SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं છે. આ સંબંધમાં બીજા સ્થાન પદમાં કહ્યું છે–‘હે ભગવન્! પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ! સ્વસ્થાન વડે મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ અને સમુદ્રોમાં, વ્યાઘાત–પ્રતિબંધના અભાવમાં પંદર કર્મભૂમિમાં અને વ્યાઘાત– પ્રતિબંધ હોય ત્યારે પાંચ મહાવિદેહમાં પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાનો કહેલાં છે, જ્યાં પર્યાપ્તા બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે ત્યાંજ અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે.' અને બાદર વનસ્પતિકાયિકો તો ત્રણે લોકમાં ભવનાદિને વિષે હોય છે. તે બાબત બીજા સ્થાન પદમાં કહ્યું છે કે–‘હે ભગવન્! બાદર વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સ્વસ્થાનને આશ્રયી સાત ઘનોદધિમાં, સાત ઘનોદધિવલયોમાં, અધોલોકમાં પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ઊર્ધ્વ લોકમાં વિમાનોમાં, વિમાનાવલિકાઓમાં, વિમાનપ્રસ્તટોમાં, તિર્યઞ્લોકમાં કૂવાઓ, તળાવ, નદી, દ્રહ, વાવ, પુષ્કરિણી, દીર્થિકા–સીધી નાની નદીઓ, ગુંજાલિકા-વાંકી નાની નદીઓ, સરોવરો, પંક્તિબદ્ધ સરોવરો, સ૨ઃસ૨ઃપંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ; ઉજ્જરો (ઝરણાઓ) નિર્ઝરો (હમેશાં વહેતા ઝરાઓ) ચિલ્લલો-છિલ્લરો, પલ્લલો-ખાબોચીયાં, ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો અને બધા જલાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના સ્થાનો કહેલાં છે.’’ માટે ક્ષેત્ર અસંખ્યાતગણું હોવાથી બાદર તેજસ્કાયિકોથી અસંખ્યાતગુણા પ્રત્યેકશરીર બાદરવનસ્પતિકાયિકો છે. તેથી બાદ નિગોદો અસંખ્યાતગુણા છે, કેમકે બાદર નિગોદોની અત્યંત સૂક્ષ્મ અવગાહના છે. તે બાદર નિગોદો પાણીમાં સર્વત્ર હોય છે, કારણ કે તે પનક, સેવાલ વગેરે પાણીમાં અવશ્ય હોય છે. અને તેઓ બાદર અનન્તકાયિકો છે. તેથી પણ બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે તે આઠ પૃથિવીઓમાં, ભવન બધા વિમાન અને પર્વતાદિમાં હોય છે. તેથી અસંખ્યાતગુણા બાદ૨ અપ્સાયિકો છે, કારણ કે સમુદ્રોમાં પુષ્કળ પાણી હોય છે. તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે ખાલી જગ્યામાં બધે વાયુનો સંભવ છે. તેથી બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે દરેક બાદર નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર જીવો વિશેષાધિક છે, કારણ કે બાદર ત્રસકાયિકોનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ સામાન્ય બાદર જીવોનું પ્રથમ અલ્પબહુત્વ કહ્યું. ર૬૧૬૨॥ एएसि णं भंते! बादरअपज्जत्तगाणं बादरपुढविकाइयअपज्जत्तगाणं बादरआउकाइयअपज्जत्तगाणं बादरतेडकाइयअपज्जत्तगाणं बांदरवाउकाइय अपज्जत्तगाणं बादरवणस्सइकाइय अपज्जत्तगाणं पत्तेयसरीरबादरवणस्सइकाइयअपज्जत्तगाणं बादरनिगोदअपज्जत्तगाणं बादरतसकाइय अपज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा बादरतसकाइया अपज्जत्तगा, बादरतेडकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, बायरपुढवीकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादर आठकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवणस्सइकाइया अपज्जत्तगा अनंतगुणा, बादर अपज्जत्तगा વિક્ષેપ્તાહિયા ।।સૂ૦-૨૭।।૧૬।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત બાદર ૧. જુઓ દ્વિતીય સ્થાનપદ સૂ૦ ૫ 180
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy