SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ देवीओ उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलो संखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ । सू० - ६४ ।।२००।। (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા દેવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ત્રણલોકમાં (ત્રણ લોકનો સ્પર્શ કરનારા) સંખ્યાતગુણા છે, તેથી અધોલોક—તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણ લોકમાં (ત્રણ લોકનો સ્પર્શ કરનારી) સંખ્યાતગુણી છે, તેથી અધોલોક—તિયંગ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણી છે. II૬૪૨૦૦ (ટી૦) હવે દેવગતિને આશ્રયી અલ્પબહુત્વ કહે છે–ક્ષેત્રને અનુસારે વિચાર કરતાં સૌથી થોડા દેવો ઊર્ધ્વલોકમાં છે, કારણ કે ત્યાં વૈમાનિક દેવો છે અને તેઓ થોડા છે. અને ભવનપતિ વગેરે જેઓ જિનજન્મ મહોત્સવાદિને વિષે મેરુપર્વતાદિની ઉપર જાય છે તેઓ પણ થોડા જ છે માટે સૌથી થોડા કહ્યા છે. તેથી ઊર્ધ્વલોક-તિર્થંગ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે. કારણ કે તે જ્યોતિષ્ઠોને નજીક છે માટે સ્વસ્થાન છે. તથા ભવનપતિ, વ્યન્તર અને જ્યોતિષ્ઠો મેરુપર્વતાદિ ઉ૫૨ તથા સૌધર્માદિ કલ્પમાં ગયેલા સ્વસ્થાન વિષે ગમનાગમન કરતા અને જેઓ સૌધર્માદિકલ્પમાં દેવપણે ઉત્પન્ન થવાની યોગ્યતાવાળા છે અને દેવાયુષ્ય વેદતા ઉત્પત્તિસ્થાન પર્યન્ત જાય છે, તેઓ પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે. તેથી ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરનારા બધાનો વિચાર કરતા અતિશય ઘણા છે માટે પૂર્વે કહેલાથી અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ ક૨ના૨ા સંખ્યાતગુણા છે, કારણ કે ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો તથાવિધ પ્રયત્નના વશથી વૈક્રિયસમુદ્દાત વડે ત્રણ લોકનો સ્પર્શ કરે છે. એ પ્રમાણે જેણે સમુદ્દાત કરેલો છે એવા પૂર્વે કહેલા બે પ્રતરના સ્પર્શ કરનારાથી સંખ્યાતગુણા કેવલજ્ઞાનીએ જાણેલા છે માટે સંખ્યાતગુણા છે. તેથી અધોલોક–તિર્થંગ્લોક નામે બે પ્રતરમાં વર્તતા સંખ્યાતગુણા છે, કારણ કે તે બે પ્રત૨ ભવનપતિ અને વ્યન્તર દેવોને નજીક હોવાથી સ્વસ્થાન છે, તથા ઘણા ભવનપતિઓ પોતાના ભવનમાં રહેતા તીરછા લોકમાં જવા આવવા વડે તથા મરણ પામતા, વૈક્રિયસમુદ્દાત વડે સમવહત થયેલા તથા તીરછા લોકમાં રહેનારા તિર્યપંચેન્દ્રિય મનુષ્યો ભવનપતિપણે ઉત્પન્ન થતા અને ભવનપતિનું આયુષ્ય અનુભવતા પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે અને તે અતિશય ઘણા છે તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે તે ભવનપતિનું સ્વસ્થાન છે. તેથી તીરછા લોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે તે જ્યોતિષ્મો અને વ્યન્તરોનું સ્વસ્થાન છે. હવે દેવીઓ આશ્રયી અલ્પબહુત્વ કહે છે–આ સૂત્ર દેવસૂત્રની જેમ સામાન્ય રીતે વિચારવું. II૬૪ર૦૦ • खेत्ताणुवारणं सव्वत्थोवा भवणवासी देवा उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा, अहोलोए असंखेज्जगुणा। खेत्ताणुवाएणं सव्वत्थोवाओ भवणवासिणीओ देवीओ उड्डलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोए असंखेज्जगुणाओ, तिरियलोए असंखेज्जगुणाओ, अहोलोए असंखेज्जगुणाओ । खेत्ताणुवाएणं सव्वत्थोवा वाणमंतरा देवा उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए असंखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा । खेत्ताणुवारणं सव्वत्थोवाओ वाणमंतरीओ देवीओ उडलो, उड्डलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोए असंखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ ।। खेत्ताणुवाएणं सव्वत्थोवा जोइसिया देवा उडलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, 207
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy