SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं पढम दिशादारं श्री प्रज्ञापना सूत्र भाग १ પુષ્કળ પાણી હોય ત્યાં ઘણા વનસ્પતિકાયિકો હોય છે. કારણ કે ‘નત્ય તત્વ વો” જ્યાં જલ હોય ત્યાં વનસ્પતિકાય હોય છે–એવું શાસ્ત્ર વચન છે; તેથી પાણીમાં પનક-(પાંચ વર્ષની ફુગ) અને સેવાલાદિ અવશ્ય હોય છે. તે પનક અને સેવાલાદિ બાદર નામકર્મના ઉદયવાળા છે તો પણ અત્યન્ત સૂક્ષ્મ અવગાહનાવાળા હોવાથી અને ઘણા જીવોના પિંડરૂપ હોવાથી બધે હોવા છતાં પણ ચર્મચક્ષથી દેખી શકાતા નથી. આ સંબંધમાં અનુયોગ દ્વારમાં કહ્યું છે કે–તે છે વાત || સુહુHપણ નીવ માહિતો માંહેન'' તે વાળના અગ્રભાગો સૂક્ષ્મ પનક જીવના શરીરની અવગાહનાથી અસંખ્યાતગુણા છે. માટે જ્યાં પણ એ દેખાતા નથી ત્યાં પણ છે એમ માનવું જોઈએ. આના સંબંધમાં મૂલ ટીકાકાર કહે છે કે-“દ સર્વ વાવો વનસ્પતય તિછવા યત્ર તે ક્ષત્તિ તત્ર વહત્વ નીવાના'' ‘આ વિશ્વમાં સર્વ જીવોથી ઘણા વનસ્પતિકાયિકો છે, એ હેતુથી તેઓ જ્યાં હોય છે ત્યાં ઘણા જીવો હોય છે. “વત્થ કાડાગો તત્ય નિયમી વાસ્મરૂફયા તિ પાસેવાદર્દીઠું વાવવિ હતિ દH માપIોન્ફા +gil' “જ્યાં અખાય છે ત્યાં અવશ્ય વનસ્પતિકાયિકો હોય છે એ હેતુથી વનસ્પતિકાયિકોનું બહુપણું છે. પાણીમાં પનક સેવાલ હઢ વગેરે બાબર વનસ્પતિ જીવો પણ હોય છે, પરંતુ તેઓ સૂક્ષ્મ અવગાહનાવાળા અને આજ્ઞા ગ્રાહ્ય છે, ચક્ષુગ્રાહ્ય નથી. પુષ્કળ પાણી સમુદ્રાદિમાં હોય છે, કારણ કે દ્વીપથી સમુદ્રનો બમણો વિસ્તાર છે. તે સમુદ્રોમાં પણ પ્રત્યેક પૂર્વ અને પશ્ચિમ દિશાએ અનુક્રમે ચન્દ્ર અને સૂર્યના દ્વીપો છે. જેટલા ભાગમાં ચંદ્રસૂર્યના દ્વીપો રહેલા છે તેટલા ભાગમાં પાણીનો અભાવ હોય છે, અને પાણીના અભાવથી વનસ્પતિનો પણ અભાવ હોય છે. કેવળ પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો આવાસ ગૌતમ નામનો દ્વીપ લવણસમુદ્રમાં અધિક છે અને ત્યાં પાણીના અભાવથી વનસ્પતિકાયિકોનો અભાવ છે. માટે સર્વથી થોડા વનસ્પતિકાયિકો પશ્ચિમ દિશામાં છે. તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે, કેમકે ત્યાં ગૌતમ દીપ નથી તેથી તેટલા અંશે અધિક જીવો હોય છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે; કેમકે ત્યાં ચન્દ્રસૂર્યના દ્વીપો નથી, અને તે નહિ હોવાથી પુષ્કળ પાણી હોય છે. પાણીની પુષ્કળતાથી વનસ્પતિકાયિકો પણ ઘણા ોય છે, માટે વિશેષાધિક છે. તેથી ઉત્તરદિશામાં વિશેષાધિક જીવો છે. શા કારણથી છે? તેનો ઉત્તર એ છે કે, ઉત્તર દિશાએ સંખ્યાતા યોજન પ્રમાણવાળા દ્વીપોમાંના કોઈ દ્વીપમાં લંબાઈ અને પહોળાઈ વડે સંખ્યાતા ક્રોડ યોજન પ્રમાણ માનસ સરોવર હોય છે, તેથી દક્ષિણ દિશાની અપેક્ષાએ ઉત્તર દિશામાં ઘણું પાણી છે અને ઘણું પાણી હોવાથી ઘણા વનસ્પતિકાયિકો હોય છે, પુષ્કળ શંખ વગેરે બેઇન્દ્રિયો હોય છે, તટપર પડેલા શંખાદિના કલેવરને આશ્રયી કીડી વગેરે ઘણા તે ઇન્દ્રિયો હોય છે, પ વગેરેમાં ઘણા ભમરાદિ ચઉરિન્દ્રિયો હોય છે અને ઘણા મત્સ્ય વગેરે પચ્ચેન્દ્રિયો પણ હોય છે. માટે ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો કહ્યા છે. એમ દિશાને અનુસરી સામાન્યતઃ જીવોનું અલ્પબહુત કહ્યું. ૧I/૧૩૭ दिसाणुवाएणं सव्वत्थोवा पुढविक्काइया दाहिणेणं, उत्तरेणं विसेसाहिया, पुरच्छिमेणं विसेसाहिया, 'पच्छिमेणं विसेसाहिया। दिसाणुवाएणंसव्वत्थोवा आउक्काइया पच्छिमेणं, पुरच्छिमेणं विसेसाहिया,दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया। दिसाणुवारणं सव्वत्थोवा तेउक्काइया दाहिणुत्तरेणं, पुरच्छिमेणं संखेज्जगुणा, पच्छिमेणं विसेसाहिया। दिसाणुवारणं सव्वत्थोवा वाउक्काइया पुरच्छिमेणं,पच्छिमेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया। दिसाणुवाएणं सव्वत्थोवा वणस्सइक्काइया पच्छिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया । सू०-२।।१३८।। (૧૦) દિશાની અપેક્ષાએ દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથિવીકાયિકો છે, તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, તેથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે, અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા અખાયિકો પશ્ચિમ દિશામાં છે, તેથી પૂર્વમાં વિશેષાધિક, તેથી દક્ષિણમાં વિશેષાધિક અને તેથી ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને १. पच्चत्थिमेणं . 163
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy