________________
बीयठाणपयं सिद्धाठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १ સંસ્થાન નિત્યંછું–તિષ્ઠતીતિ રૂત્યંછું, આવા પ્રકારે રહે તે રૂત્થશે, તેવું ન હોય તે નિત્યંÍ–વદનાદિના શુષિર-પોલાણ ભાગને પૂરવાવડે પૂર્વનો આકાર અન્યથા થવાથી-અનિયત આકારવાળું છે એ ભાવાર્થ છે. વળી જે સિદ્ધાદિના ગુણોના વર્ણનમાં સિદ્ધ ને રીટે, દસે' “સિદ્ધ દીર્ઘ નથી, તેમ હૃસ્વ નથી' ઇત્યાદિ સૂત્ર વડે દીર્ઘપણા વગેરેનો પ્રતિષેધ કર્યો છે તે પણ પૂર્વાકારની અપેક્ષાએ સંસ્થાનનું જુદાપણું હોવાથી જાણવો. પરન્ત સંસ્થાનના સર્વથા અભાવથી ન સમજવો. આના સંબંધમાં ભાષ્યકાર કહે છે-“સરપરિપૂરણામો પુત્રી IIRહીંયવસ્થાનો સંડાણમāત્વે મયિળિયા TR III પોન્દ્રિય પડિલેહો સિદ્ધારૂકુળ, રીદયાળ નમfë પુષ્યાIIFવિવરવી નામાવો રા''-“શુષિરવદનાદિના છિદ્રોને પૂરવાવડે અને પૂર્વનો આકાર અન્યથા થવાથી સિદ્ધોનું સંસ્થાન અનિત્યંસ્થ-અનિયત આકારવાળું છે. આ કારણથી જ સિદ્ધાદિના ગુણોમાં દીર્ઘત્વાદિનો પ્રતિષેધ કર્યો છે, કારણ કે અનિયંસ્થ-અનિયતાકારવાળું સંસ્થાન પૂર્વકારની અપેક્ષાએ છે, પણ એથી આકારનો અભાવ છે એમ ન સમજવું.
जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का। अन्नोऽन्नसमोगाढा पुट्ठा सव्वा वि लोगते ॥१०॥ फुसइ अणंते सिद्धे सव्वपएसेहिं नियमसो सिद्धा। तेऽवि [य] असंखिज्जगुणा देस-पएसेहिं जे पुट्ठा ।।११।। (મૂળ) જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવક્ષયથી મુક્ત થયેલા અનન્ત સિદ્ધો હોય છે. તે પરસ્પર મળીને રહેલા છે. બધાય
લોકાત્તવડે સ્પર્શ કરાયેલા છે. સિદ્ધો પોતાના સર્વ આત્મપ્રદેશો વડે અવશ્ય અનન્ત સિદ્ધોનો સ્પર્શ કરે છે. દેશ અને આ પ્રદેશથી પણ જે સ્પર્શ કરાયેલા છે તે પણ તેથી અસંખ્યાતગુણા છે. 7/૧૦-૧૧ (ટી) આ સિદ્ધો પરસ્પર ભિન્ન દેશમાં રહેલા છે કે નહિ? એ પ્રશ્નના ઉત્તરમાં ભિન્ન દેશમાં રહેલા નથી એમ અમે કહીએ છીએ. શા હેતુથી એમ કહો છો? તેનો ઉત્તર આપે છે-“ગત્ય ' ઇત્યાદિ. જ્યાં એક સિદ્ધ નિર્વાણને પ્રાપ્ત થયેલ છે ત્યાં
અનન્તા સિદ્ધો ભવના ક્ષય વડે મુક્ત થયેલા છે. અહીં ભવક્ષયના કથન વડે સ્વેચ્છા વડે ભવમાં અવતારગ્રહણ કરવાની - શક્તિવાળા સિદ્ધનો નિષેધ કર્યો. ‘અચોકન્યસમવIઠાઃ' તે સિદ્ધાં પરસ્પર મળીને રહેલા છે. કારણ કે ધમસ્તિકાયાદિની પેઠે તેનો તેવા પ્રકારનો અચિન્જ પરિણામ છે. તેમજ લોકના ‘મૃણા –બધા સ્પર્શીને રહેલા છે. “સ' ઇત્યાદિ. એક સિદ્ધ અવશ્ય પોતાના સર્વ આત્મ–પ્રદેશો વડે અનન્ત સિદ્ધોનો સ્પર્શ કરે છે. સર્વ પ્રદેશો વડે સ્પર્શ કરાયેલા સિદ્ધાં કરતાં દેશ અને પ્રદેશોથી સ્પર્શ કરાયેલા સિદ્ધો અસંખ્યાત ગુણા છે. કેવી રીતે છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે–અહીં એક સિદ્ધનું જેટલું અવગાહના ક્ષેત્ર છે તેટલા પરિપૂર્ણ એક ક્ષેત્રમાં રહેલા બીજા પણ અનન્ત સિદ્ધાં હોય છે અને તે સિવાય બીજા સિદ્ધો જેઓ તે ક્ષેત્રના એક એક પ્રદેશને સ્પર્શીને રહેલા છે તે પણ પ્રત્યેક અનન્તા છે. એમ બે, ત્રણ, ચાર અને પાંચ આદિ પ્રદેશોની વૃદ્ધિ વડે સ્પર્શ કરીને રહેલા છે તે પ્રત્યેક અનન્તા છે, તેમજ તે મૂલક્ષેત્રના એક એક પ્રદેશને છોડીને જે સિદ્ધો રહેલા છે તે પણ પ્રત્યેક અનન્ત છે. એમ બે, ત્રણ, ચાર, પાંચ વગેરે પ્રદેશોને છોડીને અવગાઢ-રહેલા છે તે પણ પ્રત્યેક અનન્તા છે. એમ પ્રદેશની વૃદ્ધિ અને હાનિ વડે જેઓ રહેલા છે તે સિદ્ધો પરિપૂર્ણ એક ક્ષેત્રમાં રહેલા સિદ્ધ કરતાં અસંખ્યાતગુણા છે. કારણ કે પૂર્ણાગાઢ ક્ષેત્રના પ્રતિપ્રદેશ અનન્ત સિદ્ધો રહેલા છે અને તે પ્રદેશો અસંખ્યાતા છે. કહ્યું છે કે “ જોડતા પરિવુદ્ઘિાળિો તો હુંતિ સંવેક્નમુના સંપાણી નાવાહો શાં"-એક સિદ્ધના ક્ષેત્રમાં અના સિદ્ધો રહેલા છે અને પ્રદેશની વૃદ્ધિ અને હાનિ વડે જે સિદ્ધો રહેલા છે તે તેના કરતાં અસંખ્યાતગુણા છે. કારણ કે અવગાઢ ક્ષેત્ર અસંખ્યાતપ્રદેશાત્મક છે. અને પ્રતિપ્રદેશ અનન્ત સિદ્ધ છે. તેથી અસંખ્યાતગુણા છે. II૧૦-૧૧
. असरीरा जीवघणा उवउत्ता दंसणे य नाणे या सागारमणागारं लक्खणमेयं तु सिद्धाणं ॥१२॥
केवलनाणुवउत्ता जाणंता सव्वभावगुण-भावे। पासंति सव्वओ खलु केवलदिट्ठीहिऽणताहि ।।१३।। (૧૦) શરીરાતીત, આત્મપ્રદેશોના ઘનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા સિદ્ધો છે, માટે સાકાર અને અનાકાર
157