________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं तइयं इंदियदारं કે સિદ્ધોથી વનસ્પતિકાયિકો અનન્તગુણા છે. એ પ્રમાણે, નારક, તિર્યચ, મનુષ્ય, દેવ અને સિદ્ધોનું અલ્પબહુત કહ્યું. હા૧૪પા एएसिणं भंते! नेरइयाणं तिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीणं मणुस्साणं मणुस्सीणं देवाणं देवीणं सिद्धाण य अट्ठगतिसमासेणं कतरे कतरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवाओ मणुस्सीओ, मणुस्सा असंखेज्जगुणा, नेरइया असंखेज्जगुणा, तिरिक्खजोणिणीओ असंखेज्जगुणाओ, देवा असंखेज्जगुणा, देवीओसंखेज्जगुणाओ,सिद्धा अणंतगुणा,तिरिक्खजोणिया अणंतगुणा।।रदा।।सू०-१०॥१४६।। (મૂળ) હે ભગવન્! એ નરયિકો, તિર્યંચયોનિકો, તિચિયોનિક સ્ત્રીઓ, મનુષ્ય, માનુષી, દેવો, દેવીઓ, અને સિદ્ધોમાં આઠ
ગતિના સંક્ષેપ વડે ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડી માનુષી સ્ત્રીઓ છે, તેથી મનુષ્યો અસંખ્યાતગુણા છે, તેથી નરયિકો અસંખ્યાતગુણા છે, તેથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે, તેથી દેવો અસંખ્યાતગુણા છે, તેથી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી સિદ્ધો અનન્તગુણા છે, અને તેથી તિર્યંચો
અનંતગુણા છે. l/૧oll૧૪૬/l (ટી) હવે નારક, તિર્યંચ, તિર્યંચસ્ત્રી, મનુષ્ય, માનુષી, દેવ, દેવી અને સિદ્ધ એ આઠનું અલ્પબહુત કહે છે—સૌથી થોડી મનુષ્યસ્ત્રીઓ છે, કારણ કે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ છે, તેથી મનુષ્યો અસંખ્યાતગુણા છે, અહીં સંમૂર્ણિમ મનુષ્યો પણ ગ્રહણ કરવા, કારણ કે વેદની વિવક્ષા નથી. તે સંમૂર્ણિમ મનુષ્યો વમનથી આરંભી નગરનિર્ગમન-નગરની ખાળ વગેરેમાં ઉત્પન્ન થતા અસંખ્યાતા હોય છે. મનુષ્યોથી નરયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે મનુષ્યો ઉત્કૃષ્ટ પદે પણ ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા હોય છે, અને નૈરયિકો અંગુલપ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેના ત્રીજા વર્ગમૂલને પ્રથમ વર્ગમૂલની સાથે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલી આકાશપ્રદેશની શ્રેણિના પ્રદેશ રાશિ પ્રમાણ છે, તે માટે અસંખ્યાતગુણા છે. તેથી તિર્યંચસ્ત્રીઓ અસંખ્યાતગુણી છે. કરણ કે પ્રતરના અસંખ્યાતમાં ભાગની અસંખ્યાતી આકાશપ્રદેશ શ્રેણિના જેટલા આકાશપ્રદેશો થાય તેટલી છે, તેથી પણ દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે અસંખ્યાતગણા પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિના આકાશપ્રદેશના રાશિ પ્રમાણ છે. તેથી પણ દેવીઓ સંખ્યાતગુણી છે, કારણ કે દેવ કરતાં બત્રીશ ગણી છે, તેથી પણ સિદ્ધો અનન્તગુણા છે, તેથી પણ તિર્યો અનન્ત છે. અહીં યુક્તિ પૂર્વે કહેલી છે. ગતિદ્વાર સમાપ્ત થયું. ૧૦૧૪૬/
_| તફચંjવિચાર | एएसि णं भंते! सइंदियाणं एगिदियाणं बेइंदियाणं तेइंदियाणं चउरिदियाणं पंचिंदियाणं अणिंदियाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा पंचिंदिया, चउरिदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया, अणिंदिया अणंतगुणा, एगिंदिया अणंतगुणा, સરિયા વિલેતાદિયા ૦િ-૨૨૪૭ના
૩ ઇન્દ્રિય દ્વાર (મૂ૦) હે ભગવન્! ઇન્દ્રિયવાળા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિય (ઇન્દ્રિય રહિત)
જીવોમાં કયા જીવો કયા જીવાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પંચેન્દ્રિયો છે, તેથી ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે, તેથી તેઈન્દ્રિયો વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિયો વિશેષાધિક છે, તેથી અનિન્દ્રિયો (સિદ્ધ)
અનન્તગુણ છે, તેથી એકેન્દ્રિયો અનન્તગુણ છે, તેથી સઇન્દ્રિયો વિશેષાધિક છે. I/૧૧/૧૪૭ll (ટી.) હવે ઇન્દ્રિયદ્વાર કહે છેસૌથી થોડા પંચેન્દ્રિયો છે, કારણ કે સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ વિખંભ સૂચિ જેટલા પ્રતર શ્રેણિના અસંખ્યાતમા ભાગે રહેલી અસંખ્યાતી શ્રેણિના આકાશ પ્રદેશના રાશિ પ્રમાણ છે. તેથી ચઉરિન્દ્રિયો વિશેષાધિક 170