________________
तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ કેવી રીતે છે? તેનો ઉત્તર આપે છે-જેઓ ઊર્ધ્વલોકથી તિર્યશ્લોકમાં અને તિર્યશ્લોકથી ઊર્ધ્વલોકમાં આવી ઉત્પન્ન થાય છે તે ઉપરના બન્ને પ્રતરનો સ્પર્શ કરે છે, અને તે સિવાય બીજા કેટલાક જીવો જેઓ ત્યાં જ રહીને બે પ્રતરનો આશ્રય કરે છે તેઓ જ આ બે પ્રતરમાં રહેનારા છે, બીજા રહેતા નથી. પણ જેઓ ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાં ઉત્પન્ન થતા તે બે પ્રતરનો સ્પર્શ કરે છે તેની અહીં ગણના કરવાની નથી. કારણ કે તેઓ બીજા સૂત્રનો વિષય છે. એટલે તે જીવો અધોલોક-તિર્યશ્લોકનો વિષય થાય છે. માટે ઉપરના બે પ્રતરમાં વર્તતા જીવો સૌથી થોડા છે. (પ્ર)-ઊર્ધ્વલોકમાં રહેલા સર્વ જીવોનો અસંખ્યાતમાં ભાગ નિરંતર મરણને પ્રાપ્ત થયેલો હોય છે અને તેઓ તિર્યશ્લોકમાં ઉત્પન્ન થતા ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરે છે, તો ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરનારા જીવો થોડા કેમ હોય? (૧૦)-આ શંકા અયુક્ત છે, કારણ કે તે વસ્તુતત્ત્વના અપરિણાનથી થયેલી છે. તે આ પ્રમાણે-યદ્યપિ ઊર્ધ્વલોકમાં રહેલા સર્વ જીવોનો અસંખ્યાતમો ભાગ નિરંતર મરણને પ્રાપ્ત હોય છે, તો પણ તે બધા તિર્યશ્લોકમાં ઉત્પન્ન થતા નથી. તેમાનાં ઘણા ખરા તો અધોલોકમાં અને ઊર્વલોકમાં ઉત્પન્ન થાય છે. માટે ઊર્ધ્વલોકમાં અને તિર્યશ્લોક સંબન્ધી ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરનારા જીવો સૌથી થોડા જ છે. તેથી અધોલોક-તિર્યશ્લોકને વિષે જીવો વિશેષાધિક છે. અહીં અપોલોકના ઉપરનું એક પ્રદેશવાળું આકાશપ્રદેશપ્રતર અને તિર્યશ્લોકની નીચેનું એક પ્રદેશવાળું આકાશપ્રદેશપ્રતર તે બન્ને અધોલોક-તિર્યશ્લોક કહેવાય છે. કારણ કે તેવા પ્રકારે તેની પ્રવચનમાં પ્રસિદ્ધિ છે. તેમાં જેઓ વિગ્રહગતિથી અથવા ત્યાં રહેવા વડે તે બન્ને પ્રતરોમાં વર્તે છે તેઓ વિશેષાધિક છે. કેવી રીતે છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે-જેઓ અધોલોકથી તિર્યશ્લોકમાં અને તિર્યશ્લોકથી અધોલોકમાં ઈલિકા ગતિથી ઉત્પન્ન થાય છે તેઓ ઉપરના બન્ને પ્રતરનો સ્પર્શ કરે છે, અને જે કેટલાએક ત્યાં રહેલાજ તે વિવક્ષિત બે પ્રતરનો આશ્રય કરે છે તેઓ ઉપરના બન્ને પ્રતરમાં રહેનારા કહેવાય છે, પરન્તુ જેઓ અધોલોકથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થતા તે બન્ને પ્રતરનો સ્પર્શ કરે છે તે ન ગ્રહણ કરવા, કારણ કે તેઓ બીજા સૂત્રનો વિષયં થાય છે. કેવળ ઊર્ધ્વલોકથી અધોલોકમાં વિશેષાધિક જીવો છે માટે અધોલોકથી તિર્યશ્લોકમાં ઉત્પન્ન થતા જીવો ઊર્ધ્વલોકની અપેક્ષાએ વિશેષાધિક પ્રાપ્ત થાય છે માટે વિશેષાધિક છે. તેથી તિર્યશ્લોકમાં રહેલા જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે ઉપરના બન્ને ક્ષેત્ર કરતાં તિર્યશ્લોકનું ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા જીવો અસંખ્યાતગુણા છે. અહીં જેઓ કેવળ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં કે તિર્યશ્લોકમાં રહે છે, જેઓ વક્રગતિથી ઊર્વલોક અને તિર્યશ્લોકનો સ્પર્શ કરે છે તેની ગણના ન કરવી, પરન્તુ જેઓ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા ત્રણે લોકનો સ્પર્શ કરે છે તે ગ્રહણ કરવા, કારણ કે આ સૂત્ર વિશેષાર્થનો વિષય છે. માટે તિર્યશ્લોકવર્તી જીવોથી અસંખ્યાતગુણા જ છે. તે આ પ્રમાણે અહીં ઘણા સૂક્ષ્મ નિગોદો પ્રતિસમય ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં મરણ પામે છે, પણ જે સૂક્ષ્મ નિગોદો તિર્યશ્લોકમાં મરણ પામે છે, અને મરણ પામી અધોલોકમાં, ઊર્ધ્વલોકમાં કે કેટલાક તેજ તિર્યશ્લોકમાં ઉત્પન્ન થાય છે તેઓ ત્રણ લોકનો સ્પર્શ કરતા નથી માટે તેઓ આ સૂત્રનો વિષય નથી. તેમાં ઊર્ધ્વલોક કે અધોલોકમાં રહેલા સૂક્ષ્મ નિગોદો મરણ પામી કેટલાક સ્વસ્થાને એટલે ઊર્ધ્વલોકમાં મરણ પામી ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં મરણ પામી અધોલોકમાં અને કેટલાક તિર્યશ્લોકમાં ઉત્પન્ન થાય છે, તેથી અસંખ્યાતગુણા અપોલોકમાં રહેલા ઊર્ધ્વલોકમાં અને ઊર્ધ્વલોકમાં રહેલા અધોલોકમાં ઉત્પન્ન થાય છે, અને તેઓ તે પ્રકારે ઉત્પન્ન થતા ત્રણે લોકનો સ્પર્શ કરે છે માટે અસંખ્યાતગુણા છે. (૪૦)-ઘણા જીવો આટલા મોટા પ્રમાણમાં હમેશાં વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા હોય છે. એ શી રીતે જાણી શકાય? (ઉ0)-યુક્તિથી જાણી શકાય છે. તે આ પ્રમાણે-પૂર્વે આ સ્થાનપદમાં પર્યાપ્ત દ્વારમાં આ સૂત્ર કહ્યું છે-“સૌથી થોડા નો પર્યાપ્તા–નો અપર્યાપ્તા જીવો છે, તેથી અપર્યાપ્તા અનંતગુણા છે, તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે.” એ પ્રમાણે અપર્યાપ્તા ઘણા છે, કારણ કે તેનાથી પર્યાપ્તા સંખ્યાતગુણા જ છે, પણ અસંખ્યાતગુણા કે અનન્તગુણા નથી. ઘણા અપર્યાપ્તાઓ તો અન્તરાલગતિમાં વર્તતા હોય છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા જીવો કરતાં ઊર્ધ્વલોકમાં રહેલા જીવો અસંખ્યાતગુણા હોય છે, કારણ કે ઉપજવાનું ક્ષેત્ર અતિશય મોટું છે અને તેના અસંખ્યાતા ભાગોની ઉદ્વર્તન થાય છે. તેથી અધોલોકમાં રહેલા જીવો વિશેષાધિક છે, કારણ કે ઊર્વીલોકના ક્ષેત્રથી
203