એવું આગમવચન છે. (૨૭) તેથી સૌધર્મ કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં ઘણા વિમાનો છે. તે આ પ્રમાણે– બત્રીશ લાખ વિમાનો સૌધર્મ કલ્પમાં અને અઠ્યાવીશ લાખ વિમાનો ઈશાન કલ્પમાં છે, વળી દક્ષિણ દિશામાં સૌધર્મ કલ્પ અને ઉત્તર દિશામાં ઈશાન કલ્પ છે. દક્ષિણ દિશામાં ઘણા કૃષ્ણપાક્ષિક જીવો ઉપજે છે તેથી ઈશાન દેવીથી સૌધર્મ દેવો સંખ્યાતગુણા છે. (પ્ર૦) આ યુક્તિ માહેન્દ્ર અને સનત્કુમાર કલ્પને વિષે પણ કહી છે, પરન્તુ ત્યાં માહેન્દ્ર કલ્પની અપેક્ષાએ 228
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy