________________
श्री प्रज्ञापना सूत्र भाग १
તે કેવલજ્ઞાની કે વિશિષ્ટ શ્રુતજ્ઞાની ગમ્ય છે.
તાત્પર્ય એ છે કે પર્યામા બાદર પૃથિવીકાયિકો થોડા છે અને તેથી તેઓ અપાન્તરાલ ગતિમાં વર્તતા હોય તેને પણ ગ્રહણ કરતા ઉપપાતને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે, જો ઘણા હોય તો સમુદ્દાતને આશ્રયી બીજા ક્ષેત્રમાં રહેવાનો સંભવ હોવાથી સૂત્રોક્ત લોકનો અસંખ્યાતમો ભાગ ઘટી શકશે નહિ. માટે ઉપપાતને આશ્રયી અપાન્તરાલ ગતિમાં વર્તતા હોય તેને પણ ગ્રહણ કરવા. ‘સમુખાળું લોગસ્સ બસંલેન્ગાશે.' સમુદ્દાતને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે. અહીં આ ભાવાર્થ છે—જ્યારે સોપક્રમાયુષ્યવાળા કે નિરુપક્રમઆયુષ્યવાળા પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ આદિ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધીને મારણાન્તિક સમુદ્દાત કરે છે અને ઉત્પત્તિ સ્થાન પર્યન્ત આત્મપ્રદેશોનો દંડ વિસ્તારવા છતાં પણ થોડા હોવાથી લોકના અસંખ્યાતમા ભાગે રહે છે, અને પર્યામા બાદર પૃથિવીકાયિકનું આયુષ્ય હજી સુધી સમુદ્દાતાવસ્થામાં પણ ક્ષીણ થયું નથી માટે તેઓ પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો પણ કહેવાય છે.
बीयठाणपयं पुढवीकायठाणाई
અહીં પૂર્વે પૃથિવ્યાદિને વિષે બાદર પર્યામા પૃથિવીકાયિકોનું સ્વસ્થાન માત્ર કહ્યું, હવે ‘સ્વસ્થાનેન' સ્વસ્થાનની અપેક્ષાએ લોકના કેટલા ભાગમાં રહે છે? તે બતાવે છે—સટ્ટાળેળ હોમ્સ અસંવિન્ગમશે.' સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે. સ્વસ્થાન રત્નપ્રભા વગે૨ે છે, તે બધાં મળવા છતાં પણ લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. તે આ પ્રમાણે—રત્નપ્રભા પૃથિવીનો પિંડ એક લાખ અને એંશી હજાર યોજન પ્રમાણ છે. એ પ્રમાણે બાકીની પૃથિવીઓ પોતપોતાની જાડાઇ વડે કહેવી. પાતાલકલશો પણ લાખ યોજન પ્રમાણ ઉંચા છે. નરકાવાસો પણ ત્રણ હજાર યોજન ઉંચા છે. વિમાનો પણ બત્રીસો યોજન પ્રમાણ ઉંચા છે. માટે એ બધાં મળવા છતાં પણ પરિમિત હોવાથી લોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. ।।૧।।૭૯૫
कहि णं भंते! बादरपुढविकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता ? गोयमा ! जत्थेव बादरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणापन्नत्ता तत्थेव बादरपुढविकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता । तं जहा - उववाएणं सव्वलोए, समुग्घाएणं સવ્વતો, સટ્ટાનેળ તોયમ્સ ગતંત્રેન્નમાવે નૂ૦-૨||૮||
(મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જ્યાં પર્યામા બાદ૨ પૃથિવીકાયિકોના સ્થાનો છે, ત્યાં જ અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો છે. ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્દાતવડે સર્વલોકમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ર૮૦
(ટી૦) બાદર અપર્યાપ્તા પૃથિવીકાયિકના સૂત્રમાં ‘ઝવવાળું સોપ્ સમુષ્કાળ સવ્વલોક્'-ઉપપાત વડે સર્વલોકમાં અને સમુદ્દાત વડે સર્વલોકમાં હોય છે. અહીં અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો અન્તરાલ ગતિમાં પણ અને સ્વસ્થાનમાં પણ અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકનું આયુષ્ય વિશિષ્ટ વિપાકથી વેદે છે અને દેવો અને ના૨કો સિવાય બાકીની બધી કાયથી આવીને ઉત્પન્ન થાય છે. અને મરીને પણ દેવ અને નાક સિવાય બાકીના બધા સ્થાનોમાં જાય છે. માટે અન્તરાલ ગતિમાં પણ વર્તતા અપર્યાપ્ત બાદ૨ પૃથિવીકાયિકો ગ્રહણ કરવા, વળી તેઓ સ્વભાવથી પણ ઘણા છે, માટે ઉપપાત અને સમુદ્દાત વડે સર્વલોકવ્યાપી હોય છે. અન્ય આચાર્ય કહે છે કે—તેઓ સ્વભાવથી જ ઘણા છે. તેથી ઉપપાત અને સમુદ્દાત વડે સર્વલોકવ્યાપી છે. તેમાં કેટલાકનો ઉપપાત ૠજુગતિથી અને કેટલાકનો ઉપપાત વક્રગતિથી થાય છે, ૠજુગતિ સુપ્રસિદ્ધ છે. અહીં જ્યારે કેટલાએક જીવો પ્રથમ વક્રગતિને સંહરે છે ત્યારે બીજા જીવો તે વક્રગતિના દેશને પૂર્ણ કરે છે, એમ બીજી વક્રગતિના દેશનું સંહરણ થતાં પણ અન્ય વક્રગતિની ઉત્પત્તિ થાય છે, એ રીતે પ્રવાહથી વક્રગતિના સંહરણ અને તેની પૂર્તિમાં નિરન્તર લોક વ્યાપ્ત થાય છે. ‘સાળેળ જોસ્સ અસંવેન્ગમાશે.' સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. જેમ
102