SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं अहोलोएसंखेज्जगुणा,तिरियलोए असंखेज्जगुणा।खेत्ताणुवारणंसव्वत्थोवाओ जोइसिणीओ देवीओ उडलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ,अहोलोयतिरियलोए असंखेज्जगुणाओ,अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए असंखेज्जगुणाओ।। खेत्ताणुवारणं सव्वत्थोवा वेमाणिया देवा [ग्रन्थाग्रं० २०००] उडलोयतिरियलोए, तेलोकेसंखेज्जगुणा,अहोलोयतिरियलोएसंखेज्जगुणा, अहोलोएसंखेज्जगुणा,तिरियलोए संखेज्जगुणा, उडलोए असंखिज्जगुणा। खित्ताणुवारणंसव्वत्थोवाओ वेमाणिणीओदेवीओ उडलोयतिरियलोए, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयंतिरियलोए संखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ, उडलोए असंखेज्जगुणाओ ।।सू०-६५।।२०१।। (મૂ૦) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસી દેવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોતિર્યશ્લોક, તિર્યલોક, અને તેથી અધોલોકમાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી ભવનવાસિની દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, અને તેથી અધોલોકમાં અસંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વાણમંતર દેવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી વાનમંતર દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી અધોલોમાં અસંખ્યાતગુણી છે અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા જ્યોતિષિક દેવ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી જયોતિષિક દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી, તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વૈમાનિક દેવો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી વૈમાનિક દેવીઓ ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક–તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, અને તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણી છે. I૬પોર૦૧// (ટી) એ પ્રમાણે દેવ સંબંધી સામાન્ય અલ્પબહુત કહ્યું હવે ભવનપત્યાદિ દેવ વિશેષનું પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર પ્રથમ ભવનપતિના સંબંધમાં કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં ભવનવાસી દેવો સૌથી થોડા ઊર્વલોકમાં છે, તે આ પ્રમાણે-કેટલાક ભવનવાસી દેવોનું સૌધમાદિ દેવલોકમાં પૂર્વની મિત્રતાને લીધે ગમન થાય છે, કેટલાકનું તીર્થકરના જન્મમહિમા નિમિત્તે મેરુપર્વતમાં, અને અંજન-દધિમુખ પ્રમુખ પર્વતોને વિષે અણહ્નિકાનિમિત્તે અને બીજા કેટલાકનું મેરુપર્વત વગેરે સ્થળે ક્રીડાનિમિત્તે ગમન થાય છે, એ બધા મળીને પણ થોડા હોય છે માટે સૌથી થોડા ઊર્ધ્વલોકમાં કહ્યા છે. તેથી ઊર્ધ્વલોક, તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે-તિર્યશ્લોકમાં રહેલા ભવનવાસી દેવો વૈક્રિય સમુદ્યત કરી ઊર્ધ્વલોક અને તિર્યશ્લોકનો સ્પર્શ કરે છે, તથા તિર્યશ્લોકમાં રહેલા ભવનવાસી મરણ સમુદ્ધાત વડે ઊર્ધ્વલોકમાં 208
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy