________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं કરનારા મનુષ્યો સૌથી થોડા છે, કારણ કે જેઓ ઊર્ધ્વલોકથી અધોલૌકિક ગ્રામોમાં ઉપજવાની યોગ્યતાવાળા મારણાન્તિક સમુદ્દાત કરે છે તેઓ કેટલાએક સમુદ્દાત વડે બહાર કાઢેલા પોતાના આત્મપ્રદેશો વડે ત્રણે લોકનો સ્પર્શ કરે છે, તે સિવાયના બીજા જેઓ વૈક્રિય સમુદ્દાત કે આહારક સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા તથાવિધ પ્રયત્નથી અત્યંત દૂર ઊર્ધ્વ અને અધોલોકમાં આત્મપ્રદેશોનો વિસ્તાર કરે છે અને જેઓ કેવલિસમુદ્દાતને પ્રાપ્ત થયેલા છે તેઓ બધાય ત્રણ લોકનો સ્પર્શ કરે છે, અને તેઓ થોડા છે માટે ‘સૌથી થોડા હોય છે’ એમ કહ્યું છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરનો સ્પર્શ કરનારા અસંખ્યાતગુણા છે, કારણ કે વૈમાનિક દેવો અને બીજી કાયના જીવો યથા સંભવ ઊર્ધ્વલોકથી તિર્યઞ્લોકમાં મનુષ્યપણે ઉત્પન્ન થતા ઉ૫૨ કહેલા બે પ્રતરોનો સ્પર્શ કરે છે, વિદ્યાધરોનું પણ મેરુપર્વત વગેરે સ્થળે ગમન થાય છે, અને તેઓના વીર્ય અને રુધિરાદિ પુદ્ગલોમાં સંમૂર્ત્તિમ મનુષ્યોની ઉત્પત્તિ થાય છે, તેથી તે વિદ્યાધરો જ્યારે રુધિરાદિ પુદ્ગલોસહિત જાય છે ત્યારે સંમૂર્ણિમ મનુષ્યો પણ ઉપર કહેલા બે પ્રતરના સ્પર્શ કરનારા થાય છે, તે અતિશય ઘણા છે માટે અસંખ્યાતગુણા કહ્યા છે. તેથી અધોલોક–તિર્થંગ્લોક નામે બે પ્રત૨માં સંખ્યાતગુણા છે, કારણ કે અધોલૌકિક ગ્રામોમાં સ્વભાવથી જ ઘણા મનુષ્યો છે, તેથી જેઓ તિર્યંગ્લોકથી મનુષ્યો અથવા શેષકાયોથી આવી અધોલૌકિક ગ્રામોમાં ગર્ભજ મનુષ્ય તરીકે કે સંમૂર્ણિમ મનુષ્ય તરીકે ઉત્પન્ન થવાના છે, અને જેઓ અધોલોકથી કે અધોલૌકિક ગ્રામરૂપ શેષ અધોલોકથી, મનુષ્યોથી કે શેષકાયથી આવી તિર્થંગ્લોકમાં ગર્ભજ મનુષ્ય તરીકે કે સંમૂર્ણિમ મનુષ્ય તરીકે ઉપજવાના છે તેઓ પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, અને તેઓ ઘણા છે, તેમજ સ્વસ્થાનથી પણ કેટલાક અધોલૌકિક ગ્રામોમાં ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરનારા હોય છે, માટે તેઓ પૂર્વે કહેલાથી સંખ્યાતગુણા છે. તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે સૌમનસ વનાદિને વિષે ક્રીડા કરવા માટે અને ચૈત્યવંદન માટે ઘણા વિદ્યાધરો અને ચારણ મુનિઓના ગમનાગમનનો સંભવ છે, અને તેઓના રુધિરાદિ પુદ્ગલોના સંબન્ધથી સંમૂર્ણિમ મનુષ્યોનો સંભવ છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે પોતાનું સ્થાન હોવાથી ઘણા છે. તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર સંખ્યાતગણું છે અને પોતાનું સ્થાન છે. હવે મનુષ્ય સ્ત્રી સંબંધી અલ્પબહુત્વ કહે છે–ક્ષેત્રને અનુસરી વિચાર કરતાં સૌથી થોડી મનુષ્ય સ્ત્રીઓ ત્રણ લોકનો સ્પર્શ કરનારી છે, કારણ કે ઊર્ધ્વલોકથી અધોલોકમાં ઉત્પન્ન થવાવાળી અને મારણાન્તિક સમુદ્દાત વડે જેના આત્મપ્રદેશો અત્યંત દૂર સુધી ફેલાયેલા છે એવી, અથવા વૈક્રિય સમુદ્દાતને પ્રાપ્ત થયેલી અથવા કેવલિસમુદ્ધાતને પ્રાપ્ત થયેલી મનુષ્ય સ્ત્રીઓ ત્રણ લોકનો સ્પર્શ કરે છે અને તે ઘણી થોડી છે માટે સૌથી થોડી કહી. તેથી ઊર્ધ્વલોક–તિર્યશ્લોક નામે બે પ્રતરમાં વર્તતી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. કારણ કે વૈમાનિક દેવો અને બાકીની કાયવાળા જીવો ઊર્ધ્વલોકથી તિર્યઞ્લોકમાં મનુષ્ય સ્ત્રી તરીકે ઉત્પન્ન થવાના હોય તેને તથા તિર્થંગ્લોકમાં રહેલી અને ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થવાવાળી અને મરણ સમુદ્દાત વડે ઉપર અત્યંત દૂર સુધી જેણે આત્મપ્રદેશો વિસ્તારેલા છે છતાં હજી સુધી જેણે કાળ નથી કર્યો એવી મનુષ્ય સ્ત્રીઓને ઉપરના બે પ્રતરના સ્પર્શનો સંભવ છે. કારણ કે તે બન્ને પ્રકારની પણ સ્ત્રીઓ અત્યંત ઘણી છે. તેથી અધોલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં સંખ્યાતગુણી છે. કારણ કે તિર્યઞ્લોકથી મનુષ્ય સ્ત્રીઓથી કે શેષ કાયથી આવી અધોલૌકિક ગ્રામોમાં ઉત્પન્ન થાય, અથવા અધોલૌકિક ગ્રામરૂપ શેષથી તિર્યંગ્લોકમાં મનુષ્ય સ્ત્રીપણે ઉપજવાની હોય તેને, અને કેટલીએકને અધોલૌકિક ગ્રામને વિષે રહેવાથી પણ પૂર્વે કહેલા બે પ્રતરના સ્પર્શનો સંભવ છે. અને તેઓ પૂર્વે કહેલી સ્ત્રીઓ કરતાં અતિશય ઘણી છે. તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણી છે, કારણ કે ક્રીડાને માટે કે ચૈત્યવંદન નિમિત્તે સૌમનસાદિમાં ઘણી વિદ્યાધરી સ્ત્રીઓનો સંભવ છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે. કારણ કે ત્યાં પણ સ્વસ્થાન હોવાથી ઘણી સ્ત્રીઓ છે. તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણી છે, કારણ કે ક્ષેત્ર સંખ્યાતગુણ છે અને સ્વસ્થાન છે. એમ મનુષ્યગતિ સંબંધી અલ્પબહુત્વ કહ્યું. II૬૩૫૧૯૯॥
खेत्ताणुवारणं सव्वत्थोवा देवा उडलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलो संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा । खेत्ताणुवाएणं सव्वत्थोवाओ
206