SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं બાદર તેજસ્કાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી પર્યામા અપર્યાપ્તા વિશેષણ રહિત બાદર જીવો વિશેષાધિક છે. કારણ કે બાદર પર્યામા તેજસ્કાયાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. II૩૦૧૬૬॥ एएसि णं भंते! सुहुमाणं सुहुमपुढवीकाइयाणं सुहुमआठकाइयाणं सुहुमतेउकाइयाणं सुहुमवाउकाइयाणं सुहुमवणस्सइकाइयाणं सुहुमनिगोयाणं बायराणं बायरपुढवीकाइयाणं बायरआठकाइयाणं बायरतेउकाइयाणं बायरवाठकाइयाणं बायरवणस्सइकाइयाणं पत्तेयसरीरबायरवणस्सइकाइयाणं बायरनिगोयाणं बायर तसकाइयाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरतसकाइया, बायर उकाइया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया असंखेज्जगुणा, बायरनिगोया असंखेज्जगुणा, बायरपुढवीकाइया असंखेज्जगुणा, बायरआउकाइया असंखेज्जगुणा, बायरवाउकाइया असंखेज्जगुणा, सुहुमतेउकाइया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया विसेसाहिया, सुहुम आठकाइया विसेसाहिया, सुहुमवाउकाइया विसेसाहिया, सुहुमनिगोया असंखेज्जगुणा, बायरवणस्सइकाइया अनंतगुणा, बायरा विसेसाहिया, सुहुमवणस्सइकाइया असंखेज्जगुणा, सुहुमा विसेसाहिया । सू०-३१।।१६७।। (મૂળ) હે ભગવન્! એ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અપ્લાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ નિગોદો, બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો, અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અષ્ઠાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર જીવો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વનસ્પતિકાંયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ।।૩૧।।૧૬૭ (ટી૦) બાદર જીવોના સંબંધમાં પાંચ સૂત્રો કહ્યા, હવે સૂક્ષ્મ અને બાદર જીવોના સંબંધમાં પાંચ સૂત્રો કહેવાની ઇચ્છાવાળા પ્રથમ સામાન્ય સૂક્ષ્મ–બાદર સૂત્ર કહે છે—એએસિ ણં ભંતે' ઇત્યાદિ. અહીં બાદર સંબંધમાં અલ્પબહુત્વનો વિચાર બાદરના પાંચ સૂત્રમાંના પ્રથમ સૂત્રની પેઠે બાદર વાયુકાય પદ સુધી જાણવો. ત્યાર પછી સૂક્ષ્મ સંબંધમાં અલ્પબહુત્વ પણ સૂક્ષ્મના પાંચ સૂત્રોમાં જે પહેલું સૂત્ર છે તેની પેઠે સૂક્ષ્મનિગોદ સુધી જાણવું. ત્યાર પછી બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે એક એક બાદર નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી બાદર જીવો વિશેષાધિક છે, કારણ કે બાદર તેજસ્કાયાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે બાદર નિગોદોથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણી છે. તેથી સામાન્ય સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ તેજસ્કાયાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ પ્રથમ અલ્પબહુત્વ સમાપ્ત થયું. II૩૧૫૧૬૭॥ एसि णं भंते! सुमअपज्जत्तयाणं सुहुमपुढवीकाइयाणं अपज्जत्तयाणं सुहुम आउकाइयाणं अपज्जत्तयाणं सुहुमतेउकाइयाणं अपज्जत्तयाणं सुहुमवाडकाइयाणं अपज्जत्तयाणं सुहुमवणस्सइकाइयाणं अपज्जत्तयाणं सुहुमनिगोयाणं अपज्जत्तयाणं बायर अपज्जत्तयाणं बायरपुढवीकाइयाणं अपज्जत्तयाणं बायर आउकाणं अपज्जत्तयाणं बायरतेठकाइयाणं अपज्जत्तयाणं बायरवाउकाइयाणं अपज्जत्तयाणं बायरवणस्सइकाइयाणं 184
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy