SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ बीयठाणपयं भवणवासिदेवठाणाइं श्री प्रज्ञापना सूत्र भाग १ અર્ચી-રત્નાદિની કાંતિ, દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યા–શરીર વર્ણના સૌન્દર્ય વડે દસ દિશાઓને ઉદ્ઘોતવાળી કરતા, શોભતા પોતપોતાના લાખો ભવનવાસોનું પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાના ત્રાયશ્રિંશ દેવોનું, પોતપોતાના લોકપાલોનું, પોતપોતાની અગ્રમહિષીઓનું, પોતપોતાની પર્ષદાઓનું, પોતપોતાના સૈન્યોનું, પોતપોતાના સૈન્યના અધિપતિઓનું, પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું, અને બીજા ઘણા ભવનવાસી દેવો તથા દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું, સ્વામિપણું, ભર્તાપણું, વડીલપણું, આજ્ઞાવડે ઈશ્વરપણું તથા સેનાના અધિપતિપણું બીજા પાસે કરાવતા અને સ્વયં પાલન કરતા, નિત્ય પ્રવર્તમાન નૃત્ય, ગાયન, તથા વાગેલા વીણા, હસ્તતલ, કાંસી અને બીજા વાર્દિત્રોના મોટા શબ્દ વડે દિવ્યપ્રધાન ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતા રહે છે. ।।૨૮।૧૦૬ (ટી) ‘હિનં મંતે મવળવાસીનું રેવાળ' ઇત્યાદિ. ‘અશીત્યુત્તયોગનશતસહસ્રવાત્સ્યાયઃ 'એંશી હજાર અધિક શતસહસ્ર—એક લાખ યોજન બાહલ્ય—જાડાઇ જેની છે એવી રત્નપ્રભા પૃથિવીની ઉપર અને નીચે એક એક હજાર યોજન છોડીને મધ્યના એક લાખ અનેં અઠ્યોતેર હજાર યોજનમાં સાત ક્રોડ અને બહોતેર લાખ ભવનો છે. અસુકુમાર દેવોના ચોસઠ લાખ ભવનો છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ આકૃતિવાળાં, અંદરના ભાગમાં સરખા ચાર ખુણાવાળાં અને નીચેના ભાગમાં ‘મતળિાસંસ્થાનસંસ્થિતાનિ' કમલની કર્ણિકાની–સંસ્થાન-આકૃતિવાળાં છે. કમળના મધ્ય ભાગમાં ઊંચી, સમાન અને વિચિત્ર બિન્દુ-ટપકાવાળી કર્ણિકા કહેવાય છે. ‘હીર્ગાન્તરવિપુતગંભીરલાતપરિહાનિ' ઉત્કીર્ણ—જાણે કે કોતરેલું હોયની શું એવું એટલે અત્યન્ત સ્પષ્ટ અન્તર–ભેદ જેઓનો છે એવી વિપુલ અને ગંભીર ખાત અને પરિખા જેની ચારે તરફ આવેલી છે એવાં, એટલે ખાત અને પરિખાનો સ્પષ્ટ ભેદ માલુમ પડે તે માટે બન્નેની વચ્ચે એક મોટી પાળ છે. અર્થાત્ સ્પષ્ટ અન્તરવાળી વિપુલવિસ્તીર્ણ, ગંભીર–જેનો તાગ ન આવી શકે એવી (ઉંડી) ખાત અને પરીખા તે ભવનોની ચારે તરફ આવેલી છે. ખાત અને પરિખાની એટલી વિશેષતા છે કે પરિખા ઉપર પહોળી અને નીચે સંકુચિત હોય છે અને ખાત ઉપર અને નીચે બન્ને સ્થળે સરખી હોય છે. ‘પ્રારદાત્તપાતોરણપ્રતિષ્ઠારવેશમાનાનિ' દરેક ભવનના પ્રાકારો-કિલ્લાઓને વિષે અદ્યાલક–કિલ્લા ઉ૫૨ના નોકરોને રહેવાના સ્થાન, કપાટ–પોળના દ્વારના કમાડો, એથી બધા ભવનોમાં પોળો હોય છે એ સૂચિત કર્યું, અન્યથા અહિં કમાડોનો અસંભવ છે. પોળના દ્વારના તોરણો, અને પ્રતિદ્વા૨—મોટા બારણાઓમાં રહેલી નાની બારીઓ તે રૂપ દેશભાગ–વિભાગો જેમાં છે એવાં, ‘યન્ત્રશતઘ્નીમુશલમુસંઢીપરિવારિતાનિ' નાના પ્રકારના યન્ત્રો, શતઘ્ની– મોટી લાકડીઓ અથવા મોટી શિલાઓ કે જે પાડવામાં આવી હોય તો સો પુરુષોનો નાશ કરે, મુશલ પ્રસિદ્ધ છે અને મુસંઢી એક જાતનું શસ્ત્ર છે, તેઓ વડે પરિવારિત–યુક્ત એવાં, એથી જ હમેશાં ‘અયોધ્યાનિ’બીજાઓ વડે જ્યાં યુદ્ધ કરવું અશક્ય છે એવાં, માટે જ ‘સવાગયાનિ' જેઓનો સર્વદા જય છે એવાં, ‘સવાળુતાનિ’ હમેશાં યુદ્ધ કરનારા પુરુષોથી શસ્રોવડે ગુપ્તસુરક્ષિત એવાં, કેમકે યોદ્ધાઓ તે ભવનની ચોતરફ નિરંતર રહેલા હોવાથી ત્યાં અન્ય શત્રુઓનો જરા પણ પ્રવેશ થવો સંભવિત નથી. ‘અડયાત(અષ્ટવાŔશત્)ોષ્ઠરવિતાનિ' અડતાળીશ પ્રકારની રચનાયુક્ત કોષ્ઠક–ઓરડાઓ (શાશ્વત · હોવાથી) જ્યાં સ્વતઃ રચેલાં છે એવાં, અને ‘અડયા વૃતવનમાાનિ' અડતાળીશ પ્રકારની ભિન્ન રચનાવાળી વનમાળાઓ જ્યાં છે એવાં ભવનો છે. આના સંબંધમાં અન્ય આચાર્યો કહે છે કે—‘અડયાલ' શબ્દ દેશીશબ્દ હોવાથી પ્રશંસાનો વાચક છે. માટે જેમાં પ્રશસ્ત કોષ્ટક–ઓરડાઓ રચેલા છે એવાં અને પ્રશસ્તરચનાવાળી વનમાલાઓ જેમાં છે એવાં ભવનો છે. ‘ક્ષેમાળિ‘—અન્યથી કરાયેલા ઉપદ્રવ રહિત, ‘શિવાનિ’સદા મંગલયુક્ત, તથા ‘રિામડોપક્ષિતાનિ' કિંકરચાકર રૂપે રહેલા જે દેવો છે તેઓથી દંડ વડે ચોતરફ રક્ષણ કરાયેલાં છે. ‘તાતત્ત્તોથમહિતાનિ' લાઇય–ભૂમિને છાણ વગેરેથી લીંપવું; ‘ઇત્ત્તોડ્સ' ભીંત અને માળને ખડી વગેરેથી ધોળવું, તે વડે મહિતપૂજિત, સુશોભિત એવાં, તથા 'મોશીર્ષક્ષક્ષરવતજંવનવત્તપંચાણુજિતજ્ઞાનિ' દર્દર-ગાઢ અથવા ચપેટા-હથેળી રૂપે ગોશીર્ષ નામના ચંદન અને સરસ . 121
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy