SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पंचमं जोगदारं-छ8 वेयदारं અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે બાદર નિગોદ કરતાં અપર્યાપા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે. તેથી સામાન્યતઃ સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે તેમાં અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પણ સમાવેશ થાય છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, કેમકે સૂક્ષ્મ જીવોમાં સામાન્ય રીતે અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા હોય છે તેથી તેઓ સૂક્ષ્મ અપર્યાપ્તાથી સંખ્યાતગુણા છે. કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્તાનું વિશેષાધિકપણું સંખ્યાતગુણાનો બાધ કરતું નથી. તેથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી પર્યાપ્ત કે અપર્યાપ્ત વિશેષણ રહિત સામાન્ય સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કારણ કે તેઓમાં અપર્યાપ્તાઓનો પણ સમાવેશ થાય છે. એમ સૂક્ષ્મ બાદરનું સામુદાયિક પાંચમું અલ્પબદુત્વ કહ્યું અને તેમ કહેવાથી પંદર સૂત્રોનું પણ સમર્થન કર્યું. ૩૫/૧૭૧II ५जोगदारं एएसि णं भंते! जीवाणं सयोगीणं मणजोगीणं वइजोगीणं कायजोगीणं अयोगीण य कयरे कयरहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा मणयोगी, वययोगी असंखेज्जगुणा, अयोगी સતગુNI, #ાયયોની મતગુ, સો વિતાહિયા II II Iટૂ૦-દારા (મૂ૦) હે ભગવન્! એ યોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો મનોયોગી છે, તેથી વચનયોગી અસંખ્યાતગુણા છે, તેથી અયોગી અનંતગુણા છે, તેથી કાયયોગી અનંતગુણા છે અને તેથી સયોગી વિશેષાધિક છે. ૩૬/૧૭૨ (ટીવ) કાયદ્વાર કહ્યું, હવે યોગદ્વાર કહે છે–સૌથી થોડા મનોયોગી છે, કારણ કે સંજ્ઞી પર્યાપ્તા જ મનોયોગવાળા હોય છે અને તે સૌથી થોડા છે. તેથી વચનયોગી અસંખ્યાતગુણા છે, કારણ કે બેઈન્દ્રિયાદિક જીવો વચનયોગવાળા છે અને તે સંજ્ઞીથી અસંખ્યાતગુણા છે. તેથી અયોગી અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનતા છે. તેથી કાયયોગી અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિક જીવો અનન્ત છે. જો કે અનન્ત નિગોદ જીવોનું એક શરીર છે તો પણ તે એક શરીર વડે બધાય પણ આહારાદિ ગ્રહણ કરે છે. માટે બધા જીવો પણ કાયયોગી હોવાથી તેના અનન્તગુણત્વમાં અડચણ નથી. તેથી સામાન્ય સયોગી વિશેષાધિક છે, કારણ કે વચનયોગવાળા અને કાયયોગવાળા બેઇન્દ્રિયાદિનો તેમાં સમાવેશ થાય છે.ll૩૬/૧૭૨ ६वेयदारं एएसिणं भते! जीवाणं सवेयगाणं इत्थीवेयगाणं पुरिसवेयगाणं नपुंसकवेयगाणं अवेयगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा पुरिसवेयगा, इत्थीवेयगा संखेज्जगुणा, अवेयगा अणंतगुणा, नपुंसकवेयगा अणंतगुणा, सवेयगा विसेसाहिया ।।सू०-३७॥१७३॥ (મૂળ) હે ભગવન્! એ સવેદી-વેદસહિત, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને અવેદી-વેદરહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પુરુષવેદી છે, તેથી સંખ્યાતગુણા સ્ત્રીવેદી છે, તેથી અનન્તગુણા અવેદી છે, તેથી અનંતગુણા નપુંસકવેદી છે, અને તેથી સવેદી જીવો વિશેષાધિક છે. ૩૭/૧૭all (ટી૦) યોગદ્વાર સમાપ્ત થયું, હવે વેદવાર કહે છે–સૌથી થોડા પુરુષવેશવાળા છે, કારણ કે સંશી જીવોમાંજ તિર્યંચ, મનુષ્ય અને દેવોને પુરુષવેદ હોય છે. તેથી સ્ત્રીવેદવાળા સંખ્યાતગુણા છે, કારણ કે જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે-"સિવિનયપુરોહિત तिरिक्खजोणियइत्थीओ तिगुणीओ तिरूवाहियाओय, तहा मणुस्सपुरिसेहितो मणुस्सइत्थीओ सत्तावीसगुणाओ સત્તાવીસવૃત્તાગો , તથા ફેવરિલેહિતો સેવOીમો વીસામો વસ્તીવૃત્તામો" રતિ- “તિર્યંચયોનિક પુરુષોથી તિર્યંચયોનિક સ્ત્રીઓ ત્રણ ગણી અને ત્રણ અધિક છે, મનુષ્યોથી માનુષી સ્ત્રીઓ સત્યાવીશગણી અને સત્યાવીશ 190
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy