SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं तेउकायठाणाई ભાગમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. હે ભગવન્! અપર્યાપ્ત બાદર અપ્લાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્ત બાદર અપ્લાયિકોના સ્થાનો છે ત્યાં અપર્યાપ્ત બાદર અપ્લાયિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્દાત વડે સર્વલોકમાં અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. તે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ! સૂક્ષ્મ અખાયિકો જે પર્યાપ્તા અને અપર્યાપ્ત છે તે બધા એક પ્રકારના, વિશેષતારહિત, અનાનાત્વ-ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે આયુષ્માન શ્રમણ! કહેલાં છે.f/૪૮૨/ (ટીવ) “હે આયુષ્મન્ શ્રમણ!' એ ભગવાને ગૌતમને કહેલું સંબોધન છે. એમ અખાયિકના બાદર અને સૂક્ષ્મ વિષયક સૂત્રો જાણવાં. પરન્તુ પર્યાપ્ત બાદર અપ્લાયિકના સૂત્રમાં તેઓનું સ્થાન સાત ઘનોદધિવલયોમાં છે અને તે ઘનોદધિવલયો પોતપોતાની નરક પૃથિવીના પર્યન્તભાગને વીંટીને રહેલા અને વલયની આકૃતિવાળાં છે. ‘મહોતો પાયાને સુ' અધોલોકમાં વલયામુખ પ્રમુખ પાતાલકલશોમાં છે, કેમકે તે કલશોમાં પણ બીજા તૃતીયાંશમા દેશથી અને ત્રીજા તૃતીયાંશમાં સર્વથા પાણીનો સદ્ભાવ છે. ભવનોમાં, કલ્પોમાં અને વિમાનોમાં પાણી વાવ વગેરેમાં હોય છે. અહીં વિમાનાદિ કહેલાં છે તે દેવલોકમાં રહેલાં જાણવાં. કેમકે રૈવેયકાદિને વિષે વાવોનો અસંભવ હોવાથી પાણી હોતું નથી, અવટ-કુવા, તડાગ-તળાવો પ્રસિદ્ધ છે, નદીઓ ગંગા- ' , સિધૂ વગેરે, પwહૂદાદિ દ્રો-કુંડો, ચારખુણાવાળી વાવો અને ગોળ આકારવાળી પુષ્કરિણીઓ કહેવાય છે. અથવા પુષ્કરકમળો જેમાં હોય તે પુષ્કરિણી, દીધિંકા-સીધી નાની નદીઓ, તે વાંકી હોય તો તેને ગુંજાલિકા કહે છે. ઘણાં જુદાં જુદાં પુષ્પોયુક્ત હોય તે સરોવરો, એક પંક્તિમાં રહેલા સરોવરો તે સર:પંક્તિ, તેવી ઘણી સરોવરની પંક્તિઓ, જે પંક્તિબદ્ધ સરોવરોમાં કૂવાનું પાણી પ્રણાલિકાથી ચાલે તે સરાસર પંક્તિ કહેવાય, તેવી ઘણી સરસર:પંક્તિઓ, બિલો-જગતી વગેરે સ્થળે સ્વાભાવિક થયેલા નાના કૂવાઓ, ‘ઉન્ફર–પર્વતોમાંના પાણીના ઝરણાઓ, પ્રવાહો, તે સદા સ્થાયી હમેશાં વહેતા હોય તે નિઝર-ઝરણાં કહેવાય, છિલ્લરો નહિં ખોદેલા અને થોડા પાણીવાળા જમીનના પ્રદેશ કે પર્વતના પ્રદેશો, પલ્વલ-નહિ ખોદેલા સરોવરો, વપ્રો-ક્યારાઓ, ઘણું શું કહેવું? પણ બધા જલાશયોમાં એટલે જળના સ્થાનોમાં પર્યાપ્ત બાદર અપ્લાયિકો હોય છે. બાકીના બધાનો વિચાર પૂર્વની પેઠે કરવો. ૪ll૮૨ || તેડવાયડારૂં || कहि णं भंते! बायरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सहाणेणं अंतोमणुस्सखेत्ते अड्वाइज्जेसु दीवसमुद्देसु, निव्वाघाएणं पन्नरससुकम्मभूमीसु, वाघायं पडुच्च पंचसुमहाविदेहेसु, एत्थ णंबादरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता। #उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोगस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-५।।८३।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા બાદર તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાનવડે મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ સમુદ્રોમાં, વ્યાઘાત-પ્રતિબંધ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાત-પ્રતિબંધને આશ્રયી પાંચ મહાવિદેહોમાં અહીં પર્યામાં બાદર તેજસ્કાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાતવડે લોકના અસંખ્યાતમા ભાગમાં સમુઘાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે.પીટall (ટી.) હવે બાદર પર્યાપ્તા તેજસ્કાયિકોના સ્થાનો સંબંધમાં પ્રશ્ન કરે છે– હે ભગવન્! બાદર તેજસ્કાયિકોના' ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે—હે ગૌતમ! સ્વસ્થાનને આશ્રયી મનુષ્યક્ષેત્રમાં-અઢી દ્વીપસમુદ્રમાં હોય છે. તેમાં અઢીએ #.# પતંવિદ્વાન્તત પાઠ સ્થાને “તી વિ નોટ્સ અસંન્ગતિમાને' તિ સૂત્ર પાર્ટ દેશવ્યાપથાકૃદ્ધિઃ શ્રી હરિભદ્રપર્વત તોગતિા (મ.વિ.) પૃષ્ઠ ૪૭ 104
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy