________________
बीयठाणपयं वाणमंतरदेवठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १
काले एत्थ पिसायइंदे पिसायराया परिवसइ, महिड्डीए जाव पभासेमाणे । से णं तत्थ तिरियमसंखेज्जाणं भोमेज्जुनयरावाससयसहस्साणं, चठण्हं सामाणियसाहस्सीणं, चठण्ह मग्गमहिसीणं सपरिवाराणं, तिन्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं दाहिणिल्लाणं वाणमंतराणं देवाण य देवीण य आहेवच्चं जाव विहरह। उत्तरिल्लाणं पुच्छा। गोयमा ! जहेव दाहिणिल्लाणं वत्तव्वया तहेव उत्तरिल्लाणं पि । णवरं मन्दरस्स पव्वयस्स उत्तरेणं । महाकाले एत्थ पिसायइंदे पिसायराया परिवसइ, जाव विहरइ । एवं जहा पिसायाणं तहा भूयाणं पि, जाव गंधव्वाणं । नवरं इंदेसु णाणत्तं भाणियव्वं इमेण विहिणा- भूयाणं सुरूव-पडिरूवा, जक्खाणं पुन्नभद्द - माणिभद्दा रक्खसाणं भीम- महाभीमा, किण्णराणं किण्णर- किंपुरिसा, किंपुरिसाणं सप्पुरिस - महापुरिसा, महोरगाणं अइकाया - महाकाया, गंधव्वाणं નીયરફ-પીયનશે, નાવ વિરા
काले य महाकाले सुरूव- पडिरूव पुन्नभद्दे य । तह चेव [अमरवइ] माणिभद्दे भीमे य तहा महाभीमे ॥ १ ॥ किन्नर - किंपुरिसे खलु सप्पुरिसे खलु तहा महापुरिसे । अइकाय - महाकाए गीयरई चेव गीयजसे ॥२॥ IR॰-૪૦||૧||
(મૂળ) હે ભગવન્! દક્ષિણ દિશાના પિશાચ દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! દક્ષિણ દિશાના પિશાચ દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આ જંબુદ્રીપનામના દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથિવીના હજાર યોજન જાડા રત્ન કાંડના ઉપરના ભાગથી એક સો યોજન અને નીચે એક સો યોજન છોડીને વચ્ચે આઠસો યોજનમાં તીરછા અસંખ્યાતા લાખ ભૂમિસંબન્ધી નગરો છે એમ કહ્યું છે. તે ભવનોનું વર્ણન સામાન્ય ભવનોના વર્ણન પ્રમાણે યાવત્–પ્રતિરૂપ છે—ત્યાં સુધી જાણવું. અહીં દક્ષિણ દિશાના પર્યાપ્તા અને અપર્યાપ્તા પિશાચદેવોના સ્થાનો છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા દક્ષિણ દિશાના પિશાચ દેવો રહે છે. તે મહાઋદ્ધિવાળાઇત્યાદિ ઔધિક—સામાન્ય વર્ણન યાવદ્ ‘વિહરે છે’ ત્યાં સુધી જાણવું. અહીં કાલ નામે પિશાચનો ઇન્દ્ર અને પિશાચોનો રાજા રહે છે. તે મહાઋદ્ધિવાળો–યાવત્ (દશ દિશાઓને) પ્રકાશિત કરે છે. તે ત્યાં તીરછા અસંખ્યાતા લાખ ભૂમિસંબન્ધી નગરોનું, ચાર હજાર સામાનિક દેવોનું, પરિવારસહિત ચાર અગ્રમહિષીઓનું, ત્રણ પર્ષદાઓનું, સાત પ્રકારના સૈન્યનું, સાત સેનાધિપતિઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું, તે સિવાય બીજા ઘણા વાનમંતર દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવદ્ વિહરે છે.
ઉત્તર દિશાના પિશાચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જેમ દક્ષિણ દિશાના પિશાચોના સંબંધમાં વક્તવ્યતા કહી છે તેમ ઉત્તરના પિશાચોના સંબંધમાં પણ કહેવી. પરન્તુ મેરુ પર્વતની ઉત્તર દિશાએ છે. અહીં મહાકાલ નામે પિશાચોના રાજા વસે છે. યાવત્–વિહરે છે. એ પ્રમાણે જેમ પિશાચો સંબંધમાં હકીકત કહી તેમ ભૂતોના સંબંધમાં યાવત્ત્વ ગધર્વોના સંબંધમાં કહેવી. પરન્તુ ઇન્દ્રોના સંબંધમાં વિશેષતા આ પ્રકારે કહેવી–ભૂતોના સુરૂપ અને પ્રતિરૂપ ઇન્દ્રો છે. યક્ષોના પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોના ભીમ અને મહાભીમ, કિન્નરોના કિન્નર અને કિંપુરુષ, કિંપુરુષોના સત્પુરુષ અને મહાપુરુષ, મહોરગોના અતિકાય અને મહાકાય તથા ગંધર્વોના ગીતરતિ અને ગીતયશ ઇન્દ્રો યાવત્– વિહરે છે.
‘કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિન્નર અને કિંપુરુષ, સત્પુરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય તથા ગીતરતિ અને ગીતયશ.’' II૪૦।।૧૧૮૫
137