________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं पढमं दिशादारं અનુસરી સૌથી થોડા તેજસ્કાયિકો દક્ષિણ અને ઉત્તર દિશામાં હોય છે, તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વાયુકાયિક જીવો પૂર્વ દિશામાં છે. પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, ઉત્તર દિશામાં વિશેષાધિક છે અને દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વનસ્પતિકાયિકો પશ્ચિમ દિશામાં છે, પૂર્વ દિશામાં વિશેષાધિક, દક્ષિણ દિશામાં વિશેષાધિક અને ઉત્તર દિશામાં
વિશેષાધિક હોય છે. //ર/૧૩૮ दिसाणुवाएणं सव्वत्थोवा बेइंदिया पच्छिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दक्खिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया। दिसाणुवाएणंसव्वत्थोवा तेइंदिया पच्चत्थिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया। दिसाणुवाएणं सव्वत्थोवा चउरिदिया पच्चत्थिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दाहिणेणं વિયેતાદિયા, સત્તરે વિયેતાદિયા તૂ૦-રારૂ II (મૂ૦) દિશાને અનુસરી સૌથી થોડા બેઈન્દ્રિયો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક છે, દક્ષિણમાં વિશેષાધિક છે અને
ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા તેઈન્દ્રિયો પશ્ચિમ દિશામાં હોય છે, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક અને ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરીને સૌથી થોડા ચઉરિન્દ્રિયો પશ્ચિમ દિશામાં
છે, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક અને ઉત્તરમાં વિશેષાધિક છે.al/૧૩૯ll (ટી.) હવે વિશેષપણે જીવોનું અલ્પબહુત કહે છે. “વિનુપાતેન'–દિશાને અનુસાર પૃથિવીકાયિકોનો વિચાર કરતાં સૌથી થોડા પૃથિવીકાયિકો દક્ષિણ દિશામાં છે. કારણ કે જ્યાં ઘન-નક્કર ભાગ છે ત્યાં ઘણા પૃથિવીકાયિકો હોય છે, જ્યાં સુષિરપોલાણ છે ત્યાં થોડા હોય છે. દક્ષિણ દિશામાં ભવનપતિના ઘણા ભવનો અને ઘણા નરકાવાસો છે તેથી ઘણા પોલાણ ભાગનો સંભવ છે, માટે દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથિવીકાયિકો છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે ઉત્તર દિશામાં દક્ષિણ દિશા કરતાં થોડા ભવનો અને થોડા નરકાવાસો છે, તેથી અધિક ઘન ભાગનો સંભવ હોવાથી ઘણા પૃથિવીકાયિકો છે માટે વિશેષાધિક કહ્યા છે. તેથી પણ પૂર્વ દિશામાં વિશેષાધિક છે, કેમકે ત્યાં ચન્દ્ર-સૂર્યના દ્વીપો આવેલા છે. તેથી પણ પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે જેટલા સૂર્ય અને ચન્દ્રના દ્વીપો પૂર્વ દિશામાં છે તેટલા જ પશ્ચિમમાં પણ છે, પરન્તુ એટલા માત્રથી તેની સમાનતા નથી, પણ લવણ સમુદ્રમાં પશ્ચિમ દિશાએ ગૌતમ નામે દ્વીપ અધિક છે, તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે.
- (પ૦) પશ્ચિમ દિશામાં જેમ ગૌતમ નામે દ્વીપ અધિક છે તેમ પશ્ચિમમાં હજાર યોજન ઉડાં અધોલૌકિક ગ્રામો પણ છે, તેથી ‘ખાતપૂરિત' ન્યાયવડે ત્યાં તુલ્ય પૃથિવીકાયિકો પ્રાપ્ત થાય, પણ વિશેષાધિક પ્રાપ્ત ન હોય. (૧૦) એમ નથી. કારણ કે અધોલૌકિક ગ્રામનું ઉંડાણ હજાર યોજન છે અને ગૌતમ દ્વીપની ઉંચાઈ એક હજાર ને છોંતેર યોજન છે, તેનો વિસ્તાર બાર હજાર યોજન છે. મેરુથી આરંભી અધોલૌકિક ગ્રામોની પૂર્વદિશામાં જે નજીકમાં હીનપણું, અધિક હીનપણું છે તે પૂર્વ દિશામાં પણ પુષ્કળ ગર્તા-ખાડા વગેરેનો સંભવ હોવાથી સમાન છે, માટે અધોલૌકિક ગ્રામોના ખાલી ભાગમાં કલ્પનાથી ગૌતમ દ્વીપ નાંખીએ તો પણ તે અધિક જ થાય, તુલ્ય ન થાય, માટે તેટલા અધિક અંશ વડે પશ્ચિમ દિશામાં પૃથિવીકાયિકો વિશેષાધિક છે.
એમ દિશાની અપેક્ષાએ પૃથિવીકાયિકોનું અલ્પબહુત કહ્યું. હવે અકાયિકોનું અલ્પબદુત્વ કહે છે સૌથી થોડા અખાયિકો પશ્ચિમ દિશામાં છે. કારણ કે ગૌતમ દ્વીપના સ્થાને અપ્લાયિકો નથી. તેથી વિશેષાધિક પૂર્વ દિશામાં છે, કારણ કે ત્યાં ગૌતમ
૧. લવણસમુદ્રમાં પશ્ચિમ દિશાએ ગૌતમ દ્વીપ છે તેથી ત્યાં પૃથિવીકાયિકો વિશેષાધિક છે. પરંતુ પશ્ચિમમાં જ હજાર યોજન ઊંડા અધોલૌકિક
ગ્રામો છે, અને તેથી ત્યાં પોલાણ ભાગ વધારે હોવાથી જેટલા ગૌતમ દ્વીપના અંગે પૃથિવીકાયિકો વધ્યા હતા, તેટલા અધોલૌકિક ગ્રામોને લીધે ઘટયા તેથી ખાતપૂરિત ન્યાય વડે જેટલો વિશેષાધિકતારૂપ ખાડો પડવો તેટલો પૂરાઇ ગયો એટલે પૂર્વ દિશા કરતાં પશ્ચિમમાં શી રીતે વિશેષાધિક થાય? એ પૂર્વપક્ષનો તાત્પર્ય છે. 164