________________
बीयठाणपयं सिद्धाठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १ साइया अपज्जवसिया अणेगजाइ-जरा-मरणजोणिसंसारकलंकलीभाव-पुणब्भवगब्भवासवसहीपवंचसमइक्वंता સાયમ/દ્ધિાનં વિતિ તૂ૦-૧૮૩૬ (મૂળ) હે ભગવન્! સિદ્ધોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! સિદ્ધો ક્યાં રહે છે? હે ગૌતમ! સર્વાર્થસિદ્ધ નામે મહાવિમાનના
ઉપરના સ્કૂપિકા-શિખરના અગ્રભાગથી ઉપર બાર યોજન દૂર ઈશ્વત્થામ્ભારા નામે પૃથિવી છે. તે પીસતાળીશ લાખ યોજન લાંબી અને પહોળી છે. તેની પરિધિ એક ક્રોડ બેતાળીશ લાખ, ત્રીશ હજાર બસો ને ઓગણ પચાસ યોજનથી કંઈક વિશેષાધિક છે. તે ઈશ્વત્થામ્ભારા પૃથ્વીના બરોબર વચ્ચેના ભાગનું આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર જાડાઇમાં આઠ યોજન છે. ત્યાર પછી તે થોડી થોડી પ્રદેશની પરિહાનિથી ઘટતી ઘટતી સર્વ બાજુના છેડાઓમાં માખીની પાંખ કરતાં પણ વધારે પાતળી છે અને જાડાઈમાં આંગળના અસંખ્યાતમા ભાગની છે. ઈશ્વત્થામ્ભારા પૃથિવીના બાર નામ કહેલાં છે. તે આ પ્રમાણે—૧ ઈષ, ૨ ઈષ~ાભારા, ૩ તન્વી, ૪ તનુતન્વી, ૫ સિદ્ધિ, ૬ સિદ્ધાલય, ૭ મુક્તિ, ૮ મુક્તાલય, ૯ લોકાગ્ર, ૧૦ લોકાગ્રસ્તૃપિકા, ૧૧ લોકાગ્રપ્રતિવાહિની અને ૧૨ સર્વપ્રાણ-ભૂત-જીવ–સર્વસુખાવહા. તે ઈષ~ાભારા પૃથિવી શ્વેત અને શંખદલના ચૂર્ણના નિર્મલ સ્વસ્તિક, મૃણાલ-કમલદંડ, પાણીના રજકણ, ઝાકળ, ગાયના દૂધ અને હારના જેવા વર્ણવાળી છે. તે ચત્તા મૂકેલા છત્રના આકાર જેવી અને સર્વ શ્વેત સુવર્ણમય છે. તે સ્વચ્છ, સુકોમળ, સ્નિગ્ધ, ઘસેલી, સાફ કરેલી, રજરહિત, નિર્મલ, પંકરહિત, નિરાવરણ કાંતિવાળી, પ્રભાયુક્ત, શોભાસહિત, ઉદ્યોતસહિત, પ્રસન્નત્તા આપનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે ઈશ્વત્થામ્ભારાથી સીઆએનીસરણીની ગતિથી એક યોજન ઉપર લોકાત્ત છે, તે યોજનના ઉપરનો એક ગાઉ, અને તે ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો અનેક સિદ્ધની અપેક્ષાએ અનાદિ અને એક જીવની અપેક્ષાએ આદિસહિત પણ અત્તરહિત, અનેક જન્મ, જરા, મરણ અને યોનિઓમાં પરિભ્રમણનો ક્લેશ, પુનર્ભવ અને ગર્ભવાસમાં રહેવાના પ્રપંચથી રહિત,
શાશ્વત અનાગત (અનંત) કાળ પર્યન્ત રહે છે. //પદ/૧૩૬// (ટી) સિદ્ધના સૂત્રમાં “I નો જોડી' ઇત્યાદિ ઈશ્વત્થામ્ભારાપૃથિવીની પરિધિનું પરિમાણ કહ્યું છે તે વિખંભનો વર્ગ કરી તેને દસે ગુણી મૂળ કાઢવું-ઇત્યાદિ ગણિતથી સ્વયં જાણી લેવું, કારણ કે તે સુગમ છે. અથવા ક્ષેત્રસમાસની ટીકાથી જાણી લેવું, કારણ કે ત્યાં પીસતાલીશ લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રની પરિધિનો સવિસ્તાર વિચાર કરેલો છે, અને ઈષપ્રામ્ભારા પૃથિવીની પરિધિ પણ એટલી જ છે. તે ઈશ્વત્થામ્ભારા પૃથિવીના બરોબર મધ્ય ભાગમાં આયામ-લંબાઈ અને વિખંભ-પહોળાઈ વડે તથા બાહલ્ય–જાડાઇમાં એટલે ઉંચાઇમાં આયોજન પ્રમાણ ક્ષેત્ર છે, ત્યાર પછી તે સર્વ દિશાઓ અને વિદિશાઓમાં માત્રા-થોડી થોડી પ્રદેશની હાનિથી ઘટતી બધા ચરમાન્ત-છેડાઓમાં માખીની પાંખથી પણ અતિપાતળી છે અને જાડાઇમાં અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તે ઈષ~ામ્ભારા પૃથિવીના બાર નામ છે. જેમ કે-૧ “ઈસિ ઇ વા' પદના એક દેશમાં પદસમુદાયનો આરોપ થતો હોવાથી ‘ષત્' કહેવાય છે. ૨ ફેષ~ામારી, ૩ તળુ' રૂતિ વા–બાકીની પૃથિવીની અપેક્ષાએ અતિ પાતળી હોવાથી તન્વી કહેવાય છે, ૪ તનુતવી' રૂતિ-જગતમાં પ્રસિદ્ધ પાતળા પદાર્થોથી પણ પાતળી છે, કારણ કે માખીની પાંખથી પણ છેડાના ભાગમાં અતિપાતળી છે. ૫ ‘સિદ્ધિઃ' સિદ્ધક્ષેત્રના પાસે હોવાથી સિદ્ધિ કહેવાય છે. ૬ ‘સિદ્ધાલય' કૃતિ સિદ્ધક્ષેત્રને નજીક હોવાથી ઉપચારથી સિદ્ધોનું આલય-આધાર છે, માટે સિદ્ધાલય, એમ ૭ મુક્તિ અને ૮ મુવાલય પણ જાણવું. લોકના અગ્રભાગમાં હોવાથી હું તો, ૧૦ લોકાગ્રના પિકા-શિખર જેવી હોવાથી તોuપ્રવૂપિઝા, ૧૧ “તો પ્રતિવાહિની' નોન પ્રવ્હો-લોકના અગ્રભાગ વડે ધારણ કરાય છે માટે લોકાગ્રપ્રતિવાહિની, ૧૨ સર્વપ્રાગપૂત નીવર્વિસુલાવહા' સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને સુખ આપનાર. પ્રાણો-બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો. ભૂત-તરુઓ, જીવો-પંચેન્દ્રિયો અને સર્વ બાકીના પ્રાણીઓ સમજવા. કહ્યું છે કે
153