________________
बीयठाणपयं सिद्धाठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १
ત્યાગરૂપ મરણનો અસંભવ છે. કહ્યું છે કે-‘‘વયસો ઢાળીદ નરા, પાળીઓ ય મળમાાિ સફ તેહંમિ તતુમયં તમને તં ન હ્લેવ ।।''-‘વયની હાનિ થવી તે જરા અને પ્રાણોનો ત્યાગ થવો તે મરણ. તે બન્ને શ૨ી૨ના સદ્ભાવમાં હોય છે, શરીરના અભાવમાં જરા અને મરણ આકાશની પેઠે હોતાં નથી, વળી તેઓ ‘સંl: ' સંગરહિત છે, કારણ કે બાહ્ય અને અભ્યન્તર પરિગ્રહરહિત છે.
‘નિચ્છિન્ન’ ઇત્યાદિ. ‘નિસ્તીર્ણસર્વદુઃલાઃ' સર્વ દુઃખને તરી ગયેલા, ‘જ્ઞાતિજ્ઞામળનન્દનવિમુક્તા: '-જાતિ-જન્મ, જરા–વયની હાનિ, પ્રાણત્યાગરૂપ મરણ અને તેના બધાના કારણભૂત બન્ધન-કર્મોનો સમગ્રપણે નાશ થયેલો હોવાથી વિશેષથી મૂકાયેલા, જન્મ, જરા, મરણ અને બંધનથી મૂકાયેલા છે તેથી જેઓ સર્વદુઃખને તરી ગયા છે, કેમકે દુઃખના કારણોનો અભાવ છે. અને તેથી જ સિદ્ધો અવ્યાબાધ અને શાશ્વત સુખનો અનુભવ કરે છે.
આચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાનુવાદમાં બીજું સ્થાનપદ સમાપ્ત.
આગમો પોતાની મેળે વાંચવાની વસ્તુ નથી. કારણ કે કાચાપારા જેવા વિધાનોં ગુરુગમથી પરિપક્વ કર્યા સિવાય ઉપયોગમાં લેવામાં આવે તો અનર્થંકર પણ બની શકે છે. એ માટે જ જ્ઞાનીપુરુષોએ સદ્ગુરુઓ પાસેથી જ જ્ઞાન મેળવવાની વાત કરી છે.
સદ્ગુરુ ભગવંતો જ એના રહસ્યોને ખોલી–ખોલીને શિષ્યોના હૃદયમાં ઉતારી દેવાનું કાર્ય કરે છે. અને એ રહસ્યોને જે શિષ્યો પચાવી જાણે છે તે શિષ્યો જ શાસનપ્રભાવક બની શકે છે.
શાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું હોય છે એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસાર ક્યારે ઈ રીતે કેવા સંયોગોમાં અમલમાં મૂકવાનું એ સદ્ગુરુભગવંતો જ બતાવી શકે છે. તાળું ગમે તે ચાવીથી ન ખૂલે. એની જે ચાવી હોય એનાથી જ ખૂલે. એમ શાસ્ત્રોના રહસ્યો પણ સદ્ગુરુ ભગવંતો જ
ખોલીને દર્શાવી શકે છે.
અરિહંતની આરાધના એમના અતિશયોથી આકર્ષિત બનીને નહીં પણ એમના વીતરાગ ભાવથી આકર્ષિત બનીને કરવાની છે.
અરિહંતની આરાધના આગમોક્ત રીતે કરનારમાં વીતરાગપણું પ્રકટ થાય જ. કારણ કે આગમોક્ત રીતે આરાધના કરનાર પ્રાયઃ સમકિતિ હોય. અને સમકિતિ આત્મા વ્હેલો મોડો પણ વીતરાગભાવ પામીને મોક્ષ પામવાનો જ છે.
અરિહંત અંતરંગ શત્રુઓને જીતીને જ બની શક્યા છે. બાહ્યશત્રુઓ સાથે અરિહંત બનનાર ભવ્યાત્માને કાંઈ લેવાદેવા જ હોતા નથી. એ ભવ્યાત્માની નજર બાહ્યશત્રુ પ્રત્યે જતી જ નથી. એ તો પોતાના અંતરંગ શત્રુઓને હટાવવામાં જ ઓતપ્રોત રહે છે.
– જયાનંદ
161