________________
तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ સૌધર્માદિ દેવલોકને વિષે બાદર પર્યાપ્ત પૃથિવીકાયિકપણે, બાદર પર્યાપ્ત અકાયિકપણે અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયિકપણે અનેક પ્રકારના મણિ વગેરે શુભ સ્થાનોમાં ઉપજવાના છે અને હજી પણ જેઓ સ્વભવનું આયુષ્ય અનુભવે છે, પરંતુ પૃથિવીકાયિકાદિ પરભવનું આયુષ્ય અનુભવતા નથી, મારણાન્તિક સમુદ્દાત વડે સવહત થયેલા બે પ્રકારના છે, કેટલાક પરભવનું આયુષ્ય વેદે છે અને કેટલાક વેદતા નથી, ભગવતી સૂત્રમાં કહ્યું છે કે-" નીવે ! મારવિયસનુષા समोहए समोहणित्ता जे भविए मंदरस्स पव्वयस्स पुरच्छिमेणं बायरपुढवीकाइयत्ताए उववज्जित्तए से णं भंते! किं तत्थगए उववज्जेज्जा उयाहु पडिनियत्तित्ता उववज्जइ? गोयमा! अत्थेगइए तत्थगए चेव उववज्जइ अत्थेगइए ततो પત્તિનિયત્તિ વર્ના મારવિયસનુષા સમોહપતિ, તમોત્તા તો પછી ૩વવ" તિા-“હે ભગવન્! મારણાંતિક સમુદ્દઘાત કરીને જે મેરુપર્વતની પૂર્વ દિશામાં બાદરપૃથિવીકાયપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! ત્યાં જઈને ઉત્પન્ન થાય કે ત્યાંથી પાછો ફરીને ઉત્પન્ન થાય? હે ગૌતમ! કદાચ ત્યાં જઈને ઉત્પન્ન થાય અને કદાચિત્ ત્યાંથી પાછો ફરીને બીજી વાર મારણાંતિક સમુદ્યાત કરીને ત્યાર પછી ત્યાં ઉત્પન્ન થાય.” તેઓ હજી પોતાના ભવનું આયુષ્ય વેદતા હોવાથી ભવનવાસી જ કહેવાય છે. આવા પ્રકારના જે ભવનવાસીઓ ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશરૂપ દંડનો વિસ્તાર કરે છે તેઓ, તથા ઊર્ધ્વલોકમાં જવા આવવાથી અને તે બે પ્રતરની પાસે તેઓનું ક્રીડાસ્થાન હોવાથી ઉપર કહેલા બધા તે બે પ્રતરનો સ્પર્શ કરે છે માટે પૂર્વે કહેલાથી અસંખ્યાતગણી છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા સંખ્યાતગુણા છે, કારણ કે જે ઊર્ધ્વલોકમાં રહેલા તિર્યંચ પંચેન્દ્રિયો ભવનપતિપણે ઉપજવાના છે અને જેઓ સ્વસ્થાને વૈક્રિય સમુદ્ધાત વડે કે પ્રથમ મરણ સમુદ્દાત વડે તેવા પ્રકાસ્ના તીવ્ર પ્રયત્નવિશેષથી સમવહત થયેલા છે તેઓ ત્રણ લોકનો સ્પર્શ કરે છે માટે તેઓ સંખ્યાતગુણા છે. કારણ કે પરસ્થાનમાં સમુઘાત કરનારાથી સ્વસ્થાનમાં સમુદ્દઘાત કરનારા સંખ્યાતગુણા હોય છે. તેથી અધોલોકતિર્યશ્લોક નામે બે પ્રતરમાં વર્તમાન ભવનપતિ દેવો અસંખ્યાતગુણા છે. સ્વસ્થાનને નજીક હોવાથી અને તિર્યશ્લોકમાં જવા આવવાથી તથા સ્વસ્થાનમાં રહેલા ક્રોધાદિ સમુઘાતને પ્રાપ્ત થવાથી ઘણા ભવનપતિ દેવોને પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ થાય છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે સમવસરણાદિને વિષે વંદનનિમિત્તે અને રમણીય દ્વીપોમાં ક્રીડાનિમિત્તે આવવાનો સંભવ છે અને આવીને પણ તેઓ લાંબા કાળ સુધી રહે છે. તેથી અધોલોકમાં અસંખ્યાતગુણા છે. કારણ કે અધોલોક ભવનવાસીઓનું પોતાનું સ્થાન છે. એમ ભવનવાસી દેવીઓનું પણ અલ્પબદુત્વ જાણવું. હવે વ્યન્તરોના સંબંધમાં અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડા વ્યન્તરો ઊર્ધ્વલોકમાં છે, કારણ કે કેટલાક વ્યન્તરો મેરુપર્વતના પડેકવનાદિમાં હોય છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે. કારણ કે કેટલાકને તે બે પ્રતરો પોતાના સ્થાનની અંદર આવી જતા હોવાથી, કેટલાકને પોતાના સ્થાનની નજીક હોવાથી અને બીજા ઘણા વન્તરોનું મંદરાદિ પર્વતોમાં ગમનાગમન હોવાથી તેઓને પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ થાય છે. માટે વિચાર કરતાં તે બધા અતિશય ઘણા થાય છે. તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્રણે લોકમાં રહેનારા વ્યન્તરો તથાવિધ પ્રયત્નવિશેષથી વૈક્રિય સમુઘાત કરવા વડે આત્મપ્રદેશોથી ત્રણે લોકનો સ્પર્શ કરે છે. તે માટે પૂર્વે કહેલાથી અત્યંત ઘણા થાય છે, તેથી સંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તે ઘણા વ્યસ્તરોનું સ્થાન છે માટે તેનો સ્પર્શ કરનારા ઘણા હોય છે તેથી અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે અધોલૌકિક ગામોમાં તેઓનું સ્વસ્થાન છે અને ઘણા વન્તરોનું અધોલોકમાં ક્રીડા માટે ગમન થાય છે. તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે તેઓનું સ્થાન તિર્યશ્લોક છે. એમ બન્નર દેવી સંબંધી પણ અલ્પબદુત્વ જાણવું.
હવે જ્યોતિષ્કના સંબંધમાં અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડા જ્યોતિષ્કો ઊર્ધ્વલોકમાં છે, કારણ કે કેટલાએકનો તીર્થંકરના જન્મ મહોત્સવ નિમિત્તે મેરુ ઉપર, અંજન અને દધિમુખ પર્વતને વિષે અણહ્નિકા નિમિત્તે અને ક્રીડા નિમિત્તે બીજા કેટલાકનો મેરુપર્વતાદિને વિષે ગમનનો સંભવ છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યોક નામે બે પ્રતરમાં
209