________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं अपज्जत्तयाणं-पत्तेयसरीरबायरवणस्सइकाइयाणं अपज्जत्तयाणं बायरनिगोयाणं अपज्जत्तयाणं बायरतसकाइयाणं अपज्जत्तयाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरतसकाइया अपज्जत्तया, बायरते काइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, बायरपुढवीकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बादरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवाउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमते काइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमआउकाइया, अपज्जत्तया विसेसाहिया, सुहुमवाठकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवणस्सइकाइया अपज्जत्तया अनंतगुणा, बायरा अपज्जत्तया विसेसाहिया, सुहुमवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमा अपज्जत्तया विसेसाहिया || सू० - ३२ ।।१६८ ।।
(મૂળ) હે ભગવન્! એ સૂક્ષ્મ અપર્યાપ્તા, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અષ્ઠાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો, સૂક્ષ્મ નિગોદો, બાદર અપર્યાપ્તા, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યામા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યામા બાદર વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે.।।૩૨।।૧૬૮
(ટી૦) હવે સૂક્ષ્માદિ અપર્યાપ્તાનું બીજું અલ્પબહુત્વ કહે છે–‘એએસિ ણં ભંતે’ ઇત્યાદિ. સૌથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિક, બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથિવીકાયિક, બાદર અપ્લાયિક અને બાદર વાયુકાયિક અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે, અહીં અલ્પબહુત્વનો વિચાર બાદરના સંબન્ધમાં પાંચે સૂત્રોમાં જે બીજું અપર્યાપ્ત સૂત્ર છે તેની પેઠે કરવો. તે અપર્યાપ્ત બાદર વાયુકાયિકથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અતિ ઘણા મોટા અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક, સૂક્ષ્મ વાયુકાયિક અને સૂક્ષ્મ નિગોદો ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. અહીં અલ્પબહુત્વનો વિચાર સૂક્ષ્મસંબન્ધમાં પાંચ સૂત્રમાં જે બીજું સૂત્ર છે તેની પેઠે કરવો. અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક જીવો અનન્તગુણ છે, કારણ કે બાદર એક એક નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર અપર્યાપ્તાઓ વિશેષાધિક છે, કારણ કે અપર્યાપ્તા બાદર ત્રસકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. અપર્યાપ્ત બાદર નિગોદોથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે. તેથી સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ તેજસ્કાયિકાદિ અપર્યાપ્તાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ અપર્યાપ્તાને આશ્રયી બીજું અલ્પબહુત્વ કહ્યું. II૩૨૧૬૮॥ एएसि णं भंते! सुहुमपज्जत्तगाणं सुहुमपुढविकाइयपज्जत्तयाणं सुहुमआउकाइयपज्जत्तयाणं सुहुमतेउकाइय‘पज्जत्तयाणं सुहुमवाउकाइयपज्जत्तयाणं सुहुमवणस्सइकाइयपज्जत्तयाणं सुहुमनिगोयपज्जत्तयाणं बायरपज्जत्तयाणं
185