________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं पनरसमं भासग - सोलसमं परित्त -सत्तरसमं पज्जत्तदारं
તે સર્વ જીવરાશિના અસંખ્યાતમા ભાગ જેટલા છે. તેથી આહારક જીવો અસંખ્યાતગુણા છે, પણ અનન્તગુણા નથી. I૪૭।૧૮૩॥
१५ भासगदारं
एएसि णं भंते! जीवाणं भासगाणं अभासगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया વા? ગોયમા! સવ્વલ્યોવા નીવા માતા, અમાસના અનંતપુ ।।ધ્ વારા સૂ૦-૪૮||૧૮૪૧]
(મૂળ) હે ભગવન્! એ ભાષક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ભાષક જીવો છે અને અભાષક જીવો અનંતગુણા છે. ૪૮૧૮૪
(ટી૦) આહારદ્વાર સમાપ્ત થયું, હવે ભાષકાર કહે છે–સૌથી થોડા ભાષક–ભાષાલબ્ધિસંપન્ન છે, કારણ કે બેઇન્દ્રિયાદિ જીવો ભાષક–બોલવાની શક્તિવાલા છે. તેથી ભાષા લબ્ધિરહિત અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિ જીવો અનન્તગુણા છે. ||૪૮||૧૮૪॥
१६ परित्तदारं
एएसि णं भंते! जीवाणं परित्ताणं अपरित्ताणं नोपरित्तनो अपरित्ताण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा । सव्वत्थोवा जीवा परित्ता, नोपरित्तानो अपरित्ता अनंतगुणा, अपरित्ता अनंतगुणा IKE STRI IIg॰-૪૧||||
(મૂળ) હે ભગવન્! એ પ૨ીત્ત, અપરીત્ત અને નોપરીત્ત–નોઅપરીત્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! થોડા પ૨ીત્ત જીવો છે. નોપરીત્ત-નોઅપરીત્ત જીવો અનંતગુણા છે અને તેથી અપરીત્ત જીવો અનન્તગુણા છે. ૪૯૧૮૫
(ટી૦) ભાષકાર સમાપ્ત થયું, હવે પ૨ીત્તદ્વાર કહે છે—અહીં પરીત્ત બે પ્રકારના છે–'ભવપરીત્ત અને કાયપરીત્ત. જેઓને કંઇક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે તે ભવપરીત્ત-શુક્લપાક્ષિક અને કાયપરીત્ત-પ્રત્યેક શરીરી, તેમાં બન્ને પ્રકારના પરીત્ત જીવો સૌથી થોડા છે, કેમકે શુક્લપાક્ષિક અને પ્રત્યેકશ૨ી૨ી જીવો બાકીના જીવોની અપેક્ષાએ ઘણાજ થોડા છે. તેથી નોપરીત્ત–નોઅપરીત્ત જીવો અનન્તગુણા છે, કારણ કે બન્ને પ્રકારના નિષેધવાળા સિદ્ધો છે અને તે અનન્ત છે. તેથી અપરીત્ત જીવો અનન્તગુણા છે. કારણ કે કૃષ્ણપાક્ષિક અને સાધારણ વનસ્પતિકાયિકો સિદ્ધોથી અનન્તગુણા છે. II૪૯।।૧૮૫ १७ पज्जत्तदारं
एएसि णं भंते! जीवाणं पज्जत्ताणं अपज्जत्ताणं नोपज्जत्तानो अपज्जत्ताणं य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवा नोपज्जत्तानो अपज्जत्तंगा, अपज्जत्तगा अनंतगुणा, પદ્મત્ત સખ્રિષ્નનું ૫૦ લાĪI IIસૂ૦-૧૦૮૬//
(મૂળ) હે ભગવન્! એ પર્યામા, અપર્યાપ્તા અને નોપર્યાપ્તા–નોઅપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો નોપર્યાપ્તા–નોઅપર્યાપ્તા છે, તેથી અપર્યામા અનન્તગુણા છે અને તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. પ૦/૧૮૬॥
(ટી) હવે પર્યાપ્તદ્વાર કહે છે—સૌથી થોડા નોપર્યાપ્ત–નાઅપર્યાપ્ત જીવો છે, કારણ કે બન્ને પ્રકારના નિષેધવાળા સિદ્ધો છે અને તે અપર્યાપ્તાદિથી સાવ થોડા છે, તેથી અપર્યામા અનન્તગુણા છે. કારણ કે સાધારણ વનસ્પતિકાયિક સિદ્ધોથી અનન્તગુણા છે અને તે સર્વદા અપર્યાપ્તપણે પ્રાપ્ત થાય છે. તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે, અહીં સૌથી ઘણા જીવો સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ જીવો
૧. અહીં પ૨ીત્ત શબ્દ અલ્પાર્થક છે, તેથી ભવપરીત્ત-જેઓને અલ્પ-કંઇક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્તરૂપ ભવ-સંસાર બાકી છે તે શુક્લપાક્ષિકો
અને જેને અલ્પ કાય-શરીર છે એટલે એક શરીર છે તે કાયપરીત્ત-પ્રત્યેકશરીરી જાણવા.
196