SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं सिद्धाठाणाई પ્રાળા: દ્વિ-ત્રિ-તુ: પ્રોફ્તા: મૂતાજી: તરવ: સ્મૃતા:। નીવા પચેન્દ્રિયા: જ્ઞેયા: શેત્રા: સત્ત્વા વીરિતા:।।'' તે ઈષાભારા પૃથિવી શ્વેત છે. તે શ્વેતપણું ઉપમાથી જણાવે છે-‘શંવવ વિમલસ્વસ્તિ-મૂળાન્ત-વ્{S:તુષાર-ગોક્ષીર-હારવાં' શંખદલના ચૂર્ણનો નિર્મલ સ્વસ્તિક, મૃણાલ-કમલદંડ, પાણીના રજકણ, તુષાર-હિમ, દૂધ અને હારના જેવા વર્ણવાળી છે. ‘ત્તાનછત્રસંસ્થાનસંસ્થિતા' ઉત્તાન–ચત્તા રાખેલા છત્રના જેવા આકારવાળી, તથા ‘સર્વાનુંનસુવર્ણમયી' સર્વથા શ્વેત સુવર્ણમય છે. તે ઈષત્પ્રાક્ભારા પૃથિવીથી ઉપર ‘સીયાદ્’ નિસરણીની ગતિથી એક યોજન જઇએ એટલે લોકાન્ત પ્રાપ્ત થાય છે. તે એક યોજનના ઉપરનો ચોથો ગાઉ છે, તે ગાઉનો સૌથી ઉપરનો છઠ્ઠો ભાગ-ત્રણસો તેત્રીશ ધનુષ એક હાથ અને આઠ આંગળ પ્રમાણ છે, તે ક્ષેત્રમાં સિદ્ધ ભગવન્તો રહેલા છે. તે સાદિ છે, કારણ કે કર્મક્ષય થયા પછીજ સિદ્ધ થાય છે. તેથી અનાદિ શુદ્ધ પુરુષના પ્રવાદનો નિષેધ જણાવ્યો. વળી તેઓ ‘અપર્યવસિતા: ' અનન્ત-અન્તરહિત છે, કારણ કે તેઓને રાગાદિ નહિ હોવાથી ત્યાંથી પડવાનો અસંભવ છે. રાગાદિ ક્લેશો જ સિદ્ધપણાથી ભ્રષ્ટ કરવાને સમર્થ છે, અને તે સિદ્ધ ભગવંતને નથી, કારણ કે તેઓએ તેનો નિર્મૂલ નાશ કરેલો છે. અને નિર્મૂલ નાશ કરાયેલા રાગાદિ બીજ નહિ હોવાથી ફરીથી ઉત્પન્ન થતા નથી. ‘અને જ્ઞાતિજ્ઞામળયોનિસંસાર તક્તીમાવ-પુનઃર્ષવાર્ધવસતિ-પ્રપØસમતિાન્તા:' અનેક જાતિજન્મ, જરા અને મરણ વડે તે તે યોનિઓમાં સંસાર–સંસરણ–ભ્રમણ કરવાથી જે કલંકલીભાવ-કદર્થના થાય છે, તેમજ દિવ્ય સુખને પ્રાપ્ત થયેલાને પણ ફરીથી સંસારમાં ગર્ભાવાસનો પ્રપંચ પ્રાપ્ત થાય છે તે બન્નેને ઓળંગી ગયેલા સિદ્ધો એજ હેતુથી શાશ્વત કાલ સુધી રહે છે. I૫૮૧૩૬॥ तत्थ वि य ते अवेया अवेयणा निम्ममा असंगा य । संसारविप्पमुक्का पएसनिव्वत्तसंठाणा || १ || कहिं पडिहया सिद्धा? कहिं सिद्धा पइट्ठिया ? । कहिं बोंदिं चइत्ता गं? कत्थ गंतूण सिज्झइ ? ।।२।। अलोए पहिया सिद्धा लोयग्गे य पइट्ठिया । इहं बोंदिं चइत्ता णं तत्थ गंतूण सिज्झइ ||३|| (મૂળ) ત્યાં પણ વેદરહિત, વેદના રહિત, મમત્વરહિત, અસંગ, સંસારથી મુક્ત થયેલા અને આત્મપ્રદેશ વડે નિષ્પન્ન થયેલ સંસ્થાન જેઓનું છે એવા સિદ્ધો રહે છે. ।।૧।। સિદ્ધો કોનાથી પ્રતિહત–સ્ખલિત થયેલા છે–રોકાયેલા છે? સિદ્ધો ક્યાં રહેલાં છે? અને ક્યાં શરીરનો ત્યાગ કરી ક્યાં જઇને સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે? ।।૨।। સિદ્ધો અલોકાકાશવર્ડ સ્ખલિત થયેલા છે–રોકાયેલા છે, લોકના અગ્રભાગને વિષે રહેલા છે. અને આ લોકમાં શરીરનો ત્યાગ કરીને ત્યાં જઇને સિદ્ધ થાય છે. III (ટી૦) ‘તત્ત્વ વિય તે અવેયા' ઇત્યાદિ. ત્યાં પણ–સિદ્ધક્ષેત્રમાં પણ તે સિદ્ધ ભગવંતો ‘અવેવા: ' પુરુષવેદાદિ રહિત હોય છે, ‘અવેવના:' સાતા અને અસાતા વેદનાના અભાવથી વેદના રહિત, ‘નિર્મા:’-મમત્વરહિત અને ‘અસહ્Ī:' બાહ્ય અને અભ્યન્તર સંગરહિત હોય છે. શા હેતુથી એમ છે? ‘સંસારવિદ્રમુક્તા:’ સંસારથી મૂકાયેલા છે. અહીં હેતુમાં પ્રથમા વિભક્તિ છે. જેથી સંસારથી વિપ્રમુક્ત છે તેથી વેદ, વેદના, મમત્વ અને સંગરહિત છે. વળી તે સિદ્ધો કેવા છે? ‘પ્રવેશનિવૃત્ત-સંસ્થાના ' આત્મપ્રદેશો વડે નિષ્પન્ન થયેલ સંસ્થાન જેઓનું છે એવા છે, પરન્તુ તેઓનું બાહ્ય પુદ્ગલો વડે બનેલું સંસ્થાન નથી. કારણ કે તેઓએ પાંચે શ૨ી૨નો સર્વથા ત્યાગ કરેલો છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે—હિં પડિયા સિદ્ધા'-ઇત્યાદિ. અહીં સપ્તમી વિભક્તિ તૃતીયાના અર્થમાં છે. જેમકે “તિસુ તેવુ અતંયિા પુવી' તે ત્રણ વડે પૃથિવી અલંકૃત છે. તેથી આ અર્થ થાય છે– સિદ્ધો ‘જૈન પ્રતિહતા:' શાથી પ્રતિહત-સ્ખલિત થયેલા છે? ક્યા સ્થાનમાં ‘પ્રતિષ્ટિતા: ' રહેલા છે? અને ક્યા ક્ષેત્રમાં બોન્દિશરીરને છોડીને ક્યાં જઇને સિદ્ધ થાય છે—કૃતાર્થ થાય છે? ‘સિાફ' એ સ્થળે બહુવચનનો પ્રયોગ ‘સિiતિ' જોઇએ, પણ સૂત્રની શૈલીથી એક વચનનો પ્રયોગ વિરુદ્ધ નથી. બીજે સ્થળે પણ આવા પ્રયોગો મળે છે—વર્ત્યાંધમાંાર રૂત્થીઓ 154
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy