________________
बीयठाणपयं वाणमंतरदेवठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १ રચેલી લાંબી લટકતી શોભતી પ્રિય વિકસિત અને અનેક પ્રકારની વિવિધ વનમાલા વક્ષઃસ્થલમાં જેઓએ પહેરેલી છે એવા, સ્વેચ્છાએ ગમન કરનારા, સ્વેચ્છા વડે રૂપ વાળા શરીરને ધારણ કરનારા, અર્થાત્ સ્વેચ્છાથી વિકુર્વેલા અનેક રૂપવાળા દેહને ધારણ કરનારા, અનેક પ્રકારના વર્ણ રૂપ રંગવાળા, પ્રધાન, અદ્ભુત, વિચિત્ર અને દેદીપ્યમાન વસ્ત્રોને પહેરનારા, વિવિધ પ્રકારના દેશી વેષો વડે જેઓએ પહેરવેશ ધારણ કર્યો છે એવા, પ્રમુદિત તથા કંદર્પ, કલહ, ક્રીડા અને કોલાહલને વિષે પ્રીતિવાળા, પુષ્કળ હાસ્ય અને કોલાહલ કરનારા, તલવાર, મુદ્ગર, શક્તિ અને ભાલાઓ જેના હાથમાં છે એવા, અનેક પ્રકારના મણિ અને વિવિધ રત્નો વડે યુક્ત, વિચિત્ર ચિહ્નો વાળા, મહા ઋદ્ધિવાળા, મહા કાંતિવાળા, મહા યશવાળા, મહા બલવાળા, મહા સામર્થ્યવાળા, મહા સુખવાળા, હાર વડે સુશોભિત વક્ષ:સ્થળ જેઓનું છે એવા, કડા અને તુટિત–બાહુરક્ષક–બાજુબંધ વડે જેની ભુજાઓ અક્કડ છે એવા, અંગદ, કુંડલ, અને કપોલપ્રદેશનો સ્પર્શ કરનાર કર્ણપીઠ-કર્ણાભરણને ધારણ કરનાર, વિચિત્ર માલાઓ મસ્તકમાં ધારણ કરનારા, કલ્યાણ કરનાર શ્રેષ્ઠ વસ્ત્રો જેઓએ પહેરેલા છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માલા અને વિલેપન ધારણ કરનારા, દેદીપ્યમાન શરીરવાળા, લાંબી લટકતી વનમાલાને ધારણ કરનારા, દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘયણ, દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દ્યુતિ, દિવ્ય પ્રભા, દિવ્ય છાયા (કાન્તિ), દિવ્ય અર્પી (કીરણો) દિવ્ય તેજ અને દિવ્ય વેશ્યા–(શરીરાદિવર્ણના સૌંદર્ય) વડે દશ દિશાઓને ઉદ્યોતવાળી કરતા, શોભતા ત્યાં પોતપોતાના અસંખ્યાતા લાખો ભૂમિસંબંધી નગરાવાસોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાની અગ્રમહિષીઓનું, પોતપોતાની પર્ષદોનું, પોતપોતાના સૈન્યનું, પોતપોતાના સેનાધિપતિઓનું, પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા વાણમંતર દેવો અને દેવીઓનું અધિપતિપણું પુરપતિપણું–અગ્રેસરપણું, સ્વામીપણું, ભર્તાપણું, વડીલપણું અને આજ્ઞાવડે ઈશ્વરપણું તથા સેનાપતિપણું કરાવતા, પાલન કરતા નિરંતર ચાલતા નૃત્ય, ગીત અને વગાડેલા વીણા, હસ્તતાલ, કાંસી તથા નિપુણ પુરુષોએ વગાડેલ ઘન મૃદંગના મોટા શબ્દ વડે દિવ્ય એવા ઉપભોગ કરવા લાયક ભોગોને ભોગવતા વિહરે છે. II૩૮૧૧૬॥
(ટી૦) વાનમંતર સૂત્રમાં ‘તિસુવિ ોસ્ત અસંવેન્ગર્ માળે' સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્દાત રૂપે ત્રણે સ્થાનોને આશ્રયી તેઓ લોકના અસંખ્યાતમા ભાગને વિષે હોય છે. તથા ‘ મુયાવળો મહાાયા' મહાકાય એટલે મહોરંગ, મહોરગો કેવા છે? તેના ઉત્ત૨માં વિશેષણ કહે છે— મુખપતય: ' ભુજગપતિઓ છે. તેમજ ‘ાન્યવાળા: ' ગન્ધર્વસમુદાયો કેવા છે? તે માટે વિશેષણ કહે છે–‘નિપુળાન્યવંશીતરતય: ' ‘નિપુણ–અત્યંત કુશલતાયુક્ત ગર્વ જાતિના દેવોના ગીતને વિષે પ્રીતિવાળા છે. એ આઠે વ્યન્તરોના મૂળ ભેદો છે, તે સિવાય બીજા આઠ અવાન્તર-પેટા ભેદો છે–‘અળપનિય' અણપન્તિક વગેરે. એ સોળ પ્રકારના વ્યન્તરો કેવા છે? તેના ઉત્તરમાં કહે છે-‘પદ્મતત્ત્વતત્ત્વપજ્ઞપિત્ત-જ્રીડાનદ્રવપ્રિયા:' ચંચલ–અનવસ્થિત અને ચલચપલ–અતિશય ચપલ ચિત્તવાળા તથા ક્રિડા અને દ્રવ–પરિહાસ જેઓને પ્રિય છે એવા, ટીકામાં તો તેનો અર્થ આ પ્રમાણે છે–‘ચંચલ–અનવસ્થિત ચિત્તવાળા તથા ચલચપલ–અત્યંત ચપલ ક્રીડન–ક્રીડા અને ચિત્તને વિષે દ્રવ–પરિહાસ પ્રિય જેઓને છે એવા.’ તથા ‘ગંભીરહસિતળીતનર્તનતય:' ગંભીર હાસ્ય, ગીત અને નૃત્યને વિષે જેઓને પ્રીતિ છે એવા, તથા ‘વનમાલાપીડમુળુટકુંડલ-સ્વચ્છ<વિવિતામરળામૂળળધરા: ' વનમાલામય જે શેખર, મુકુટ અને કુંડલ તથા સ્વચ્છન્દપણે વિકુર્વેલા આભરણોવડે સુંદર ભૂષણને ધારણ કરનારા, ‘સવંતું સુમિ સુસુચિતપ્રલમ્બશોમમાનાનવિસન્વિત્રવનમાલારવિતવક્ષસઃ' સર્વ ઋતુમાં થનારા સુગંધી પુષ્પો વડે સારી રીતે ગુંથેલી પ્રલંબ-લાંબી લટકતી, શોભતી, કાન્ત–પ્રિય વિકસન્તી–ખીલેલી–નહિ કરમાયેલા પુષ્પોવાળી ચિત્ર-નાના પ્રકારની વનમાલા જેઓએ વક્ષઃસ્થળમાં ધારણ કરેલી છે એવા, ‘જામમાઃ' કામ–સ્વેચ્છાવડે ગમ–ગતિવાળા, અર્થાત્ સ્વેચ્છાએ ફરવાવાળા, ક્વચિત્ ‘ામામા:' એવો પાઠ છે. તેમાં કામ–સ્વેચ્છાથી કામ–મૈથુનસેવા જેઓને છે એવા, એટલે તેઓ અનિયમિતપણે વિષયસેવવાવાળા, ‘ગમરૂપા ’
135