________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं एगवीसइमं अत्थिकाय दारं वा? गोयमा! सव्वत्थोवे एगे धम्मत्थिकार दव्वट्टयाए, से चेव परसट्टयाए असंखेज्जगुणे। एयस्स णं भंते! अधम्मत्थिकायस्स दव्वट्ट-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे एगे अधम्मत्थिकाए दव्वट्टयाए, से चैव परसट्टयाए असंखेज्जगुणे । एयस्स णं भंते! आगासत्थिकायस्स दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा । सव्वत्थोवे एगे आगासत्थिकाए दव्वट्टयाए, से चैव परसट्टयाए अनंतगुणे। एयस्स णं भंते! जीवत्थिकायस्स दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा । सव्वत्थोवे जीवत्थिकार दव्वट्टयाएं, से चेव पएसट्टयाए असंखेज्जगुणे । एयस्स णं भंते! पोग्गलत्थिकायस्स दव्वट्ठ- परसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे पोग्गलत्थिकाए दव्वट्टयाए, से चेव पएसट्टयाए असंखेज्जगुणे । अद्धासमये न पुच्छिज्जइ, पसाभावा । सू० - ५६ ।।१९२।।
(મૂળ) હે ભગવન્! એ ધર્માસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ!
સૌથી થોડા ધર્માસ્તિકાય દ્રવ્યરૂપે એક છે અને તે પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ અધર્માસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડો અધર્માસ્તિકાય દ્રવ્યરૂપે એક છે, અને પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ આકાશાસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! દ્રવ્યરૂપે આકાશાસ્તિકાય એક છે અને સૌથી અલ્પ છે, અને તે પ્રદેશરૂપે અનન્તગુણ છે. હે ભગવન્! એ જીવાસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવાસ્તિકાય દ્રવ્યરૂપે છે અને તે પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ પુદ્ગલાસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પુદ્ગલાસ્તિકાય, દ્રવ્યરૂપે છે અને તે પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે. અદ્ધાસમય સંબંધમાં પ્રશ્ન થતો નથી, કારણ કે તેને પ્રદેશો નથી. ૫૬૧૯૨
(ટી૦) એમ પ્રદેશાર્થરૂપે અલ્પબહુત્વ કહ્યું, હવે એ પ્રત્યેક દ્રવ્યોનું દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે અલ્પબુહત્વ કહે છે—સૌથી અલ્પ ધર્માસ્તિકાય દ્રવ્યરૂપે છે. કારણ કે તે એક છે, અને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે, કારણ કે તેના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે. એમ અધર્માસ્તિકાય સૂત્ર પણ જાણવું. આકાશાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે સૌથી અલ્પ છે, કારણ કે તે એક છે, અને પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. કારણ કે તે અપરિમિત છે. જીવાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે સૌથી અલ્પ છે, અને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે. કારણ કે દરેક જીવના પ્રદેશો લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય રૂપે સૌથી અલ્પ છે, કારણ કે પુદ્ગલદ્રવ્યો બધે ય થોડાં છે, અને તે પુદ્ગલાસ્તિકાય તે તે દ્રવ્ય કરતાં પ્રદેશાર્થરૂપે વિચારતાં અસંખ્યાતગુણા છે.
(પ્ર૦)–જગતમાં અનન્તપ્રદેશિક સ્કંધો ઘણાં છે તો પ્રદેશાર્થરૂપે અનન્તગુણ કેમ ન સંભવે? (ઉ)– આ શંકા વસ્તુ તત્ત્વના અજ્ઞાનથી છે માટે અયુક્ત છે. કારણ કે અનન્તપ્રદેશિક સ્કંધો થોડા છે અને પરમાણુ વગેરે અતિશય ઘણા છે. આ સંબંધમાં સૂત્ર કહેવામાં આવશે કે—“સૌથી થોડા અનન્તપ્રદેશિક સ્કંધો દ્રવ્યરૂપે છે, તેથી પરમાણુપુદ્ગલ દ્રવ્યરૂપે અનન્તગુણા છે, તેથી સંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યરૂપે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો દ્રવ્યરૂપે અસંખ્યાતગુણા છે.” માટે જ્યારે સર્વ પુદ્ગલાસ્તિકાયનો પ્રદેશરૂપે વિચાર કરીએ ત્યારે અનન્ત પ્રદેશિક સ્કંધો થોડા હોવાથી, પરમાણુઓ અતિ ઘણા હોવાથી અને તેઓ જુદા જુદા દ્રવ્યરૂપ હોવાથી તથા અસંખ્યાતપ્રદેશિક સ્કંધો પરમાણુની અપેક્ષાએ અસંખ્યાતગુણા હોવાથી અસંખ્યાતગુણા જ ઘટે છે, અનન્તગુણા ઘટતા નથી. અદ્ધાસમય સંબંધી દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે પ્રશ્ન થતો નથી.
(પ્ર0)–કાળ દ્રવ્યરૂપે હોવામાં શો નિયમ છે? જો તે દ્રવ્ય છે તો તેના પ્રદેશો પણ હોવાજ જોઇએ. જેમ અનન્ત
200