________________
तइयं अप्पाबहुयं पयं एगवीसइमं अत्थिकाय दारं
श्री प्रज्ञापना सूत्र भाग १
સ્થિતિવાળો, બે સમયની સ્થિતિવાળો, એમ એક પરમાણુના એક આકાશપ્રદેશમાં અસંખ્યાતા ભાવી સંયોગો થવાના છે, તેમ સર્વ આકાશપ્રદેશમાં પણ પ્રત્યેકના અસંખ્યાતા ભાવી સંયોગો, તથા વારંવાર તે આકાશપ્રદેશોમાં પરમાણુની પરાવૃત્તિ થવાથી અને કાળ અનન્ત હોવાથી કાળથી અનન્ત ભાવી સંયોગો થવાના છે, જેમ એક પરમાણુના થવાના છે તેમ સર્વ પરમાણુઓના તથા બધા દ્વિપ્રદેશિકાદિ સ્કન્ધોના અનન્ત ભાવી સંયોગો થવાના છે. તથા ભાવથી પણ આ પરમાણુ આ કાળે એક ગુણ કાળો હોય છે, એમ એક પરમાણુના જુદા જુદા કાળે અનન્તા સંયોગો થવાના છે. જેમ એક પરમાણુના તેમ બધા પરમાણુઓના અને બધા દ્વિપ્રદેશિકાદિ સ્કંધોના ભાવથી જુદા જુદા અનન્ત ભાવી સંયોગો થવાના છે. એમ એક પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિશેષના સંબંધથી અનન્ત ભાવી સમયો કેવલજ્ઞાનીએ જાણેલા છે, જેમ એક પરમાણુના તેમ બધા ૫૨માણુઓના તથા બધા દ્વિપ્રદેશિકાદિ સ્કન્ધોના જાણવા. પરન્તુ આ બધું પરિણામી કાળ પદાર્થ સિવાય અને પરિણામી પુદ્ગલાસ્તિકાયાદિ સિવાય ઘટી શકે નહિ, માટે આ બધું તાત્ત્વિક સમજવું. કહ્યું છે કે
"संयोगपुरस्कारश्च नाम भाविनि हि युज्यते काले। नहि संयोगपुरस्कारो ह्यसतां केषाञ्चिदुपपन्नः"॥
ભવિષ્યમાં થનારા સંયોગ ભાવી કાળ હોય તોજ ઘટી શકે છે. પરન્તુ કોઇને મતે પણ (પુદ્ગલાદિ અને કાળ) અવિદ્યમાન હોય તો ભાવી સંયોગ ઘટી શકે નહિ. જેમ બધા પરમાણુઓના અને બધા દ્વિપ્રદેશિકાદિ સ્કંધોના પ્રત્યેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિશેષના સંબન્ધથી અનન્ત ભાવી અહ્લાસમયો થાય છે. તેમ અતીત સમયો પણ સિદ્ધ થાય છે. માટે દ્રવ્યરૂપે પુદ્ગલાસ્તિકાયથી અનન્તગુણ અદ્ધાસમય-કાળ છે. એમ દ્રવ્યાર્થરૂપે અલ્પબહુત્વ કહ્યું. II૫૪૧૯૦૫ एएसि णं भंते! धम्मत्थिकायअधम्मत्थिकाय आगासत्थिकायजीवत्थिकायपोग्गलत्थिकायअद्धासमयाणं पएसइयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुद्या वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! धम्मत्थिकार अधम्मत्थिकार एए दोवि तुल्ला पएसट्टयाए सव्वत्थोवा, जीवत्थिकाए पएसट्टयाए अनंतगुणे, पोग्गलत्थिकाए परसट्टयाए अनंतगुणे, अद्धासमए परसट्टयाए अनंतगुणे, आगासत्थिकाए परसट्टयाए अनंतगुणे ॥ सू० - ५५ । । १९१ ।।
(મૂળ) હે ભગવન્! એ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને અહ્લાસમયોમાં
પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને પ્રદેશાર્થરૂપે સરખા છે અને સૌથી થોડા છે. તેથી જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગુણ છે, તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશરૂપે અનન્તગુણા છે, તેથી અહ્લાસમયો પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે અને તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. ૫૫/૧૯૧૫
(ટી૦) હવે તેઓનું પ્રદેશાર્થરૂપે અલ્પબહુત્વ કહે છે–ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને પરસ્પર પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, કારણ કે બન્નેના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે. માટે બાકીના અસ્તિકાય અને અહ્વાસમયની અપેક્ષાએ સૌથી થોડા છે. તેથી જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે. કારણ કે જીવાસ્તિકાયને વિષે જીવો અનન્ત છે, અને એક એક જીવના પ્રદેશો લોકાકાશના પ્રદેશ પરિમાણ છે. તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. કેવી રીતે છે? તે કહે છે—અહિં કર્મસ્કન્ધના પ્રદેશો પણ સર્વ જીવપ્રદેશોથી અનન્તગુણા છે. કેમકે એક એક જીવપ્રદેશ અનન્તાનન્ત કર્મપરમાણુઓ વડે વીંટાયેલો છે, તો સકલ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો માટે શું કહેવું. માટે જીવાસ્તિકાય કરતાં પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. તેથી પણ અહ્લાસમયો પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે, કારણ કે એક એક પુદ્ગલાસ્તિકાયના પ્રદેશના પૂર્વોક્ત ક્રમથી તે તે દ્રવ્ય, કાલ અને ભાવવિશેષના સંબન્ધથી અનન્ત અતીત સમયો અને અનન્ત અનાગત સમયો થાય છે. તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે, કારણ કે અલોક ચારે તરફ અનન્ત છે. I૫૫૧૯૧॥
एएसि णं भंते! धम्मत्थिकायस्स दव्वट्ठ-परसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया
199