________________
तइयं अप्पाबहुयं पयं बावीसइमं चरिमदारं
श्री प्रज्ञापना सूत्र भाग १
પરમાણુઓનો સમુદાય સ્કંધ કહેવાય છે અને તે દ્રવ્ય છે અને તેના અવયવો એ પ્રદેશો છે. તેમ અહીં પણ સકળ કાળ દ્રવ્ય છે અને તેના અવયવરૂપ સમયો પ્રદેશ છે. (ઉ0)–આ શંકા અયુક્ત છે, કારણ કે દૃષ્ટાંત અને દાષ્ટતિક–(સાધ્ય)નું સમાનપણું નથી. પરમાણુઓનો સમુદાય ત્યારે જ સ્કંધ કહી શકાય કે જ્યારે તેઓ પરસ્પર સાપેક્ષરૂપે પરિણમે; પરસ્પર નિરપેક્ષ કેવળ પરમાણુઓનો સમૂહ સ્કન્ધ ન કહેવાય, અને અહ્વાસમયો તો પરસ્પર નિરપેક્ષ જ છે, કારણ કે વર્તમાન સમય વિદ્યમાન હોય છે ત્યારે અતીત અને અનાગત સમયો નથી હોતા, તેથી તેઓનો સ્કન્ધરૂપે પરિણામ થતો નથી. સ્કન્ધના અભાવથી અહ્લાસમયોના પ્રદેશો નથી, પણ જુદા જુદા દ્રવ્યો છે. II૫૬૧૯૨૫
एएसि णं भंते! धम्मत्थिकायअधम्मत्थिकाय आगासत्थिकायजीवत्थिकायपोग्गलत्थिकायअद्धासमयाणं दव्वडपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! धम्मत्थिकाए अधम्मत्थिका आगासत्थिकाए एतेणं तिन्नि वि तुल्ला दव्वट्टयाए सव्वत्थोवा, ४ धम्मत्थिकाए अधम्मत्थिकाए य एएसि णं दोन्नि वि तुल्ला पएसट्टयाए असंखेज्जगुणा, जीवत्थिकार दव्वट्टयाए अनंतगुणे, से चेव परसट्टयाए असंखेज्जगुणे, पोग्गलत्थिकाए दव्वट्टयाए अनंतगुणे से चेव परसट्टयाए असंखेज्जगुणे, अद्धासमए दव्वट्ठ- परसट्टयाए अनंतगुणे, આસક્થિામ્ પતક્રયાપ અનંતનુને ર ર IR॰-૧૭||૬૧૩/
(મૂળ) હે ભગવન્! એ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયોમાં દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યાર્થરૂપે પરસ્પર તુલ્ય છે અને સૌથી થોડા છે અને તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને પ્રદેશરૂપે તુલ્ય છે અને અસંખ્યાતગુણ છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણ છે અને તેથી પ્રદેશરૂપે તે અસંખ્યાતગુણ છે, તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણા છે અને તેથી તે પ્રદેશરૂપે અસંખ્યાતગુણા છે. તેથી અદ્ધાસમય દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે, અને તેથી આકાશાસ્તિકાય પ્રદેશરૂપે અનન્તગુણ છે. પ૭/૧૯૩ (ટી૦) હવે ધર્માસ્તિકાયાદિ બધા દ્રવ્યોનું એક સાથે દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે અલ્પબહુત્વ કહે છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યરૂપે તુલ્ય છે અને સૌથી થોડા છે. કારણ કે પ્રત્યેક એક એક દ્રવ્ય છે. તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, અને સ્વસ્થાનની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યર્થાર્થરૂપે અનન્તગુણા છે, કેમકે અનન્ત જીવ દ્રવ્યો છે. તે જ જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, કેમકે દરેક જીવને અસંખ્યાતા પ્રદેશો હોય છે. પ્રદેશાર્થરૂપે જીવાસ્તિકાયથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે અનન્તગુણા છે. કારણ કે જીવના એક એક પ્રદેશે અનન્તા જ્ઞાનાવરણીયાદિ કર્મ પુદ્ગલસ્કંધો લાગેલા છે. તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. તેનો વિચાર પૂર્વની પેઠે કરવો. પ્રદેશાર્થરૂપે તે પુદ્ગલાસ્તિકાયથી અદ્બાસમયો દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. અહીં પણ પૂર્વની પેઠે વિચાર કરવો. તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્ત ગુણ છે કેમકે તેનો સર્વ દિશાઓમાં અન્ન નથી. અને અહ્લાસમય માત્ર મનુષ્યક્ષેત્રમાં હોય છે. એમ અસ્તિકાયદ્વાર સમાપ્ત થયું. II૫૭૧૯૩૫
२२ चरिमदार
*
एएसि णं भंते! जीवाणं चरिमाणं अचरिमाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ગોયમા! સવ્વસ્થોવા નીવા અતિમા, મા અનંતનુ ૨૨ R TIR॰-૮।।૧૪।।
(મૂળ) હે ભગવન્! એ ચરમ અને અચરમ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અચરમ જીવો છે, અને તેથી ચરમ જીવો અનન્તગુણા છે. I૫૮૧૯૪॥
(ટી૦) જેને યોગ્યતા વડે ચમ–છેલ્લા ભવનો સંભવ છે તે ચરમ એટલે ભવ્ય અને તેથી ઇતર અચ૨મ–અભવ્ય અને સિદ્ધ
201