SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं तइयं इंदियदारं श्री प्रज्ञापना सूत्र भाग १ છે, કારણ કે તેઓની વિષ્ફભસૂચિ પ્રભૂત-ઘણા સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ સમજવી. તેથી પણ તેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે તેની વિધ્વંભ સૂચિ પ્રભૂતતર-અતિ ઘણા સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ જાણવી. તેથી પણ બેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે તેઓની વિષ્ફભસૂચિ પ્રભૂતતમ–અત્યંત ઘણા સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ હોય છે. તેથી પણ અનિન્દ્રિયો અનન્ત ગુણા છે. કારણ કે સિદ્ધો અનન્તા છે. તેથી પણ એકેન્દ્રિયો અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિકો સિદ્ધોથી પણ અનન્તગુણા છે. તેથી પણ સેન્દ્રિય–ઇન્દ્રિય સહિત વિશેષાધિક છે કારણ કે બેઇન્દ્રિયાદિકનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ સામાન્ય જીવોનું અલ્પબહુત્વ કહ્યું. ૧૧||૧૪૭॥ एएसि णं भंते! सइंदियाणं एगिंदियाणं बेइंदियाणं तेइंदियाणं चउरिंदियाणं पंचिंदियाणं अपज्जत्तगाणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पंचिंदिया अपज्जत्तगा, चरिंदिया अपज्जत्तगा विसेसाहिया, तेइंदिया अपज्जत्तगा विसेसाहिया, बेइंदिया अपज्जत्तगा विसेसाहिया, एगिंदिया अपज्जत्तगा अनंतगुणा, सइंदिया अपज्जत्तगा विसेसाहिया । सू० - १२ ।। १४८ ।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા એવા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં કયા જીવો કયા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા પંચેન્દ્રિય અપર્યામા છે, તેથી ચઉરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિય અપર્યામા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય અપર્યામા અનંતગુણા છે, અને તેથી સઇન્દ્રિય અપર્યામા વિશેષાધિક છે. ૧૨૧૪૮ (ટી૦) હવે તેજ અપર્યાપ્તાઓનું બીજું અલ્પબહુત્વ કહે છે–સૌથી થોડા પંચેન્દ્રિય અપર્યાપ્તા છે, કારણ કે એક પ્રત૨ને વિષે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય તેટલા છે. તેથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રત૨માં ઘણા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય તેટલા અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો છે. તેથી અપર્યાપ્તા તેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રતરમાં અતિ ઘણા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડો થાય તેટલા તેઇન્દ્રિયો છે, તેથી પણ અપર્યાપ્ત બેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રત૨માં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અત્યંત ઘણા ખંડો થાય તેટલા અપર્યાપ્ત બેઇન્દ્રિયો છે. તેથી અપર્યાપ્ત એકેન્દ્રિયો અનન્તગુણા છે, કારણ કે અપર્યાપ્ત વનસ્પતિકાયિકો અનન્ત હોવાથી હમેશાં વિદ્યમાન હોય છે. તેથી સેન્દ્રિય-ઇંદ્રિય સહિત અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે બેઇન્દ્રિયાદિ અપર્યાપ્તાઓનો (બેઇન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીના સર્વે અપર્યાપ્તાઓનો) પણ તેમાં પ્રક્ષેપ (સમાવેશ) થાય છે. ।।૧૨।।૧૪૮॥ एएसि णं भंते! सइंदियाणं एगिंदियाणं बेइंदियाणं तेइंदियाणं चउरिंदियाणं पंचिंदियाणं पज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा चउरिंदिया पज्जत्तगा, पंचिंदिया पज्जत्तगा विसेसाहिया, बेइंदिया पज्जत्तगा विसेसाहिया, तेइंदिया पज्जत्तगा विसेसाहिया, एगिंदिया पज्जत्तगा अणंतगुणा, સલિયા પન્નત્તા વિશેસાદિયા ।।સૢ૦-૨૩।।૧૪૬।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્ત છે, તેથી પંચેન્દ્રિય પર્યામા વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઇન્દ્રિય પર્યામા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય પર્યામા અનન્તગુણા છે, તેથી સઇન્દ્રિય પર્યામા વિશેષાધિક છે. ૧૩/૧૪૯॥ (ટી૦) બીજું અલ્પબહુત્વ કહ્યું, હવે એ પૂર્વોક્ત પર્યાપ્તાઓનું ત્રીજું અલ્પબહુત્વ કહે છે–સૌથી થોડા પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો છે. કારણ કે ચરિન્દ્રિયો અલ્પ આયુષ્યવાળા હોય છે, માટે ઘણા કાળ સુધી રહેતા નથી તેથી પ્રશ્ન સમયે થોડા પ્રાપ્ત થાય છે. તે થોડા હોવા છતાં પણ પ્રતરને વિષે અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય તેટલા હોય છે. તેથી પર્યામા 171
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy