SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं तइयं इंदियदारं પંચેન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રતરના અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ પુષ્કળ ખંડો થાય તેટલા છે, તેથી પર્યાપ્ત બેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રતરના અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અતિ પુષ્કળ ખંડો જેટલા છે. તેથી પર્યાપ્ત તેઈન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે સ્વભાવથીજ પ્રતરના અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અત્યંત ઘણા ખંડો થાય તેટલા છે. તેથી એકેન્દ્રિય પર્યાપ્તા અનન્તગુણા છે, કારણ કે પર્યાપ્ત વનસ્પતિકાયિકો અનન્ત છે. તેથી સેન્દ્રિય-ઇન્દ્રિય સહિત પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા બેઇન્દ્રિયાદિનો પણ તેમાં પ્રક્ષેપ-સમાવેશ થાય છે. એમ તૃતીય અલ્પબહુત સમાપ્ત થયું. I/૧૩૧૪૯ો. एएति णं भंते! सइंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सइंदिया अपज्जत्तगा, सइंदिया पज्जत्तगा संखेज्जगुणा। एएसि णं भंते! एगिदियाणं पज्जत्तापज्जत्ताणंकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा एगिंदिया अपज्जत्ता, एगिंदिया पज्जत्तगा संखेज्जगुणा।। एएसि णं भंते! बेइंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बेइंदिया पज्जत्तगा, बेइंदिया अपज्जत्तगा असंखेज्जगुणा।। एएसि णं भंते! तेइंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा तेइंदिया पज्जत्तगा, तेइंदिया अपज्जत्तगा असंखेज्जगुणा। एएसिणं भंते! चरिंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिता वा? गोयमा! सव्वत्थोवा चउरिंदिया पज्जत्तगा, चउरिदिया अपज्जत्तगा असंखेज्जगुणा।। एएसि णं भंते! पंचिंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिआ वा? गोयमा! सव्वत्थोवा पंचेंदिया पज्जत्तगा, पंचेंदिया अपज्जत्तगा असंखेज्जगुणा ।।सू०-१४।।१५।। (મૂ૦) હે ભગવન્! સઇન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, બહુ તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સઇન્દ્રિય અપર્યાપ્તા છે, તેથી સઈન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા એકેન્દ્રિય અપાયા છે, તેથી એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા બેઈન્દ્રિયો છે, તેથી અપયા બેઇન્દ્રિયો અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા તેઈન્દ્રિયોમાં કયા જીવો કયા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ઇન્દ્રિય પર્યાપ્ત છે, તેથી તે ઈન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સોથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્તા છે, તેથી ચઉરિન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પંચેન્દ્રિય પર્યાપ્ત છે. તેથી પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. 7/૧૪/૧૫oll (ટી.) હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા સેન્દ્રિયાદિ-ઈન્દ્રિય સહિત પ્રત્યેક જીવોનું અલ્પબદુત્વ કહે છે સૌથી થોડા સેન્દ્રિયઇન્દ્રિય સહિત અપર્યાપ્ત છે, અહીં સેન્દ્રિય ઈન્દ્રિય સહિત જીવોમાં એકેન્દ્રિયો જ ઘણા છે, તેમાં પણ સૂક્ષ્મો ઘણા છે, કેમકે સર્વ લોકમાં વ્યાપ્ત છે, સૂક્ષ્મ અપર્યાપ્તાઓ સૌથી થોડા છે, અને તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા જાણવા. તથા સૌથી થોડા બેઇન્દ્રિય પર્યાપ્ત છે, કેમકે એક પ્રતરને વિષે અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા બેઇન્દ્રિય પર્યાપ્યાં છે. તેથી બેઈન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, કેમકે તેઓ પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય તેટલા છે. 172
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy