________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं तेउकायठाणाई સમસ્ત તીરછા લોકમાં ઉપપાત વડે અપર્યાપ્યા બાદ તેજસ્કાયિકોના સ્થાનો કહે છે. કોઈ આચાર્યો તિરિતોતિ ' એવો પાઠ કહે છે, અને તે પાઠની આવી વ્યાખ્યા કરે છે તે બન્ને કપાટમાં અને તસ્થ–બન્ને કપાટમાં રહેલા તિર્યશ્લોકમાં અર્થાત્ બન્ને કપાટના અન્તવર્તી તીરછા લોકમાં એ અર્થ જાણવો.” તેનો ભાવાર્થ આ પ્રમાણે છે–પૂર્વોક્ત સ્વરૂપવાળા બન્ને ઊર્ધ્વ કપાટમાં અને તે કપાટના અન્તર્ગત તીરછા લોકમાં, પણ બધા તીરછા લોકમાં નહિ. એમ કપાટ સિવાયના તિર્યશ્લોકનો નિષેધ કરવા માટે આ વાક્ય છે, પણ વિધાન કરવા માટે નથી, કેમકે વિધાન તો કપાટના ગ્રહણ કરવાથી જ સિદ્ધ છે. અહીં તત્ત્વ કેવલજ્ઞાની કે વિશિષ્ટ જ્ઞાનીગમ્ય છે.
અહીં ભાવાર્થ આ છે–ત્રણ પ્રકારના બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકો છે–૧ એકભવિક, બદ્ધાયુષ્ય અને અભિમુખનામગોત્ર. તેમાં જે કોઈ એક વિવક્ષિત-અમુક ભવ પછી તુરત જ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકપણે ઉત્પન્ન થશે તે એક ભવિક, પૂર્વ ભવનો ત્રીજો ભાગ વગેરે બાકી હોય ત્યારે જેઓએ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકનું આયુષ્ય બાંધ્યું છે તે બદ્ધાયુષ્ય, જેઓ પૂર્વ ભવનો ત્યાગ કર્યા પછી બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકનું આયુષ્ય, નામ અને ગોત્ર સાક્ષાત વેદે છે તે અભિમુખનામગોત્ર - કહેવાય છે. તેમાં જેઓ એક ભવિક અને બદ્ધાયુષ્ય છે તે દ્રવ્યથી બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક છે, પણ ભાવથી નથી. કારણ કે તે સમયે તેને તેના આયુષ્ય, નામ અને ગોત્રનો ઉદય નથી. માટે તે બન્નેનો અહીં અધિકાર નથી, પરન્તુ અભિમુખનામગોત્રવાળા બાદર તેજસ્કાયિકોનો અધિકાર છે, કારણ કે પોતાના સ્થાનની પ્રાપ્તિની અભિમુખતારૂપ ઉપપાત તેઓનો જ ઘટી શકે છે. જો કે જુસૂત્ર નયની દૃષ્ટિએ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુષ્ય, નામ અને ગોત્રનો ઉદય હોવાથી પૂર્વોક્ત બે કપાટ અને તિર્યશ્લોકની બહાર રહેલા છતાં ‘બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક' કહેવાય છે. તો પણ અહીં વ્યવહાર નયની દૃષ્ટિથી જેઓ પોતાના ઉત્પત્તિ સ્થાનની સમશ્રેણિમાં બે કપાટને વિષે રહેલા છે અને જેઓએ પોતાના ઉત્પત્તિ સ્થાનને અનુસરી તીરછા લોકમાં પ્રવેશ કર્યો છે તેજ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવા, બાકીના કપાટના આન્તરામાં રહેલા ન કહેવા. કારણ કે તેઓ વિષમ સ્થાનમાં રહેલા છે, તેથી જેઓએ હજી પણ બે કપાટમાં પ્રવેશ કર્યો નથી, તેમ તિર્યશ્લોકમાં પણ પ્રવેશ કર્યો નથી તેઓ પૂર્વભવની અવસ્થાવાળા છે તે માટે એ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક તરીકે ન ગણવા. કહ્યું છે કે “પાતપિતા ના
વાડા છિિસં પુઠ્ઠા નોડાને સંડતો ને તે ૩ વિપત્તિ' “પીસ્તાલીશ લાખ પહોળા બન્ને કપાટો છએ દિશાએ લોકાન્તને સ્પર્શેલા છે, તેની અંદર જે તેજસ્કાયિકો છે તે ગ્રહણ કરવા.” તે માટે કહ્યું છે કે–વવાનું તો ઉદ્ભવાડેલું તિરિયત્નો તટ્ટ '–ઉપપાતને આશ્રયી બે ઊર્ધ્વ કપાટોમાં અને તિર્યશ્લોક રૂપી તટ્ટ-સ્થાળને વિષે હોય છે.” એ પ્રમાણે આ સૂત્રનું વ્યવહાર નયની દૃષ્ટિથી વ્યાખ્યાન કર્યું. કારણ કે તેવા પ્રકારનો સંપ્રદાય છે. વિવિત્રા સૂવાળાં તિઃ'-સૂત્રોની ગતિ વિચિત્ર હોવાથી એ વાત યુક્ત છે. સમુધા સવ્યનો’–સમુદ્દઘાત વડે સર્વલોકમાં હોય છે. અહીં પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું છે તે બન્ને કપાટોના વચ્ચેના ભાગમાં જે સૂક્ષ્મપૃથિવીકાયિકાદિ જીવો બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થવાના છે તેઓ મારણાન્તિક સમદુઘાત કરી વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ માત્ર અને લંબાઇમાં ઉત્કર્ષથી લોકાન્તપર્યન્ત આત્મપ્રદેશોને વિસ્તાર છે. તે પ્રમાણે અવગાહના સંસ્થાનપદમાં કહેવામાં આવશે.-“હે ભગવન્! જેણે મારણાન્તિક સમુઘાત કરી છે એવા પૃથિવીકાયિકના તૈજસ શરીરની કેટલી મોટી અવગાહના કહી છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ તથા લંબાઇમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લોકાન્ત સુધી હોય છે.” તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિ ઉત્પત્તિ દેશ સુધી આત્મપ્રદેશોને દંડ રૂપે વિસ્તારી અન્તરાલ ગતિમાં વર્તતા અને બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુષ્યનો અનુભવ કરતા હોવાથી જેઓ ‘બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવાય છે, તેઓ સમુદ્યતને પ્રાપ્ત થયેલા જ અન્તરાલ ગતિમાં વર્તતા હોય છે, અને સમુદ્યાતાવસ્થામાં સર્વલોકને વ્યાપ્ત કરે છે. માટે એમ કહ્યું છે કે-“સમુદ્દાત વડે સર્વલોકમાં હોય છે.” બીજા આચાર્યો કહે છે કે-"બાદર અપર્યાપ્તા તેજસ્કાયિકો ઘણા છે. કેમકે એક એક પર્યાપ્તાને આશ્રયી અસંખ્યાતા અપર્યાપ્તાઓ ઉત્પન્ન થાય છે. અપર્યાપ્તાઓ તો સૂક્ષ્મમાં પણ ઉત્પન્ન થાય છે અને સૂક્ષ્મ જીવો તો બધે સ્થળે છે. તેથી બાદર અપર્યાપ્ત તેજસ્કાન્કિો પોતાના 106