________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं पढमं दिशादारं (મૂળ) દિશાને અનુસરીને સૌથી થોડા નૈયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે અને દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દિશાને અનુસરી સૌથી થોડા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે, અને દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે [એમ શર્કરાપ્રભાદિ બધી નરકપૃથિવીમાં જાણવું]. દક્ષિણના અધઃસપ્તમ નરકપૃથિવીના નૈરિયકોથી છઠ્ઠી તમ:પ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના તમઃપ્રભાપૃથિવીના નૈરયિકોથી પાંચમી ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકોથી ચોથી પંકપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણના પંકપ્રભા પૃથિવીના નૈરયિકોથી ત્રીજી વાલુકાપ્રભાના નેરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકોથી બીજી શર્કરાપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના શર્કરાપ્રભા પૃથિવીના નૈરયિકોથી આ રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે. તેથી દક્ષિણદિશામાં અસંખ્યાતગુણા છે. ૪૫૧૪૦
(ટી૦) નૈયિક સૂત્રમાં સૌથી થોડા નૈરયિકો પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાએ હોય છે, કારણ કે ત્યાં પુષ્પાવકીર્ણ નરકાવાસો અલ્પ છે, અને પ્રાયઃ ઘણાં સંખ્યાતા યોજન વિસ્તારવાળાં છે. તેથી દક્ષિણ દિશામાં રહેલા નૈરયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે કૃષ્ણપાક્ષિક જીવો ઘણા દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે—જીવો બે પ્રકારના છે—કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક. તેનું આ લક્ષણ છે–જેઓને કંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે તે શુક્લપાક્ષિક અને તેથી અધિક સંસાર જેઓને છે તે કૃષ્ણપાક્ષિક. કહ્યું છે કે—
“जेसिं अवड्ढो पुग्गलपरियट्टो सेसओ य संसारो। ते सुक्कपक्खिया खलु अहिए पुण कण्हपक्खी उ || " જેઓને અપાર્ષ–કંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી હોય તે શુક્લપાક્ષિક અને અધિક સંસાર બાકી હોય તે કૃષ્ણપાક્ષિક.
એથી શુક્લપાક્ષિક થોડા છે, કારણ કે અલ્પસંસારી થોડા હોય છે. ઘણા કૃષ્ણપાક્ષિકો છે, કેમકે અધિક સંસા૨ી ઘણા હોય છે. કૃષ્ણપાક્ષિકો ઘણા તથાસ્વભાવથી દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. બાકીની દિશામાં ઉત્પન્ન થતા નથી. તેના તથાસ્વભાવને પૂર્વાચાર્યોએ આ પ્રમાણે યુક્તિવડે પુષ્ટ કર્યો છે. તે આ પ્રમાણે-કૃષ્ણપાક્ષિકો દીર્ઘ સંસારવાળા હોય છે, દીર્ઘસંસારી ઘણા પાપના ઉદયથી થાય છે, બહુ પાપના ઉદયવાળા ક્રૂરકર્મવાળા હોય છે, અને ક્રૂરકર્મવાળા પ્રાયઃ તથાસ્વભાવથી તદ્ભવમોક્ષગામી છતાં દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે, બીજી દિશામાં ઉત્પન્ન થતા નથી. એના સંબંધમાં કહ્યું છે કે—
" पायमिह कूरकम्मा भवसिद्धिया वि दाहिणिल्लेसु । नेरइयतिरियमणुयासुराइठाणेसु गच्छन्ति॥"
પ્રાયઃ ક્રૂકર્મવાળા જીવો ભવ્ય છતાં પણ દક્ષિણ દિશામાં નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને અસુરાદિ સ્થાનકોમાં જાય છે.
તેથી દક્ષિણ દિશામાં ઘણા કૃષ્ણપાક્ષિક જીવોની ઉત્પત્તિનો સંભવ હોવાથી, અને પૂર્વે કહેલા બન્ને કારણોથી (દક્ષિણ દિશામાં ઘણા નરકાવાસો હોવાથી અને તેમાં ઘણા નરકાવાસો અસંખ્યાતા યોજનના વિસ્તારવાળા હોવાથી) પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નૈરયિકો અસંખ્યાતગુણા છે. જેમ સામાન્યતઃ નૈરયિકોનું દિશાને આશ્રયી અલ્પબહુત્વ કહ્યું, તેવી રીતે રત્નપ્રભાદિ દ૨ેક નરકપૃથિવીના નૈરયિકોનું કહેવું, કારણ કે બધે યુક્તિની સમાનતા છે. એ પ્રમાણે દરેક પૃથિવીનું દિશાની અપેક્ષાએ અલ્પબહુત્વ કહ્યું. હવે સાતે નરક પૃથિવીઓનું દિશાને આશ્રયી અલ્પબહુત્વ કહે છે—સાતમી નરકપૃથિવીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાના નૈરયિકોથી સાતમી નરકપૃથિવીના દક્ષિણ દિશાના નૈરયિકો અસંખ્યાત ગુણા છે,તેથી તમઃપ્રભા
166