SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ बीयठाणपयं सिद्धाठाणाइं श्री प्रज्ञापना सूत्र भाग १ . (ટી૦) એજ બક્ખત અન્ય ભંગીથી જણાવે છે—સિદ્ધ( સુહોરાસી' ઇત્યાદિ. સિદ્ધોના સુખનો રાશિ ‘સર્વાંનાપિષ્ડિતઃ' તેને સર્વ સાદિ અનન્ત કાલ વડે પિંડિત કરીએ એટલે સિદ્ધ જે સુખ પ્રતિસમય અનુભવે છે તેને બધું એકત્ર કરીએ અને તેને ‘અનન્તવર્ગમૂળમત: ’–અનન્ત વર્ગમૂલોથી ઘટાડતા જઈએ અને ત્યાં સુધી ઘટાડીએ કે જ્યાં સુધી સર્વકાલ ગુણક વડે ગુણાકાર કરતાં જે અધિક થયેલું છે તે સર્વને ઘટાડવાથી સિદ્ધપણાના પ્રથમ સમયભાવી સુખ માત્ર રહે, તે પણ સર્વ આકાશમાં ન માય. એટલે એટલું સુખ માત્ર પણ સર્વ આકાશમાં ન સમાઇ શકે તો બધું સુખ સમાવું તો દૂર રહ્યું. એમ જણાવવા માટે સિદ્ધના સુખની રાશિનો પિંડ કરી ફરી અપવર્તન કર્યું-ઘટાડયું. અહીં આ ભાવાર્થ છે—વિશિષ્ટ આનંદરૂપ સુખ ગ્રહણ કરવું, કે જ્યાંથી આરંભીને શિષ્ટ પુરુષો સુખ શબ્દનો પ્રયોગ કરે છે, એટલે શિષ્ટ પુરુષો જેને સુખ કહે છે તે સુખથી માંડીને એક એક ગુણની વૃદ્ધિના તારતમ્યથી સુખને વધારતા જવું કે જ્યાં સુધી અનન્તગુણ વૃદ્ધિ કરવા વડે નિરતિશય–જેનાથી બીજું કોઇ ચડીયાતું ન હોય એવું છેવટનું સુખ પ્રાપ્ત થાય, એવું અત્યન્ત (શાશ્વત) ઉપમારહિત, એકાન્ત ઉત્સુકતાની નિવૃત્તિરૂપ અત્યન્ત સ્થિરતારૂપ છેલ્લી કોટીનું સુખ હોય તે સુખ સર્વદા સિદ્ધોને હોય છે, તે સુખથી માંડી અને પ્રથમના સુખથી ઉ૫૨ વચ્ચે રહેલા તારતમ્યથી સુખના વિશેષણરૂપ ગુણો-અંશો છે તે સર્વાકાશ પ્રદેશના કરતાં પણ ઘણા વધારે છે. તે માટે એમ કહ્યું છે કે– ‘સવ્વાસે ન માફા’—સર્વ આકાશમાં ન માય. તાત્પર્ય એ છે કે–શિષ્ટ પુરુષો જેને સુખ કહે છે તે સુખથી માંડી સુખનો એક એક અંશ વધારતાં જે છેવટનું નિરતિશય સુખ હોય છે ત્યાં સુધીના અંશો સર્વ આકાશ પ્રદેશો કરતાં પણ અધિક છે તેથી સર્વ આકાશમાં સમાઈ શકે નહિ, જો એમ ન હોય તો સર્વ આકાશમાં જે ન માય તે એક એક સિદ્ધમાં કેમ સમાય? એવો પૂર્વાચાર્યનો સંપ્રદાય–પૃરંપરા છે. ।।૧૬। ન जह णाम कोई मिच्छो नगरगुणे बहुविहे वियाणंतो। न चएइ परिकहेउं उवमाए तहिं असंतीए ॥१७॥ इय सिद्धाणं सोक्खं अणोवमं नंत्थि तस्स ओवम्मं । किंचि विसेसेणित्तो सारिक्खमिणं सुणह वोच्छं || १८ || • जह सव्वकामगुणियं पुरिसो भोत्तूण भोयणं कोइ । तण्हा - छुहाविमुक्को अच्छिज्ज जहा अमियतित्तो ॥ १९ ॥ इय सव्वकालतित्ता अतुलं निव्वाणमुवगया सिद्धा । सांसयमव्वाबाहं चिट्ठति सुही सुहं पत्ता ||२०|| (મૂળ) જેમ કોઇ મલેચ્છુ બહુ પ્રકારના નગરના ગુણોને જાણતો ત્યાં ઉપમા નહિ હોવાથી કહી શકતો નથી. એમ સિદ્ધોને સુખ અનુમ છે, તેની ઉપમા નથી, તો પણ કંઇક વિશેષતાથી એનું સાદૃશ્ય–સરખાપણું કહું છું તે સાંભળો. જેમ કોઇ પુરુષ સર્વ કામના ગુણવાળું ભોજન ખાઇને તૃષા અને ક્ષુધાથી રહિત થઇ અમૃતથી તૃપ્ત થયેલો હોય તેની પેઠે રહે. તેમ સર્વકાલ તૃપ્ત થયેલા અને અનુપમ નિર્વાણને પ્રાપ્ત થયેલા સુખી સિદ્ધો અવ્યાબાધપણે શાશ્વત કાલ સુધી રહે છે. ૧૭–૨૦ા (ટી૦) હવે તે સિદ્ધોના સુખની નિરુપમતા બતાવે છે–‘નહનામ’ ઇત્યાદિ. જેમ કોઇ મલેચ્છ ગૃહનિવાસ વગેરે બહુ પ્રકારના નગરના ગુણોને જાણવા છતાં અરણ્યમાં જઇ અન્ય મલેચ્છોને કહેવા શક્તિમાનૢ થતો નથી. કેમ કહી શકતો નથી? એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે ‘ઉપમાના અભાવથી’. એ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાથી જાણવો “એક મહા અરણ્યવાસી મલેચ્છ અરણ્યમાં રહે છે. એક સમયે અશ્વથી હરણ કરાયેલો એક રાજા અટવીમાં આવ્યો. તે તેણે જોયો. સત્કાર કરી રાજાને પોતાના ગામ લઇ ગયો. રાજા પણ તેને નગરમાં લઇ ગયો અને ‘ઉપકારી છે’ એમ સમજી તેનું અત્યન્ત સન્માન કર્યું. તે ધવલ ગૃહાદિનો ઉપભોગ કરવા વડે રાજાની જેમ રહે છે. કેટલાક કાળે તેને અરણ્યનું સ્મરણ થયું, રાજાએ વિસર્જન કર્યો. અરણ્યવાસીઓ પૂછે છે કે–‘કેવું નગર છે?’ તે જાણવા છતાં પણ ત્યાં કોઇની ઉપમા નહિ હોવાથી તે નગરના ગુણોનું વર્ણન ક૨વા સમર્થ નથી. અર્થનો ઉપનય આ પ્રમાણે છે–‘ફ્ય સિદ્ધાણં' ઇત્યાદિ. એ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ છે, કારણ કે તેની ઉપમા નથી. તો પણ બાળજનોને ખયાલમાં આવે માટે કંઈક વિશેષતાથી આનું સાદૃશ્ય–સરખાપણું 159
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy