SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं तेवीसइमं जीवदारं-चउवीसइमं खेत्तदारं કહેવાય છે. કારણ કે તે બન્નેને ચરમ ભવ નથી. તેમાં અચરમ જીવો થોડા છે, કારણ કે અભવ્ય અને સિદ્ધો બન્ને મળીને પણ અજઘન્યોત્કૃષ્ટ (મધ્યમ) યુક્ત અનંત પરિમાણવાળા છે. તેથી અનન્તગુણા ચરમ-ભવ્ય જીવો છે, કારણ કે અજઘન્યોત્કૃષ્ટ અનંતાનન્ત પરિમાણવાળા છે. ચરમ દ્વારા સમાપ્ત. II૫૮/૧૯૪ો २३ जीवदारं एएसिणं मंते। जीवाणं पोग्गलाणं अद्धासमयाणं सव्वदव्वाणं सव्वपरसाणंसव्वपज्जवाण यकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा, पोग्गला अणंतगुणा, अद्धासमया अणंतगुणा, सव्वदव्वा विसेसाहिया, सव्वपएसा अणंतगुणा, सव्वपज्जवा अणंतगुणा ॥२३ दारं।। ।।सू०૧૨iા ૨૧II (મૂળ) હે ભગવન! એ જીવો, પુદ્ગલો, અદ્ધાસમયો, સર્વદ્રવ્યો, સર્વપ્રદેશો અને સર્વ પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો છે, તેથી પુદ્ગલો અનન્તગુણા છે, તેથી અદ્ધાસયો અનન્તગુણ છે, તેથી સર્વદ્રવ્યો વિશેષાધિક છે, તેથી સર્વ પ્રદેશો અનન્તગુણા છે અને તેથી સર્વ પર્યાયો અનન્તગુણા છે. પ૯૧૫ll (20) હવે જીવાર કહે છે—સૌથી થોડા જીવો છે, તેથી પુદ્ગલો અનંતગુણા છે, તેથી અદ્ધાસમયો અનન્તગુણા છે. તેનો વિચાર પૂર્વે કરેલો છે. તે અાસમયથી સર્વદ્રવ્યો વિશેષાધિક છે, કારણ કે અહીં હમણાં જ અદ્ધાસમયો પુદ્ગલોથી અનન્તગુણા કહ્યા છે, અને તે પ્રત્યેક દ્રવ્ય છે, માટે દ્રવ્યના વિચારમાં તે પણ ગ્રહણ કરવા, અને તેમાં સર્વ જીવદ્રવ્ય, સર્વ પુદ્ગલ દ્રવ્ય, ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય નાંખવા, તે બધા એકઠાં કરીએ તો પણ અદ્ધાસમયોના અનન્તમા ભાગ જેટલા થાય છે એટલે તે દ્રવ્યો નાંખવાથી કંઈક અધિક થાય છે તેથી અદ્ધારમયોથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે. તેથી સર્વપ્રદેશો અનન્તગુણા છે. કારણ કે આકાશ અનન્ત છે. તેથી સર્વ પર્યાયો અનન્તગુણ છે કારણ કે એક આકાશ પ્રદેશમાં અનન્ત અગુરુલઘુ પર્યાયો હોય છે. જીવતાર સમાપ્ત. ૧૯૧૯૫ खेत्ताणुवाएणंसव्वत्थोवा जीवा उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ॥२४ दारं।। ।।सू०-६०।१९६॥ . (મૂળ) ક્ષેત્રને અનુસારે સૌથી થોડા જીવો ઊર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં વિશેષાધિક છે. //૬૦/૧૯૬ (ટી0) હવે ક્ષેત્રદ્વાર કહે છે-ક્ષેત્રને અનુસાર વિચાર કરતાં સૌથી થોડા જીવો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે. અહીં ઊર્ધ્વલોકનું સૌથી નીચેનું આકાશપ્રતર અને તિર્યશ્લોકનું સૌથી ઉપરનું આકાશપ્રતર એ ઉર્ધ્વલોક-તિર્યશ્લોક કહેવાય છે, કારણ કે તેવા પ્રકારે સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે. અહીં આ તાત્પર્ય છે-ચૌદ રજૂપ્રમાણ સર્વલોકના ત્રણ વિભાગ થાય છે-ઊર્ધ્વલોક, તિર્યશ્લોક અને અધોલોક, અને તે વિભાગ રુચક પ્રદેશોથી થાય છે. તે આ પ્રમાણે- ચક પ્રદેશથી નીચે નવસો યોજન અને ઉપર નવસો યોજન તિર્યશ્લોક છે, તે તિર્યશ્લોકની નીચે અધોલોક અને તેની ઉપર ઊર્ધ્વલોક છે, કંઈક ન્યૂન સાત રજૂપ્રમાણ ઊર્ધ્વલોક છે, કંઈક અધિક સાત પ્રમાણ અધોલોક છે અને મધ્યભાગમાં અઢારસો યોજનાની ઉંચાઇવાળો તિર્યશ્લોક છે. તેમાં ચકની સમભૂલા પૃથિવીના ભાગથી નવસો યોજન જઈને જે જ્યોતિશ્ચક્રના ઉપર તિર્યશ્લોકનું એક પ્રદેશાત્મક આકાશમૃતર છે તે તિર્યશ્લોકપ્રતર અને તેના ઉપરનું એક પ્રદેશાત્મક આકાશપ્રતર તે ઊર્ધ્વલોક પ્રતર અને તે બન્ને પ્રતરને ઊર્ધ્વલોકતિર્યશ્લોક કહેવાય છે. તેવી રીતે અનાદિ પ્રવચનની પરિભાષા–સંકેત છે. તેમાં–તે બન્ને પ્રતરમાં રહેતા જીવો સૌથી થોડા છે. 202
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy