SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पढम दिशादारं (મૂ૦) દિશાને અનુસરી સૌથી થોડા ભવનવાસી દેવો પૂર્વમાં અને પશ્ચિમમાં છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે, અને તેથી દક્ષિણમાં અસંખ્યાતગુણા છે. દિશાને આશ્રયી સૌથી થોડા વ્યંતર દેવો પૂર્વમાં છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, તેથી ઉત્તરમાં વિશેષાવિક છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા જ્યોતિષ્ક દેવો પૂર્વ અને પશ્ચિમમાં છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા દેવો સૌધર્મ કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો ઈશાન કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો સનકુમાર કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તર દિશાએ અસંખ્યાતગુણા છે, અને તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો માહેન્દ્ર કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તરમાં અસંખ્યાનગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો બ્રહ્મલોક કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે. અને તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો લાંતક કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે અને તેથી દક્ષિણમાં અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો મહાશુક્ર કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે, અને તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો સહસાર કલ્પમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે અને તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. ત્યાર પછી તે આયુષ્માનું શ્રમણ! બહુ સમાનપણે સરખા ઉત્પન્ન થયેલા દેવો છે. ૭/૧૪૩ (ટી) હિસાબુવા સબૂથોવા મવવાની' ઇત્યાદિ. દિશાની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસી પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, કારણ કે ત્યાં થોડા ભવનો છે. તેથી ઉત્તર દિશામાં સંખ્યાતગુણા છે, કારણ કે ભવનવાસી દેવોનું પોતાનું સ્થાન હોવાથી ત્યાં ઘણા ભવનો છે. તેથી દક્ષિણ દિશામાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં ભવનો ઘણાં વધારે છે. તે આ પ્રમાણેપ્રત્યેક નિકાયે ચાર ચાર લાખ ભવનો અધિક છે અને ત્યાં ઘણા કૃષ્ણપાલિકો ઉત્પન્ન થાય છે, તે માટે અસંખ્યાતગુણા છે. વ્યત્તર સૂત્રને વિષે આ વિચાર છે જ્યાં પોલાણ ભાગ છે ત્યાં વ્યત્તરો ચાલે છે, જ્યાં ઘન ભાગ છે ત્યાં ચાલતા નથી, તેથી પૂર્વ દિશામાં ઘન-નક્કર ભાગ હોવાથી વન્તરો થોડા છે, તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કેમકે અધોલૌકિક ગ્રામોને વિષે પોલાણ ભાગનો સંભવ છે. તેથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં પોતાનું સ્થાન હોવાથી બન્નરોના નગરાવાસો છે. તેથી પણ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. કારણ કે ત્યાં ઘણા વધારે નગરો છે. સૌથી થોડા જ્યોતિષ્ઠો પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, કારણ કે ચંદ્ર-સૂર્યના ઉદ્યાનના જેવા દ્વીપોમાં થોડાજ જ્યોતિષ્કો હોય છે, તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં ઘણા વિમાનો છે અને કૃષ્ણપાલિકો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. તેથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે માનસ સરોવરમાં ક્રિડાનું સ્થાન છે એમ સમજી ક્રીડા કરવામાં પ્રવૃત્તિવાળા ઘણા જ્યોતિષિક દેવો હમેશાં રહે છે. વળી માનસ સરોવરમાં જે મસ્યાદિ જલચરો છે તે નજીકમાં રહેલા વિમાનોના દર્શનથી તેને જાતિસ્મરણ થાય છે અને કંઈક વ્રતનો અંગીકાર કરી, અનશનાદિ કરીને નિયાણું કરી જ્યોતિષ્કમાં ઉત્પન્ન થાય છે. તેથી દક્ષિણ દિશાના જ્યોતિષિકો કરતાં ઉત્તર દિશાના જ્યોતિષિકો વિશેષાધિક છે. સૌધર્મ કલ્પમાં વૈમાનિક દેવો સૌથી થોડા પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, કારણ કે જે આવલિકાવિષ્ટ વિમાનો છે તે ચારે દિશામાં સરખાં છે, જે પુષ્પાવકીર્ણ વિમાનો છે તેમાં ઘણા અસંખ્યાતા યોજનના વિસ્તારવાળાં છે અને તે દક્ષિણ અને ઉત્તર દિશામાં છે, બીજી દિશામાં નથી, માટે સૌથી થોડા વૈમાનિક દેવો પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, તેથી ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં પુષ્પાવકીર્ણ વિમાનો ઘણાં છે અને તે અસંખ્યાતા યોજના વિસ્તારવાળાં છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે, કારણ કે કૃષ્ણપાલિકો ઘણે ભાગે ત્યાંજ ઉત્પન્ન થાય છે. એમ ઈશાન, 168
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy