________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं सिद्धाठाणाई
તો મરુદેવીની સિદ્ધાવસ્થાની અવગાહના સાડા ત્રણસો ધનુષ થાય, તો ઉપર કહેલા પ્રમાણવાળી ઉત્કૃષ્ટ અવગાહના કેમ ઘટી શકે? (ઉ0) તમે કહેલો દોષ આવતો નથી, કારણ કે મરુદેવીનું નાભિરાજાથી કંઇક ન્યૂન પ્રમાણ હતું. ઉત્તમ સંસ્થાનવાળા પુરુષોથી ઉત્તમ સંસ્થાનવાળી સ્ત્રીઓ પોતપોતાના કાળની અપેક્ષાએ કંઇક ન્યૂન પ્રમાણવાળી હોય છે. માટે મરુદેવીનું પાંચસો ધનુષનું શરીર હોવાથી કંઇપણ દોષ આવતો નથી. વળી મરુદેવી હાથી ઉપર બેઠેલા અને સંકુચિત શરીરવાળા સિદ્ધ થયેલા છે, તેથી શરીરનો સંકોચ થયેલો હોવાથી અધિક અવગાહનાનો સંભવ નથી. માટે અહીં કોઇપણ પ્રકારનો પરસ્પર વિરોધ આવતો નથી. ભાષ્યકાર કહે છે કે-‘‘હ મવેવામાાં? નામીતો નેળ વિશ્ચિતુળા સાા તો ર્િ પંચસયન્વિય અહવા સંજોષઓ સિદ્ધા ।।।।''–‘મરુદેવીનું શરીરપ્રમાણ કેમ ઘટે? તેનું શરીર નાભિરાજાથી કંઇક ન્યૂન હતું, માટે તે પાંચસો ધનુષવાળા જ છે. અથવા શ૨ી૨સંકોચ થવાથી સિદ્ધ થયેલ છે. II૬-૭।।
गाय होइ रयणी अद्वेव य अंगुलाई साहिया। एसा खलु सिद्धाणं जहन्नओगाहणा भणिया ||८|| (મૂળ) એક હાથ અને અધિક આઠ આંગુલ–એ સિદ્ધોની જઘન્ય અવગાહના કહી છે. ૮ (ટી0) ‘પત્તારિ ચળીઓ' ઇત્યાદિ. ચાર હાથ અને ત્રીજા ભાગ ન્યૂન એક હાથ એટલે ચાર હાથ અને સોળ આંગળ એ સિદ્ધોની મધ્યમ અવગાહના છે.
(પ્ર૦) આગમમાં જધન્યપદે સાત હાથની ઉંચાઇવાળાની સિદ્ધિ કહી છે, તો ઉ૫૨ કહેલી આ જઘન્ય અવગાહના કહેવાય, મધ્યમ અવગાહના કેમ કહેવાય? (ઉ0) તમારી શંકા વસ્તુતત્ત્વના અજ્ઞાનથી થયેલી છે માટે અયુક્ત છે. કારણ કે જઘન્યપદે સાત હાથ પ્રમાણ શરીરવાળાની સિદ્ધિ કહી છે તે તીર્થંકરની અપેક્ષાએ છે. સામાન્ય કેવલી તો તેથી ન્યૂન પ્રમાણવાળા હોય તો પણ તેની સિદ્ધિ થાય છે. અહીં અવગાહનાના પ્રમાણનો વિચાર કર્યો છે તે સામાન્ય સિદ્ધોની અપેક્ષાએ છે માટે કંઇપણ દોષ નથી. ‘એગા ય હોઇ’ ઇત્યાદિ. પરિપૂર્ણ એક હાથ અને અધિક આઠ આંગળ એ સિદ્ધોની જઘન્ય અવગાહના છે. અને તે જઘન્ય અવગાહના બે હાથના પ્રમાણવાળા કૂર્માપુત્ર વગેરેની જાણવી. અથવા સાત હાથની ઉંચાઇવાળા છતાં પણ યન્ત્રની અન્દર પીલાવાવડે સંકુચિત શરીરવાળાની અપેક્ષાએ જઘન્ય અવગાહના જાણવી. ભાષ્યકાર કહે છે કે– " जेट्टाउ पंचधणुसयतणुस्स मज्झा य सत्तहत्थस्स । देहत्ति भाराहीणा जहन्निया जा विहत्थस्स ॥१॥ सत्तूसियएसु सिद्धी जहन्नओ कहमिहं विहत्थेसु ? सा किर तित्थयरेसु सेसाणं सिज्झमाणाणं ॥२॥ ते पुण होज्ज विहत्था વુમ્માપુત્તાયો નહનેળા અને સંવટ્ટિયસત્તહત્યસિદ્ધસ્વ હીળત્તિ રૂ।।''-'પાંચસો ધનુષ શરીરવાળાની ઉત્કૃષ્ટ અવગાહના, સાત હાથ પ્રમાણ શરીરવાળાની મધ્યમ અવગાહના અને બે હાથના શરીરવાળાની જઘન્ય અવગાહના શરીરના ત્રીજા ભાગ ન્યૂન જાણવી. સાત હાથ ઉંચાઇવાળાની સિદ્ધિ જઘન્યથી કહી છે, તો બે હાથ પ્રમાણશરીરવાળાની કેમ થાય? તે તીર્થંકરની અપેક્ષાએ કહી છે, બાકીની સિદ્ધ થતા સામાન્ય કેવલીની અપેક્ષાએ બે હાથ પ્રમાણ શ૨ી૨વાળા કૂર્માપુત્રાદિ જઘન્યથી જાણવા.' આના સંબંધમાં અન્ય આચાર્યો કહે છે—સંકુચિત થયેલા સાત હાથના શરીરવાળા સિદ્ધની અપેક્ષાએ જઘન્ય અવગાહના જાણવી.૮॥
ओगाहणाइ सिद्धा भवत्ति भागेण होंति परिहीणा । संठाणमणित्थंथं जरा-मरणविप्पमुक्काणं ।। ९ ।। (મૂળ) સિદ્ધો અવગાહનામાં શરીરના ત્રીજા ભાગ વડે હીન છે, માટે જરા અને મરણથી મુક્ત થયેલા સિદ્ધોનું સંસ્થાનઅનિëસ્થ-અનિયત પ્રકારનું હોય છે.
(ટી૦) હવે કહેલી બાબતને ફરીથી કહેવા વડે સિદ્ધોના સંસ્થાનનું સ્વરૂપ કહે છે–‘ઓળાહળાફ' ઇત્યાદિ–‘અવાદનયા' શરીરની અવગાહનાની અપેક્ષાએ સિદ્ધો ‘મવત્રિમામેન પરિહીના:' ભવ-શરીરના ત્રીજા ભાગ હીન હોય છે, માટે સિદ્ધોનું
૧. વિશેષા૦ ગા૦ ૩૧૬૮; ૨. વિશેષા૦ ગા૦ ૩૧૬૨
156