SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पढमं दिशादारं तइयं अप्पाबहुयं पयं| ।। बहुक्त्तव्वयं पयं ।। રિલાફત્તાવીસફરનામાડું ! રિત્તિ'-' –િ નો વે તા-નૈરૂાયા. સમ્મત્ત-નાWI" <સ''સંનયર-૩વો –મહાર"III માતા-પિત્ત-પષ્ણ-સુદુમ-સની ડિસ્થિર વરિ". जीवे" य खित्त"-बन्धे पुग्गल-महदंडए" चेव ।।२।। - ત્રીજું અલ્પબદુત્વ પદ (૧) દિશા, (૨) ગતિ, (૩) ઇન્દ્રિય, (૪) કાય, (૫) યોગ, (૬) વેદ, (૭) કષાય, (૮) વેશ્યા, (૯) સમ્યક્ત, (૧૦) જ્ઞાન, (૧૧) દર્શન, (૧૨) સંયત, (૧૩) ઉપયોગ, (૧૪) આહાર, (૧૫) ભાષક, (૧૬) પરી-પ્રત્યેકશરીરી અને શુક્લપાક્ષિક, (૧૭) પર્યાપ્ત, (૧૮) સૂક્ષ્મ, (૧૯) સંસી, (૨૦) ભવ-ભવસિદ્ધિક, (૨૧) અસ્તિકાય, (૨૨) ચરમ, (૨૩) જીવ, (૨૪) ક્ષેત્ર, (૨૫) બન્ય, (૨૬) પુદ્ગલ (૨૭) મહાદંડક-એમ ત્રીજા પદમાં સત્યાવીશ દ્વારો ત્રીજું અલ્પબદુત્વ પદ બીજા સ્થાનપદની વ્યાખ્યા કરી, હવે ત્રીજા અલ્પબદુત્વપદની વ્યાખ્યાનો પ્રારંભ કરીએ છીએ. તેનો પૂર્વના પદ સાથે સંબંધ આ પ્રમાણે છે—અહીં પહેલા પદમાં પૃથિવીકાયાદિ જીવોનું સ્વરૂપ કહ્યું, બીજા પદમાં તે જ જીવોનો સ્વસ્થાનાદિ વડે વિચાર કર્યો અને આ પદમાં દિશાના વિભાગાદિવડે તેઓનું અલ્પબદુત્વ કહેવાનું છે. તેમાં પ્રારંભમાં દ્વાર પ્રતિપાદક બે સંગ્રહગાથાઓ છે. તેમાં દિશાદ્વારથી આરંભી મહાદંડક પર્યત સત્યાવીશ દ્વારોનું કથન છે. તેમાં ‘રિત્ત' ઇતિ. સોળમાં પરિરદ્વારમાં પરિત્ત-પ્રત્યેકશરીરી અને શુક્લપાક્ષિકો કહ્યા છે. કારણ કે પરિત્ત બે પ્રકારે છે-કાયપરિત્ત અને ભવપરિત્ત. કાયપરિત્ત-પ્રત્યેકશરીરવાળા અને ભવપરિત્ત-શુક્લપાક્ષિકો. दिसाणुवाएणं सव्वत्थोवा जीवा पच्छिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं વિસૈદિયાહૂ -૧ શરૂા. ૧ દિશાદ્વાર (મૂળ) દિશાને અનુસરી સર્વથી થોડા જીવો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે અને તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. l/૧/૧૩૭ll (ટી.) તેમાં પ્રથમ દિશાદ્વાર કહે છે–અહીં પ્રથમ આચારાંગ સૂત્રમાં દિશાના અનેક પ્રકારો વર્ણવ્યા છે. તેમાં અહીં ક્ષેત્રદિશા ગ્રહણ કરવી, કારણ કે તે નિયત છે. બીજી દિશાઓ ગ્રહણ ન કરવી, કારણ કે તે અનવસ્થિત અને અનુપયોગી છે. ક્ષેત્રદિશાનું ઉત્પત્તિ સ્થાન તિર્યમ્ લોકના મધ્ય ભાગમાં રહેલા આઠ રુચક પ્રદેશો છે. કહ્યું છે કે- “મટ્ટો યો તિરિય નોયસ મન્સયાજ્ઞિ પણ પૂજવો વિલાનું સેવ ભવે મજુલિયા શાતિર્યશ્લોકના મધ્યભાગમાં આઠ રુચક પ્રદેશ છે અને તે દિશા અને વિદિશાનું ઉત્પત્તિસ્થાન છે. “હિસાબુવાળ' દિશાઓના અનુપાત-અનુસરણ, અપેક્ષા; એટલે દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા જીવો ‘શ્ચિમેન' પશ્ચિમ દિશામાં છે. કેવી રીતે છે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે-આ અલ્પબહુત બાદર જીવોની અપેક્ષાએ સમજવું. પરંતુ સૂક્ષ્મ જીવોને આશ્રયી ન જાણવું, કારણ કે સૂક્ષ્મ જીવો સર્વ લોકમાં વ્યાપ્ત અને પ્રાયઃ બધા સ્થળે સરખા છે. બાદર જીવોમાં પણ સર્વથી ઘણા જીવો વનસ્પતિકાયિકો છે, કેમકે તે જીવો હમેશાં અનન્ત સંખ્યારૂપે હોય છે. માટે વનસ્પતિકાયિકો ઘણા હોય ત્યાં ઘણા જીવો હોય છે. જ્યાં અલ્પ વનસ્પતિકાયિકો હોય ત્યાં અલ્પ જીવો હોય છે. જ્યાં 162
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy