SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ છે, કારણ કે બેઇન્દ્રિયોના ઘણા ઉત્પત્તિસ્થાનો અધોલોકમાં છે, અને તેથી ઘણા તિર્યશ્લોકમાં છે, તેમાં જે બેઈન્દ્રિયો અધોલોકથી ઊર્ધ્વલોકમાં બેઈન્દ્રિયપણે કે અન્યપણે ઉપજવાના છે અને પ્રથમ મરણ સમુદ્ધાત કરી સમુદ્ધાતવડે ઉત્પત્તિ દેશ સુધી આત્મપ્રદેશરૂપ દંડનો વિસ્તાર કરતા બેઈન્દ્રિયાયુષ્ય વેદે છે, અને જેઓ ઊર્ધ્વલોકથી અધોલોકમાં બેઈન્દ્રિયો કે અન્ય કાયના જીવો યાવત્ બેઇજિયપણે ઉત્પન્ન થતા બેઇન્દ્રિયાયુષ્યનો અનુભવ કરે છે તે ત્રણ લોકનો સ્પર્શ કરે છે, તે ઘણા હોવાથી પૂર્વે કહેલાથી અસંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોકરૂપ બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ કે જે અધોલોકથી તિર્યશ્લોકમાં અને તિર્યશ્લોકથી અધોલોકમાં બેઈન્દ્રિયપણે ઉપજવાની ઇચ્છાવાળા અને તેનું આયુષ્ય અનુભવતા ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે, તથા જે બેઇન્દ્રિય જીવો તિર્યશ્લોકથી અધોલોકમાં બેઇન્દ્રિયપણે કે શેષકાયપણે ઉપજવાની ઇચ્છાવાળા છે, અને પ્રથમ મારણાંતિક સમુઘાત કરતા અને બેઇન્દ્રિયના આયુષ્યનો અનુભવ કરતા સમુદ્યાતવડે ઉત્પત્તિસ્થાન સુધી આત્મપ્રદેશો દંડરૂપે વિસ્તારે છે તેઓ ઉક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, તેઓ ઘણા છે માટે પૂર્વે કહેલા જીવોથી અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં તેના ઉપજવાના સ્થાનો ઘણાં છે. તેથી પણ તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં તેના યોનિસ્થાનો-ઉપજવાના સ્થાનો અતિશય ઘણાં છે. જેમ આ સામાન્ય બેઇન્દ્રિય સંબન્ધી સૂત્રનો વિચાર કર્યો તેમ પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઈન્દ્રિય સૂત્ર જાણવું. તેજ પ્રમાણે સામાન્ય તે ઇન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત તેઈન્દ્રિય, સામાન્ય ચઉરિન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત ચઉરિન્દ્રિય સૂત્રનો વિચાર કરવો. II૬૭૨૦૩ll खेत्ताणुवारणंसव्वत्थोवा पंचिंदिया तेलुक्के, उडलोयतिरियलोएसंखेज्जगुणा, अहोलोयतिरियलोएसंखेज्जगुणा, उडलोए संखेज्जगुणा,अहोलोएसंखेज्जगुणा,तिरियलोए असंखेज्जगुणा। खेत्ताणुवारणंसव्वत्थोवा पंचिंदिया अपज्जत्तया तेलोक्के, उड्डलोयतिरियलोएसंखेज्जगुणा,अहोलोयतिरियलोएसंखेज्जगुणा, उडलोएसंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा। खेत्ताणुवारणं सव्वत्थोवा पंचिदिया पज्जत्ता उडलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणा, तेलुक्के संखेज्जगुणा,अहोलोयतिरियलोएसंखेज्जगुणा,अहोलोएसंखेज्जगुणा, વિડિયો પસંવેક્નપુI Iકૂ૦-૬૮પાર૦૪|| (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પંચેન્દ્રિય જીવો ત્રણ લોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને . ' તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત પંચેન્દ્રિયો ત્રણ લોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પયરમાં પંચેન્દ્રિયો ઊલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. //૬૮૨૦૪ll (ટી) હવે પંચેન્દ્રિયના સંબંધમાં અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડા પંચેન્દ્રિયો ત્રણ લોકમાંત્રણ લોકનો સ્પર્શ કરનારા છે, કારણ કે જેઓ અધોલોકથી ઊર્ધ્વલોકમાં અને ઊર્ધ્વલોકથી અધોલોકમાં બાકીની કાયવાળા પંચેન્દ્રિયાયુષ્યનો અનુભવ કરતાં ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે અને જે પંચેન્દ્રિયો ઊર્વલોકથી અધોલોકમાં અને અધોલોકથી ઊર્ધ્વલોકમાં પંચેન્દ્રિય સિવાય બાકીની કાયપણે કે પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થવાની ઇચ્છાવાળા માણસમુઘાત કરી અને સમુદ્યત વડે ઉત્પત્તિસ્થાન સુધી આત્મપ્રદેશો દંડરૂપે વિસ્તારી હજી સુધી પંચેન્દ્રિયાયુષ્યનો અનુભવ કરે છે તે ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે, તે થોડા છે માટે સૌથી થોડા કહ્યા છે. તેથી ઊર્વલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ 213
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy