________________
बीयठाणपयं सिद्धाठाणाइं
श्री प्रज्ञापना सूत्र भाग १
સંચળાળિ યા અર્જીવા ને ન મુન્નતિ ન સે ચાફ ત્તિ વુન્ના' ‘મે વા' અહીં પણ બહુવચનને ઠેકાણે એકવચનનો પ્રયોગ છે. એમ સિદ્ધોના સંબંધમાં શિષ્યે પ્રશ્ન કર્યો એટલે આચાર્ય ઉત્તર આપે છે-‘અલોપ્ પડિહયા સિદ્ધા' અહીં પણ સપ્તમી વિભક્તિ તૃતીયાના અર્થમાં છે. સિદ્ધો અલોક વડે–કેવલ આકાશાસ્તિકાય વડે સ્ખલિત થયેલા છે. અહીં અલોકમાં ધર્માસ્તિકાયાદિના અભાવથી ગતિ થતી નથી, તેથી અલોકને અડીને રહેવું એજ પ્રતિસ્ખલના છે, પરન્તુ સિદ્ધો પ્રતિઘાતરહિત હોવાથી સંબન્ધ થતાં વિઘાત થવારૂપ તેને સ્ખલના થતી નથી. કેમકે પ્રતિઘાતયુક્ત પદાર્થોનો સંબન્ધ થવાથી વિદ્યાત થવારૂપ સ્ખલના થાય છે, અન્યની થતી નથી, ‘તોાત્રે 7 પ્રતિષ્ટિતાઃ' સિદ્ધો પંચાસ્તિકાયાત્મક લોકના અગ્ર ભાગમાં પ્રતિષ્ઠિત–ફરી સંસારમાં પાછા ન આવવું પડે તેવી રીતે રહેલા છે. તથા અહીં મનુષ્ય લોકમાં બોન્દિ–શરીરનો ત્યાગ કરીને સમયાન્તર–અન્ય સમય અને પ્રદેશાન્તર–બીજા આકાશપ્રદેશોનો સ્પર્શ કર્યા સિવાય ત્યાં લોકના અગ્રભાગે સિદ્ધ થાય છે—કૃતાર્થ થાય છે. II૧-૨-૩॥ दहं वा हसं वा जं चरिमभवे हविज्ज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिया ||४ || जं संठाणं तु इहं भवं चयंतस्स चरिमसमयंमि । आसी य पदेसघणं तं संठाणं तहिं तस्स ।।५।। (મૂળ) લાંબુ કે ટુંકું છેલ્લા ભવનું જે સંસ્થાન–શરીર હોય તેનાથી ત્રીજા ભાગ હીન સિદ્ધોની અવગાહના કહેલી છે. II૪ આ મનુષ્ય લોકમાં ભવ-શરીરનો ત્યાગ કરતા છેલ્લા સમયમાં આત્મપ્રદેશના ધનરૂપ જે સંસ્થાન હોય છે તે સંસ્થાન ત્યાં સિદ્ધને હોય છે. પ
(ટી૦) હવે સિદ્ધપદને પ્રાપ્ત થયેલા સિદ્ધોનું જે સંસ્થાન છે તે જણાવે છે—વીર્ય વા દૂત્વ વા' ઇત્યાદિ. પાંચસો ધનુષપ્રમાણ દીર્ઘ-મોટું, બે હાથપ્રમાણ હ્રસ્વ-નાનું અને ‘વા’ શબ્દથી મધ્યમ વિચિત્ર પ્રકારનું છેલ્લા ભવમાં જે સંસ્થાન હોય છે તે શરીરના મુખ–ઉદર વગેરેના છિદ્રો પૂરવાથી તેના ત્રીજા ભાગવડે હીન સિદ્ધોની‘અવહસ્તે અણ્યાં' જેમાં ૨હે તે અવગાહના– આત્મપ્રદેશોની અવસ્થા તીર્થંકર ગણધરોએ કહેલી છે. અહીં પૂર્વભવના સંસ્થાનના પ્રમાણની અપેક્ષાએ ત્રીજા ભાગહીન સિદ્ધોનું સંસ્થાન છે એ ભાવાર્થ છે. એ વાતને સ્પષ્ટ કરીને બતાવે છે–‘નં સંતાળ તુ હૈં' ઇત્યાદિ. જેટલા પ્રમાણવાળું સંસ્થાન આ મનુષ્યભવમાં હતું (‘મવન્તિ પ્રાપ્તિન: ર્મવશવતિનોઽસ્મિન્ વૃત્તિ પ્રવ:' જેમાં કર્મને વશવર્તી પ્રાણીઓ ઉત્પન્ન થાય તે ભવ–શરીર) તે શરીરનો ત્યાગ કરતા એટલે કાયયોગને છોડતા છેલ્લા સમયે શુક્લ ધ્યાનના સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી નામે ત્રીજા પાયાના સામર્થ્યથી વદન, ઉદારાદિ છિદ્રોને પૂરવાથી ત્રીજા ભાગ વડે હીન આત્મપ્રદેશોના ઘનરૂપ ‘ સંવાળ તહિં તમ્સ' તેજ સંસ્થાન મૂલ શરીરના પ્રમાણની અપેક્ષાએ ત્રીજા ભાગવડે હીન પ્રમાણવાળું ત્યાં લોકના અગ્રભાગવર્તા ‘તસ્ય' તે સિદ્ધને હોય છે. II૪-૫
• तिन्नि सया तित्तीसा धणुत्तिभागो य होइ नायव्वो । एसा खलु सिद्धाणं उक्कोसोगाहणा भणिया ||६|| चत्तारि य रयणीओ रयणी तिभागूणिया य बोद्धव्वा । एसा खलु सिद्धाणं मज्झिम ओगाहया भणिया ॥ ७ ॥ (મૂળ) ત્રણસો તેત્રીશ ધનુષ અને એક ધનુષનો ત્રીજો ભાગ–એ પ્રમાણે સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે.।।૬।। ચાર હાથ અધિક ત્રીજાભાગ ન્યૂન એક હાથ–એ સિદ્ધોની મધ્યમ અવગાહના કહી છે.ISI
(ટી૦) હવે અવગાહનાના ઉત્કૃષ્ટાવગાહનાદિ ભેદો કહે છે-‘તિનિ સા તેન્નીસા' ઇત્યાદિ. ત્રણસો તેત્રીશ ધનુષ અને ધનુષનો ત્રીજો ભાગ (એક હાથ અને આઠ આંગળ) એ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના તીર્થંકર–ગણધરોએ કહેલી છે, અને તે અવગાહના પાંચસો ધનુષ પ્રમાણશરીરવાળાને આશ્રયી જાણવી.
(પ્ર૦) નાભિકુલકરની પત્ની મરુદેવી હતી, નાભિરાજાનું શ૨ી૨પ્રમાણ પાંચસો પચીશ ધનુષ હતું. તે જ શ૨ી૨પ્રમાણ મરુદેવીનું હતું, કેમકે ‘‘સંષયળ સંતાળ ખ્વત્ત વેવ તારેહિં સમું''-‘સંઘયણ, સંસ્થાન અને ઉંચાઇ કુલકરોના સમાન હોય છે’–એવું શાસ્ત્રનું વચન છે. અને ભગવતી મરુદેવી તો મોક્ષે ગયેલા છે, તેના શ૨ી૨પ્રમાણમાંથી ત્રીજો ભાગ બાદ કરીએ
155