SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं पंचवीसइमं बंधदारं श्री प्रज्ञापना सूत्र भाग १ आउयस्स कम्मस्स बंधगा १, अपज्जत्तया संखेज्जगुणा २, सुत्ता संखेज्जगुणा ३, समोहया संखेज्जगुणा ४, सायावेगा संखेज्जगुणा ५, इंदिओवउत्ता संखेज्जगुणा ६, अणागारोवउत्ता संखेज्जगुणा ७, सागारोवउत्ता संखेज्जगुणा ८, नोइंदिओवउत्ता विसेसाहिया ९, असायावेयगा विसेसाहिया १०, असमोहया विसेसाहिया ११, जागरा विसेसाहिया १२, पज्जत्तया विसेसाहिया १३, आउयस्स कम्मस्स अबंधया विसेसाहिया १४ । IR॰-૭||૨|| (મૂળ) હે ભગવન્! એ આયુષ્ય કર્મના બન્ધક, અબન્ધક, પર્યાપ્તા, અપર્યાપ્તા, સૂતેલા, જાગૃત, સમવહત-સમુદ્ધાતવાળા, અસમવહત-સમુદ્દાત રહિત, સાતાને વેદતા, અસાતાને વેદતા, ઇન્દ્રિયના ઉપયોગવાળા, નોઇન્દ્રિયના ઉપયોગવાળા, સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપયોગવાળા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ૧ સૌથી થોડા જીવો આયુષ્ય કર્મના બન્ધક છે, ૨ તેથી અપર્યાપ્તા જીવો સંખ્યાતગુણા છે, ૩ તેથી સૂતેલા જીવો સંખ્યાતગુણા છે, ૪ તેથી સમવહત-સમુદ્દાતને પ્રાપ્ત થયેલા જીવો સંખ્યાતગુણા છે, ૫ તેથી સાતાવેદનીયનો અનુભવ કરનારા જીવો સંખ્યાતગુણા છે. ૬ તેથી ઇન્દ્રિયના ઉપયોગવાળા જીવો સંખ્યાતગુણા છે, ૭ તેથી અનાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, ૮ તેથી સાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, ૯ તેથી નોઇન્દ્રિય(મન)ના ઉપયોગવાળા વિશેષાધિક છે, ૧૦ તેથી અસાતાવેદનીય કર્મનો અનુભવ કરનારા વિશેષાધિક છે, ૧૧ તેથી અસમવહત–સમુદ્દાતને નહિ પ્રાપ્ત થયેલા જીવો વિશેષાધિક છે, ૧૨ તેથી જાગૃત જીવો વિશેષાધિક છે, ૧૩ તેથી પર્યામા વિશેષાધિક છે, ૧૪ અને તેથી આયુષ્ય કર્મના અબન્ધક વિશેષાધિક છે. ૭૫૨૧૧ (ટી૦) હવે બન્ધદ્વાર કહે છે–અહીં આયુષ્ય કર્મના બન્ધક, અબન્ધક, પર્યાપ્તા, અપર્યાપ્તા, સૂતેલા, જાગૃત, સમવહત– સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા, અસમવહત-સમુદ્દાતને નહિ પ્રાપ્ત થયેલા, સાતાવેદક, અસાતાવેદક, ઇન્દ્રિયના ઉપયોગવાળા, નોઇન્દ્રિયના ઉપયોગવાળા, સાકાર-જ્ઞાનોપયોગવાળા અને અનાકાર-દર્શન ઉપયોગવાળા એઓનું સામુદાયિક અલ્પબહુત્વ કહેવાનું છે. તેમાં પ્રથમ પ્રત્યેકનું અલ્પબહુત્વ કહીએ છીએ, જેથી સમુદાયનું અલ્પબહુત્વ અનાયાસથી સમજી શકાય. તેમાં સૌથી થોડા આયુષ્ય કર્મના બન્ધક છે, તેથી અબન્ધક સંખ્યાતગુણા છે. કારણ કે વર્તમાન ભવના અનુભવાતા આયુષ્યનો ત્રીજો ભાગ, ત્રીજા ભાગનો ત્રીજો ભાગ, તેનો પણ ત્રીજો ભાગ ઇત્યાદિ બાકી હોય ત્યારે જીવો પરભવનું આયુષ્ય બાંધે છે, માટે બે તૃતીયાંશ અબન્ધકાળ છે અને એક તૃતીયાંશ બન્ધકાળ છે. માટે આયુષ્યના બન્ધ કરનારાથી અબન્ધક જીવો સંખ્યાતગુણા છે. સૌથી થોડા અપર્યાપ્તા છે અને તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. આ સૂક્ષ્મ જીવોને આશ્રયી જાણવું. કારણ કે સૂક્ષ્મ જીવોમાં બાહ્ય વ્યાઘાત-ઉપક્રમ હોતો નથી. માટે ઘણા સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે અને થોડ' ની જ અનુત્પત્તિ-મરણ થાય છે. સૌથી થોડા સૂતેલા છે, અને તેથી જાગૃત જીવો સંખ્યાતગુણા છે. આ પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ જાણવું. કારણ કે અપર્યાપ્તા સૂતેલા હોય છે, પર્યામા જાગૃત પણ હોય છે. મૂલ ટીકામાં કહ્યું છે કે— 'जम्हा अपज्जत्ता सुत्ता लब्धंति, केइ अपज्जत्तगा जेसिं संखिज्जा समया अतीता ते य थोवा, इयरे वि य सेसा थोवगा चेव, सेसा जागरा पज्जत्ता, ते संखिज्जगुणा" इति । કારણ કે અપર્યાપ્તા સૂતા હોય છે, અને તેમાં કેટલાક અપર્યાપ્તા કે જેઓને સંખ્યાતા સમયો વ્યતીત થયા છે તે થોડા છે, બીજા પણ થોડા છે. બાકીના જાગૃત એ પર્યાપ્તા છે અને તે સંખ્યાતગુણા છે. માટે જાગૃત પર્યાપ્તા હોય છે અને તેથી સંખ્યાતગુણા છે. સમવહત-સમુદ્દાતને પ્રાપ્ત થયેલા સૌથી થોડા છે, કારણ કે અહીં સમવહત-મરણસમુદ્દાતને પ્રાપ્ત થયેલા ગ્રહણ ક૨વા અને મ૨ણસમુદ્દાત તો મરણકાળ હોય છે પણ બાકીના સમયે હોતી નથી, તેમાં પણ બધા જીવોને મરણસમુદ્દાત 217
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy