________________
श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं छव्वीसइमं पोग्गलदारं उत्तरपुरच्छिमेणं दाहिणपच्चत्थिमेण य दोवि तुल्लाई असंखेज्जगुणाई, दाहिणपुरच्छिमेणं उत्तरपच्चत्थिमेणं य दो वितुल्लाई विसेसाहियाई, पुरच्छिमेणं असंखेज्जगुणाई, पच्चत्थिमेणं विसेसाहियाई, दाहिणेणं विसेसाहियाई, અત્તરેળવિસેતાહિયારૂં સૢ૦-૭૬।૨૨।।
(મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પુદ્ગલો (પુદ્ગલ દ્રવ્યો) ત્રણ લોકમાં (ત્રણ લોકનો સ્પર્શ કરનારા) છે, તેથી ઊર્ધ્વલોક— તિર્યંગ્લોકમાં અનન્તગુણા છે, તેથી અધોલોક–તિર્યઞ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણાં છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા પુદ્ગલો ઊર્ધ્વદિશામાં છે, તેથી અધોદિશામાં વિશેષાધિક છે, તેથી ઉત્તર-પૂર્વમાં (ઈશાન કોણમાં) અને દક્ષિણ-પશ્ચિમમાં (નૈઋત કોણમાં) અસંખ્યાતગુણા અને બન્ને વિદિશામાં પરસ્પર સરખા છે. તેથી દક્ષિણ-પૂર્વમાં (અગ્નિ કોણમાં) અને ઉત્તર-પશ્ચિમમાં (વાયવ્ય કોણમાં) બન્ને સ્થળે સરખા અને વિશેષાધિક છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણા છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા દ્રવ્યો ત્રણલોકમાં (ત્રિલોકવર્તી) છે, તેથી ઊર્ધ્વલોક-તિર્થંગ્લોકમાં અનન્તગુણા છે, તેથી અધોલોક–તિર્યંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં અનન્તગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં દ્રવ્યો અધો દિશામાં છે, તેથી ઊર્ધ્વ દિશામાં અનન્તગુણાં છે, તેથી ઉત્તરપૂર્વ-ઈશાન કોણમાં અને દક્ષિણપશ્ચિમ—નૈઋત્ય કોણમાં અસંખ્યાતગુણા અને બન્ને સ્થળે પરસ્પર સરખાં છે, તેથી દક્ષિણપૂર્વ–અગ્નિકોણમાં અને ઉત્તરપશ્ચિમ-વાયવ્ય કોણમાં બન્ને સ્થળે પરસ્પર સરખાં અને વિશેષાધિક છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણા છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. I૭૬।૨૧૨ (ટી) હવે પુદ્ગલ દ્વાર કહે છે. આ પુદ્ગલોનું અલ્પબહુત્વ દ્રવ્યાર્થપણાને આશ્રયી સમજવું. કારણ કે તેવા પ્રકારનો સંપ્રદાય–પરંપરા છે. તેમાં ક્ષેત્રને અનુસા૨ે વિચાર કરતા ત્રણ લોકનો સ્પર્શ કરનારા પુદ્ગલ દ્રવ્યો સૌથી થોડાં છે, એટલે ત્રણ લોકવ્યાપી પુદ્ગલ સ્કન્ધો સૌથી થોડા છે. કારણ કે અચિત્ત માસ્કંધો જ ત્રણ લોકવ્યાપી છે અને તે થોડા છે. તેથી ઊર્ધ્વલોકતિર્થગ્લોકમાં અનન્તગુણા છે, કારણ કે તિર્યઞ્લોકનું જે સૌથી ઉપરનું એક પ્રદેશવાળું પ્રત૨ અને ઊર્ધ્વલોકનું સૌથી નીચેનું એક પ્રદેશવાળું પ્રતર એ બન્ને પ્રતોને ઊર્ધ્વલોક–તિર્યશ્લોક કહેવાય છે. તેને અનન્ત સંખ્યાતપ્રદેશવાળા, અનન્ત અસંખ્યાતપ્રદેશિક અને અનન્ત અનન્તપ્રદેશિક સ્કન્ધો સ્પર્શ કરે છે, માટે દ્રવ્યસ્વરૂપે અનન્તગુણા છે. તેથી અધોલોક–તિર્યશ્લોક નામે પૂર્વે કહેલા બે પ્રત૨માં વિશેષાધિક છે, કારણ કે લંબાઇ અને પહોળાઇમાં ક્ષેત્ર કંઇક અધિક છે. તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તિર્યંગ્લોકના ક્ષેત્રથી ઊર્ધ્વલોકનું ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે, કારણ કે ઊર્ધ્વલોક કરતાં અધોલોક વિશેષાધિક છે. કંઇક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ ઊર્ધ્વલોક છે, અને કંઇક અધિક સાત રજ્જુ પ્રમાણ અધોલોક છે. હવે દિશાને અનુસરી અલ્પબહુત્વ કહે છે– દિશાની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડા પુદ્ગલો ઊર્ધ્વ દિશામાં છે. અહીં રત્નપ્રભાના સમભૂમિતલવાળા મેરુના મધ્યભાગમાં ચાર ઉપર અને ચાર નીચે એમ આઠ પ્રદેશો રુચક છે, તેથી ચાર પ્રદેશની લોકાન્ત પર્યન્ત ઊર્ધ્વ દિશા નીકળી છે. તેમાં સૌથી થોડા પુદ્ગલો છે, તેથી અધો દિશામાં વિશેષાધિક છે. અધો દિશા પણ તે રુચકથી ચાર પ્રદેશની નીચે લોકાન્ત પર્યન્ત નીકળી છે અને તે અધો દિશા ઊર્ધ્વ દિશાથી વિશેષાધિક હોવાથી ત્યાં પુદ્ગલો વિશેષાધિક છે. તેથી ઉત્તરપૂર્વ–ઈશાન કોણ અને દક્ષિણપશ્ચિમ નૈઋતકોણ પ્રત્યેકમાં અસંખ્યાતગુણા છે અને સ્વસ્થાનની અપેક્ષાએ ૫રસ્પર સરખા છે. કારણ કે તે બન્ને વિદિશાઓ પણ રુચકથી નીકળી મોતીની માળાના આકારે તિર્યઞ્લોક, અધોલોક અને ઊર્ધ્વલોકના અન્ત સુધી ગયેલી છે. તેથી ક્ષેત્ર અસંખ્યાતગુણ હોવાથી તેમાં રહેલા પુદ્ગલો પણ અસંખ્યાતગુણા છે, અને સ્વસ્થાનનું ક્ષેત્ર સરખું હોવાથી
220