SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पंचवीसइमं बंधदारं હોતી નથી માટે તે સૌથી થોડા છે. તેથી અસવહત-સમુદ્ધાતને નહિ પ્રાપ્ત થયેલા અસંખ્યાતગુણા છે, કારણ કે જીવનકાળ ઘણો છે. સૌથી થોડા જીવો સાતવેદનીયના ઉદયવાળા હોય છે, કારણ કે અહીં ઘણા જીવો સાધારણ શરીરવાળા હોય છે અને થોડા પ્રત્યેકશરીરવાળા હોય છે. સાધારણશરીરવાળા ઘણા અસતાવેદનીયના ઉદયવાળા હોય છે અને થોડા સાતાદનીયના ઉદયવાળા હોય છે. અને પ્રત્યેક શરીરવાળા ઘણા સાતા વેદનારા હોય છે અને થોડા અસાતા વેદનારા હોય છે, માટે થોડા સાતવેદક છે. તેથી અસાતા વેદનારા સંખ્યાતગુણા છે. સૌથી થોડા ઇન્દ્રિયના ઉપયોગવાળા હોય છે, અને તેથી નઇન્દ્રિયના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. કારણ કે ઇન્દ્રિયનો ઉપયોગ વર્તમાનકાળવિષયક હોય છે માટે તેનો ઉપયોગકાળ થોડો હોવાથી પ્રશ્નસમયે ઇન્દ્રિયના ઉપયોગવાળા થોડા હોય છે. જ્યારે તેજ અર્થને ઇન્દ્રિયવડે જાણીને ઓઘ સંજ્ઞાવડે પણ વિચારે છે ત્યારે તે નોઇન્દ્રિયના ઉપયોગવાળા કહેવાય છે માટે નોઇન્દ્રિયનો ઉપયોગ અતીત અને અનાગત કાળ વિષયક હોવાથી ઘણો કાળ હોવાને લીધે નોઈન્દ્રિયના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. સૌથી થોડા અનાકાર (દર્શન) ઉપયોગવાળા હોય છે, કારણ કે દર્શનના ઉપયોગનો કાળ થોડો છે, તેથી સાકાર (જ્ઞાન) ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે અનાકાર ઉપયોગના કાળથી સાકાર ઉપયોગનો કાળ સંખ્યાતગુણ છે. હવે સૂત્રમાં કહેલા સામુદાયિક અલ્પબહુતનો વિચાર કરે છે. (૧) સૌથી થોડા જીવો આયુષ્ય કર્મના બન્ધક છે, કારણ કે આયુષ્યબન્ધનો કાળ પ્રતિનિયત-ભવના ત્રીજા વગેરે ભાગે છે. (૨) તેથી અપર્યાપ્તા સંખ્યાતગુણા છે, કારણ કે અપર્યાપ્તા અનુભવાતા વર્તમાન ભવના આયુષ્યનો ત્રીજો ભાગ વગેરે બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, તેથી બે તૃતીયાંશ અબન્ધકાળ અને એક તૃતીયાંશ બન્ધકાળ છે. માટે બન્ધકાળથી અબન્ધકાળ સંખ્યાતગુણ છે. તેથી આયુષ્યના બન્ધકથી અપર્યાપ્તા સંખ્યાતગુણા છે. (૩) તે અપર્યાપ્તાથી સૂતેલા સંખ્યાતગુણા છે. કારણ કે અપર્યાપ્તા અને પર્યાપ્તા બન્નેમાં સૂતેલા હોય છે અને પર્યાપ્તા અપર્યાપ્તાથી સંખ્યાતગુણા છે માટે અપર્યાપ્તાથી સૂતેલા સંખ્યાતગુણા છે. (૪) તેથી સમવહત-સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા સંખ્યાતગુણા છે, કારણ કે પર્યાપ્તા અને અપર્યાપ્તાઓમાં હમેશાં ઘણા મરણસમુદ્ધાતને પ્રાપ્ત થયેલા હોય છે. (૫) તેથી સાતાને વેદનારા સંખ્યાતગુણા છે, કારણ કે આયુષ્યના બન્ધક, અપર્યાપ્ત અને સૂતેલામાં સાતાને વેદનારા હોય છે. (૬) તેથી ઇન્દ્રિયના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે અસાતાને વેદનારાઓમાં પણ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે. (૭) તેથી અનાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે ઇન્દ્રિયના ઉપયોગમાં અને નોઇન્દ્રિયના ઉપયોગમાં અનાકાર ઉપયોગ હોય છે. (૮) તેથી સાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે ઇન્દ્રિય અને નોઈદ્રિયના ઉપયોગમાં સાકાર ઉપયોગનો ઘણો કાળ છે. (૯) તેથી નોઇન્દ્રિયના ઉપયોગવાળા વિશેષાધિક છે. કારણ કે તેમાં નોઇંદ્રિયના અનાકાર ઉપયોગવાળાનો પણ સમાવેશ થાય છે. અહીં શિષ્યોના ઉપર અનુગ્રહ કરવા માટે અસદ્ભાવ સ્થાપના વડે દૃષ્ટાંત બતાવે છે–અહીં સાકાર ઉપયોગવાળા એકસો બાણું છે. તે બે પ્રકારના છે-ઇન્દ્રિય સાકાર ઉપયોગવાળા અને નોઇન્દ્રિય સાકાર ઉપયોગવાળા. તેમાં ઇન્દ્રિય સાકાર ઉપયોગવાળા અત્યન્ત થોડા છે માટે તેની વીશ સંખ્યા કલ્પવી, બાકીના એકસો બહોંતેર નોઇન્દ્રિય સાકાર ઉપયોગવાળા છે. નોઇન્દ્રિય અનાકારોપયોગવાળા બાવન જેટલા છે, તેથી સામાન્ય રીતે સાકાર ઉપયોગવાળાથી વીશ જેટલા ઇન્દ્રિય સાકારોપયોગવાળા બાદ કરીએ અને તેમાં બાવન જેટલા અનાકાર ઉપયોગવાળા નાંખીએ એટલે બસો ચોવીશ થાય છે, માટે સાકાર ઉપયોગવાળાથી નોઈન્દ્રિયના ઉપયોગવાળા વિશેષાધિક છે. (૧૧) તેથી અસાતાના વેદનારા વિશેષાધિક છે, કારણ કે ઇન્દ્રિયના ઉપયોગવાળા પણ અસાતાના વેદનારા હોય છે. (૧૨) તેથી અસમવહત-સમુદ્દઘાતને નહિ પ્રાપ્ત થયેલા વિશેષાધિક છે, કારણ કે સાતાના વેદનારાઓ પણ સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા હોતા નથી. (૧૩) તેથી જાગૃત થયેલા વિશેષાધિક 218
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy