________________
तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं
श्री प्रज्ञापना सूत्र भाग १
તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે. ૭૦ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે. ૭૧ તેથી પર્યામા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે. ૭૨ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે. ૭૩ તેથી પર્યામા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે. ૭૪ તેથી અભવ્યો અનંતગુણા છે. ૭૫ તેથી પતિત પડેલા સમ્યદૃષ્ટિ અનંતગુણા છે. ૭૬ તેથી સિદ્ધો અનંતગુણા છે. ૭૭ તેથી પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે. ૭૮ તેથી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. ૭૯ તેથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. ૮૦ તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. ૮૧ તેથી બાદરજીવો વિશેષાધિક છે. ૮૨ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. ૮૩ તેથી . સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. ૮૪ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. ૮૫ તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. ૮૬ તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ૮૭ તેથી ભવસિદ્ધિકો વિશેષાધિક છે. ૮૮ તેથી નિગોદ જીવો વિશેષાધિક છે. ૮૯ તેથી વનસ્પતિજીવો વિશેષાધિક છે. ૯૦ તેથી એકેન્દ્રિયો વિશેષાધિક છે. ૯૧ તેથી તિર્યંચો વિશેષાધિક છે. ૯૨ તેથી મિથ્યાદૃષ્ટિઓ વિશેષાધિક છે. ૯૩ તેથી વિરતિરહિત જીવો વિશેષાધિક છે. ૯૪ તેથી સકષાયી જીવો વિશેષાધિક છે. ૯૫ તેથી છદ્મસ્થ જીવો વિશષાધિક છે. ૯૬ તેથી સયોગી જીવો વિશેષાધિક છે. ૯૭ તેથી સંસારી જીવો વિશેષાધિક છે. ૯૮ અને તેથી સર્વજીવો વિશેષાધિક છે. બહુવક્તવ્યતા પદ સમાસ. II૮ ૧૨ ૧૭ પ્રજ્ઞાપના ભગવતીમાં ત્રીજું અલ્પબહુત્વ પદ સમાપ્ત.
(ટી) પુદ્ગલ દ્વાર સમાપ્ત થયું, હવે મહાદંડક કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર ગુરુની આજ્ઞા માગે છે, તેમને નિવેદન કરે છે– હે ભગવન્! સર્વ જીવોના અલ્પબહુત્વની વક્તવ્યતારૂપ મહાદંડકનું વર્ણન કરીશ-એટલે મહાદંડક પ્રતિપાદક સૂત્રની રચના કરીશ એ તાત્પર્ય છે. આ કથનથી એમ જણાવે છે કે–‘તીર્થંકરની અનુજ્ઞાસાપેક્ષ જ પૂજ્ય ગણધર સૂત્રની રચના કરે છે, પરંતુ શ્રુતાભ્યાસ સાપેક્ષ સૂત્ર રચના કરતા નથી. અથવા એમ જણાવે છે કે વિનેયે-શિષ્યે કુશલ-કલ્યાણકારક કાર્યમાં પણ ગુરુની અનુજ્ઞા સિવાય પ્રવૃત્તિ ન કરવી, પરંતુ તેની આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરવી. અન્યથા વિનેયપણું-શિષ્યપણું ઘટી ન શકે.’ શિષ્યનું આ લક્ષણ શાસ્ત્રમાં કહેલું છે–‘‘ગુરોર્નિવેવિતાત્મા યો, ગુમાવાનુવર્તા મુખ્યર્થ ચેષ્ટતે નિત્યું, સ વિનેય પ્રીતિત: ફ્।।''−‘જેણે પોતાનો આત્મા ગુરુને નિવેદિત કર્યો છે અને જે ગુરુની ચિત્તવૃત્તિને અનુસરે છે તેમજ જે મુક્તિને માટે હમેશાં પ્રયત્ન કરે છે તે વિનેય-શિષ્ય કહ્યો છે.’” જે ગુરુની અનુજ્ઞા માગવી તે ગુરુ આવા પ્રકારનો હોવો જોઈએધર્મજ્ઞો ધર્મળતાં ૬, સવા ધર્મપ્રવર્તા સત્ત્વો ધર્મશાસ્ત્રાર્થવેશજો પુરુષ્યતે ।।''-ધર્મજ્ઞ, ધર્મકર્તા અને હમેશાં ધર્મપ્રવર્તક હોય, તથા પ્રાણીઓને ધર્મશાસ્ત્રના અર્થનો ઉપદેશ કરનારો હોય તે ગુરુ કહેવાય છે.’’ હવે શાસ્ત્રકારે ‘મહાદંડકનું વર્ણન કરીશ’ એમ પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે છે–એટલે મહાદંડકનું વર્ણન કરે છે. (૧) સૌથી થોડા ગર્ભજ મનુષ્યો છે, કારણ કે તે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ છે. (૨) તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કારણ કે તે સત્યાવીશગુણી છે. કહ્યું છે કે–‘મનુષ્યની (સ્ત્રીઓ) સત્યાવીશગુણી અને સત્યાવીશ અધિક છે.’’ (૩) તેથી પર્યામા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે તે કેટલાક વર્ગન્સૂન આવલિકાના સમયોનો ઘન કરતાં જેટલા સમયો થાય તેટલા છે. (૪) તેથી અનુત્તરોપપાતી દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશની રાશિ હોય તેટલા છે. (૫) તેથી ઉપરના ત્રણ ત્રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે, કારણ કે તે પલ્યોપમના મોટા અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. તેનું કારણ એ છે કે ત્યાં વિમાનો ઘણાં છે. તે આ પ્રમાણે–અનુત્તર દેવોના પાંચ વિમાનો છે અને ઉ૫૨ના ત્રણ ત્રૈવેયકના સો વિમાનો છે. દરેક વિમાને અસંખ્યાતા દેવો છે. જેમ જેમ નીચે નીચેના વિમાનો
૧. આવલિકાના અસંખ્યાતા સમયો થાય છે, તેને તેટલી જ સંખ્યાથી ગુણતા વર્ગ થાય, પુનઃ તેટલી સંખ્યાએ ગુણવાથી ઘન થાય છે. જેમકે અસત્કલ્પનાથી આવલિકાના સો સમયો છે તેને સોએ ગુણતાં હજાર થાય અને પુનઃ તેને સોએ ગુણતાં એક લાખ થાય તેને ઘન કહેવાય.
227